ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટના 3 મેળા કરાયા બંધ, જન્માષ્ટમીના લોકમેળાનું પણ સ્થળ બદલાઈ શકે, જુઓ-video

|

Jun 01, 2024 | 1:48 PM

રાજકોટ અગ્નિકાંડ તંત્ર એક્શનમાં છે ત્યારે રાજકોટમાં દર વર્ષે યોજાતા મેળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રોયલ મેળા સહિતના અનેક મેળાઓ બંધ રહેશે. રાજકોટના ખાનગી મેળાઓ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા .

રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં આવી ગયું છે જે બાદ રાજકોટના અનેક ગેમ ઝોન બંધ કર્યા બાદ ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઈને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આ ઘટના બાદ રાજકોટમાં દર વર્ષે યોજાતા ત્રણ લોક મેળાઓને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નાના મવા સર્કલ સહિત 3 જેટલા મેળા જે ચાલુ હતા તેને બંધ કરાવ્યા છે. આ અંગે તકેદારીના ભાગ રૂપે મેળાઓ બંધ કરાવવામાં આવ્યું હોવાનું જણાવામાં આવી રહ્યું છે. આ સાથે જન્માષ્ટમીના મેળાને લઈને પણ સ્થળ બદલવામાં આવી શકે છે.

રાજકોટના ત્રણ મેળા બંધ

રાજકોટ અગ્નિકાંડ તંત્ર એક્શનમાં છે ત્યારે રાજકોટમાં દર વર્ષે યોજાતા મેળા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રોયલ મેળા સહિતના અનેક મેળાઓ બંધ રહેશે. રાજકોટના ખાનગી મેળાઓ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવ્યા . રાજકોટના નાના મવા સર્કલ સહિત ત્રણ જેટલા વેકેશનના મેળાઓ બંધ કરવામાં આવ્યા. તકેદારીના ભાગ રૂપે મેળાઓ બંધ કરાવવામાં આવ્યા છે, આ સાથે રાજકોટના જન્માષ્ટમી લોકમેળાનું સ્થળ બદલાઈ શકે છે.

જન્માષ્ટમીના મેળાનું સ્થળ બદલાશે

રાજકોટનો સૌથી મોટો જન્માષ્ટમીનો લોકમેળો કણકોટ અથવા ન્યુ રેસકોસ ખાતે ખસેડવા વિચારણા ચાલી રહી છે.દર વર્ષે રાજકોટના લોકમેળામાં સૌરાષ્ટ્રભરમાથી 5 દિવસમાં 10 થી 12 લાખ લોકો ઉમટી પડે છે ત્યારે ટ્રાફિક સહિતની સમસ્યાઓ સર્જાતા લોકમેળો બહાર ખસેડવા વિચારણા ચાલી રહી છે.

વર્ષોથી રાજકોટના રેસકોર્સમાં યોજાતા લોકમેળા નું સ્થળ બદલવા તંત્ર એ કવાયત હાથ ધરી છે. ત્યારે સૌરાષ્ટ્રના લોકમેળાનું વર્ષો બાદ સ્થળ બદલાઇ શકે છે. 20 વર્ષ પહેલા રાજકોટના શાસ્ત્રી મેદાનમાં આ લોકમેળો યોજાતો હતો. બાદમાં દર વર્ષે લોકમેળો મોટો થતા રેસકોર્સમાં લોક મેળો યોજાવા લાગ્યો ત્યારે હવે ફરી મેળાનું સ્થળ બદલવા વિચારણા ચાલી રહી છે.

Next Video