Gujarati NewsVideosGujarat videosAhmedabad: Metro phase 2 will run to Gandhinagar in near future with over 1700 crore loan agreement in place
Ahmedababad: મેટ્રોના ફેઝ 2 માટે 1700 કરોડથી વધુના ધિરાણ પર કરાર, નજીકના ભવિષ્યમાં ગાંધીનગર સુધી દોડશે મેટ્રો
મેટ્રો ટ્રેન ફેઝ 2નું કામ ઝડપી પૂર્ણ થશે તો તેના કારણે અમદાવાદથી ગાંધીનગર નોકરી વ્યવસાય માટે જતા કેટલાય લોકોના નાણા અને સમય બંનેની બચત થશે. તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડા થશે. વાહનોનો ઉપયોગ ઘટતા પ્રદૂષણ પણ ઓછું થશે.
અમદાવાદમાં (Ahmedabad) બંને રૂટ શરૂ થયા બાદ હવે મેટ્રો ટ્રેન (Metro train) હવે ગાંધીનગર સુધી દોડશે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રોના ફેઝ-2 માટે 1700 કરોડના કરાર પર હસ્તાક્ષર થયા હતા. ફ્રેન્ચ ડેવલપમેન્ટ સમર્થિત એજન્સી દ્વારા રૂપિયા 1700 કરોડથી વધુ ધિરાણવાળા એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંગે ખુદ ફ્રેન્ચ રાજદૂતે ટ્વીટ કરીને જાણકારી આપી. જે બાદ ફ્રેન્ચ રાજદૂતે મેટ્રો સાઈટની મુલાકાત પણ લીધી હતી. અમદાવાદ-ગાંધીનગર વચ્ચે મેટ્રો (Ahmedabad- Gandhinagar metro Train) ટ્રેન શરૂ થતા જ રોજ અપ-ડાઉન કરતા લોકોને ફાયદો મળશે. આ ઉપરાંત અમદાવાદના અન્ય વિસ્તારોને પણ મેટ્રો નેટવર્કથી જોડવાની આગામી સમયમાં જાહેરાત થઈ શકે છે. નજીકના ભવિશ્યમાં મેટ્રો ટ્રેન ફેઝ 2નું કામ ઝડપી પૂર્ણ થશે તો તેના કારણે અમદાવાદથી ગાંધીનગર નોકરી વ્યવસાય માટે જતા કેટલાય લોકોના નાણા અને સમય બંનેની બચત થશે. તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડા થશે.
વાહનોનો ઉપયોગ ઘટતા પ્રદૂષણ પણ ઓછું થશે.
અમદાવાદ(Ahmedabad) શહેરમાં મેટ્રો ટ્રેનના(Metro Train) પ્રથમ તબક્કાનું રુટનું પીએમ મોદીએ 30 ઓકટોબરના રોજ લોકાર્પણ કર્યું છે. જેમાંથી પ્રથમ રુટના એક રુટ વસ્ત્રાલથી થલતેજને બે ઓકટોબરના રોજ જાહેર જનતા માટે ખુલ્લુ મૂકવામાં આવ્યો છે. જેમાં 15 સ્ટેશનમાં મુખ્ય આકર્ષણવાળુ સ્ટેશન જૂની હાઇકોર્ટ છે. જેમાં ઇન્ટરચેન્જ સ્ટેશન હોવાથી આકર્ષણનું સ્ટેશન બન્યું છે. જૂની હાઇકોર્ટ સ્ટેશન પર વસ્ત્રાલથી થલતેજ રૂટ અને વેજલપુર APMCથી મોટેરા રોડ જોડાતો હોવાથી આકર્ષણનું કેન્દ્ર છે. તેમજ હાલ 2 ઓક્ટોબરે શરૂ થયેલા રૂટમાં બહોળી સંખ્યામાં લોકો મુસાફરી કરી રહ્યા છે.