Ahmedabad: કોરોનાના કેસ વધતા શહેરમાં આઈસોલેશન સેન્ટર ઉભા કરવાની માગ વધી

કોર્પોરેશન દ્વારા સમરસ હોસ્ટેલને પણ આઈસોલેશન સેન્ટર બનાવી દેવામાં આવી છે. એટલું જ નહીં જરૂર પ્રમાણે અન્ય આઈસોલેશન સેન્ટર બનાવવા તંત્ર વિચારણા કરી રહ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 2:49 PM

અમદાવાદ શહેરમાં સતત કોરોના (Corona)નું સંક્રમણ વધી રહ્યું છે. સતત વધી રહેલા કેસને લઈ આઈસોલેશન સેન્ટર (Isolation Center) ઉભા કરવાની માગ વધી છે. હોસ્પિટલની જગ્યાએ આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવે તેવી માગ વધી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે. ખાસ કરીને અમદાવાદ કોરોના સંક્રમણનું એપી સેન્ટર બનતુ જઈ રહ્યુ છે. બીજી તરફ અમદાવાદ શહેરમાં હાલ કોરોનાના કેસ વધુ છે, પરંતુ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા ઓછી છે. છતાં કોર્પોરેશન દ્વારા દર્દીઓના આઈસોલેશન માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

કોર્પોરેશન દ્વારા સમરસ હોસ્ટેલને પણ આઈસોલેશન સેન્ટર બનાવી દેવામાં આવી છે. એટલું જ નહીં જરૂર પ્રમાણે અન્ય આઈસોલેશન સેન્ટર બનાવવા તંત્ર વિચારણા કરી રહ્યું છે. જે દર્દીઓને ઘરમાં રહેવાની જગ્યા નથી તેમને આઈસોલેશન વોર્ડમાં રાખવા કોર્પોરેશન દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. અમદાવાદમાં હોસ્પિટલની જગ્યાએ આઈસોલેશન સેન્ટર ઉભા કરવામાં આવે તેવી માગ વધી છે.

મહત્વનું છે કે અમદાવાદ શહેરમાં ઉત્તરાયણ બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. અમદાવાદમાં ટેસ્ટિંગ ડોમ બહાર કોરોના ટેસ્ટ માટે લોકોની કતારો લાગે છે. સવાર અને બપોરના સમયે વસ્ત્રાપુર, પ્રભાત ચોક અને ચાંદલોડિયા સહિત પશ્ચિમ વિસ્તારના મોટાભાગના ટેસ્ટિંગ ડોમ બહાર લોકોની લાઈનો લાગેલી જોવા મળે છે.

ખાસ કરીને ઉત્તરાયણ દરમિયાન લોકો બેદરકાર બનતાં શરદી-ખાંસી અને તાવના કેસ વધ્યા છે. મોટી સંખ્યામાં લોકો બિમાર પડતાં કોરોનાના ટેસ્ટિંગ ડોમ પર લોકોનો ધસારો જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો ટેસ્ટ કરાવવા પહોંચી રહ્યા છે.

આ પણ વાંચોઃ આપ’ના નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું, અમે જનતા માટે લડવા નીકળ્યા છીએ, જ્યારે મતદાન કરવા જાવ ત્યારે આ યાદ રાખજો

આ પણ વાંચોઃ પાટીદારોના સંગઠન SPGમાં પડ્યા ભાગલા, નારાજ હોદ્દેદારોએ નવી સમિતિ રચી, જાણો શું છે સમગ્ર વિવાદ

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">