Ahmedabad: ચાંગોદરમાં એક ફેક્ટરીમાં બનતી હતી આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ, ફેક્ટરી કરાઈ સીલ, જુઓ Video

TV9ની ટીમ દ્વારા આ ફેક્ટરીનુ રિયાલીટી ચેક કરવામાં આવ્યુ હતુ કે, કેવા સ્થળે અને કેવી રીતે યુવાધનને નશા તરફ ખેંચી જતી સીરપ તૈયાર કરવામાં આવી રહ્યુ હતુ. પોલીસે જ્યાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ તૈયાર કરવામાં આવતુ હતુ એ ફેક્ટરીને હવે સીલ કરી દીધી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 06, 2023 | 6:26 PM

 

દેવભૂમિ દ્વારકામાંથી આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપનો જથ્થો ઝડપાયો હતો. જેને લઈ પોલીસે ગુનો નોંધીને તપાસ શરુ કરી હતી. તપાસનો રેલો હવે છેક અમદાવાદ નજીક આવેલ ચાંગોદર સુધી પહોંચ્યો છે અને સીરપ બનાવતી ફેક્ટરીની પણ તપાસ કરી છે. TV9ની ટીમ દ્વારા આ ફેક્ટરીનુ રિયાલીટી ચેક કરવામાં આવ્યુ હતુ કે, કેવા સ્થળે અને કેવી રીતે યુવાધનને નશા તરફ ખેંચી જતી સીરપ તૈયાર કરવામાં આવી રહ્યુ હતુ. પોલીસે જ્યાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક સીરપ તૈયાર કરવામાં આવતુ હતુ એ ફેક્ટરીને હવે સીલ કરી દીધી છે. પોલીસને ફેક્ટરીના સ્થળ પરથી વધુ 6000 બોટલો તેમજ સીરપ તૈયાર કરવાનુ મિશ્રણનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો છે.

સીરપ બનાવવા માટે ઈથોનલ અને ફ્રુટ બીયરની ફ્લેવરને મિક્સ કરવામાં આવતી હતી અને તેનુ મિશ્રણ તૈયાર કરીને સીરપના રુપમાં બોટલ પેક કરવામાં આવી હતી. જુદી જુદી ફ્લેવર તૈયાર કરીને તેને આયુર્વેદિક સીરપના બહાને છૂટથી બજારમાં વેચવામાં આવતી હતી. પોલીસે હવે ફેક્ટરી ચલાવનારાઓ સામે પણ કાર્યવાહી કરવાની દિશામાં તપાસ શરુ કરી છે. ફેક્ટરીના સ્થળે ગોડાઉન જેવી સ્થિતિ હતી અને જ્યાં મશીનરી ગોઠવીને તેના દ્વારા સીરપ તૈયાર કરાતુ હતુ. પોલીસે હવે મશીનરી પણ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે.

આ પણ વાંચોઃ  સાહેબ કરતા કર્મચારી સવાયો! મામલતદાર 1600 અને તલાટી 30000 ની લાંચ લેતા ACB ના છટકામાં ઝડપાયા

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">