Video : વડોદરામાં આજવા-વાઘોડિયા રોડના ઢોરવાડા પર તવાઈ, 89 ગેરકાયદે ઢોરવાડાને નોટિસ ફટકારાઇ

|

Jan 17, 2023 | 1:55 PM

ગુજરાતમાં (Gujarat) રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકામાંં સર્વે કરવામાં આવ્યો હતો.

વડોદરા શહેરમાં રખડતા ઢોર બાબતે આખરે તંત્ર જાગ્યું છે. મહાનગરપાલિકાની ટીમોએ ઢોર પકડવા ઝુંબેશ હાથ ધરી છે. જે અંતર્ગત આજે વહેલી સવારથી બપોરના 1 વાગ્યા સુધી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી. આજવા, વાઘોડિયા રોડના ઢોરવાડા પર પણ તવાઈ બોલાવવામાં આવી. પશુઓ રસ્તા પર રખડતા હોવાથી ઢોરવાડાના ડ્રેનેજ અને પાણીના કનેક્શન કાપી નાખવામાં આવ્યા. મહાનગરપાલિકાની ટીમોએ 89 ગેરકાયદે ઢોરવાડાને નોટિસ ફટકારી છે.

રાજ્યમાં સર્વે પ્રક્રિયા હાથ ધરાઈ

મહત્વનું છે કે ગુજરાતમાં રખડતા ઢોરના કારણે થતા અકસ્માતોને ધ્યાને લઇને રાજ્ય સરકાર દ્વારા એક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં લોકોને સૌથી વધુ ઇજા આખલાઓના કારણે થતી હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારબાદ નગરપાલિકા અને મહાનગરપાલિકાના ઉપક્રમે સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં રાજ્યમાં 50 હજારની આસપાસ રખડતા આખલા હોવાનું સામે આવ્યુ હતુ. ત્યારે આ આખલાઓનું ખસીકરણ કરીને તેમની વસ્તી નિયંત્રણમાં લાવી આતંક ઓછો કરવાનો પ્રયાસ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેના માટે મેડિકલ એડવાઇસ પણ લેવામાં આવી છે.

જાન્યુઆરીના અંતિમ સપ્તાહથી શરૂ કરાશે ખસીકરણ

ગુજરાતની વાત કરવામાં આવે તો 50 હજાર આખલાઓના ખસીકરણ માટે 50 લાખ રુપિયાનો નિભાવ ખર્ચ આવી શકે છે. ત્યારે સરકારની સાથે સ્થાનિક સંસ્થાઓ, NGOની મદદથી પ્રોજેક્ટ શરુ કરવાની સરકારની વિચારસરણી ચાલી રહી છે. મોરબી અને કચ્છ એમ બે સ્થળે પાયલટ પ્રોજેક્ટ શરુ કરવા પર વિચાર થઇ રહ્યો છે. જાન્યુઆરીના અંતિમ સપ્તાહની અંદર પાયલટ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી શકે છે. જેમાં આખલાઓનું ખસીકરણ કર્યા બાદ તેમને નજીકની ગૌશાળામાં મુકવામાં આવશે અને ગૌશાળાનો નિભાવ ખર્ચ સરકાર આપશે.

Next Video