અમદાવાદ: રખડતા ઢોરોથી મળશે છૂટકારો! ઢોર નિયંત્રણની નવી પોલિસી લાગુ, તંત્ર એક્શનમાં

|

Dec 01, 2023 | 10:31 PM

કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે લોકોએ લાયસન્સ વિના ઘર આંગણે ઢોર બાંધ્યા હોય તે ઢોરને પણ પૂરીને લઈ જવામાં આવી રહ્યા છે. આમ તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે.

રખડતા ઢોરની સમસ્યાના કાયમી ઉકેલ માટે હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. રખડતા ઢોર નિયંત્રણની નવી પોલિસીનો આજથી કડક અમલ કરી ઢોરને પકડવાનું કામ શરૂ કરાયું છે. રસ્તે રખડતી રંજાડ મામલે ગુજરાત હાઈકોર્ટે આકરા શબ્દોમાં ફટકાર લગાવ્યા બાદ અમદાવાદ મહાનગરપાલિકાએ કડક કાર્યવાહી શરૂ કરી છે. મનપાની ટીમ સમગ્ર અમદાવાદના રસ્તાઓ પર ઉતરી છે અને રખડતા ઢોરને પાંજરે પૂરી રહી છે.

કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ઢોર પકડવાની ઝુંબેશ ચલાવવામાં આવી છે. જે લોકોએ લાયસન્સ વિના ઘર આંગણે ઢોર બાંધ્યા હોય તે ઢોરને પણ પૂરીને લઈ જવામાં આવી રહ્યા છે. આમ તો મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 3 મહિનાથી ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. પરંતુ હાઈકોર્ટની ફટકાર બાદ હવે કોર્પોરેશનનું તંત્ર ફૂલ એક્શન મોડમાં આવી ગયું છે.

જો છેલ્લા 3 મહિનાની વાત કરીએ તો મનપા તંત્ર દ્વારા 22 ટીમો બનાવી છેલ્લા 3 મહિનામાં કુલ 8121 પશુઓ પકડવામાં આવ્યા છે. તેમજ 209 પશુ માલિકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મનપાના વિવિધ ઝોન અને વોર્ડમાં ટીમો દ્વારા ત્રણ શિફ્ટમાં કામગીરી કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો અમદાવાદ: સગીરા પર બળાત્કાર કેસમાં સેશન્સ કોર્ટે સંભળાવ્યો મહત્વપૂર્ણ ચુકાદો, મુખ્ય આરોપીને ફટકારી 20 વર્ષની સજા

ઢોર પકડવાની કામગીરી વખતે મનપા ટીમ અને ઢોરમાલિકો વચ્ચે 33 જેટલી ઘર્ષણ અને હુમલાની ફરિયાદો નોંધાવાઈ છે. ચાલુ વર્ષે મહાનગરપાલિકા દ્વારા 13,958 જેટલા પશુઓ પકડવામાં આવ્યા છે. સાથે જ 460 પશુમાલિકો સામે ફરિયાદ દાખલ કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video