સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ વાઇરસના શંકાસ્પદ લક્ષણો ધરાવતા કેસની સંખ્યા 8 પહોંચી છે. આ માટે હવે પુણેથી રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. આ દરમિયાન અત્યારે હાલમાં ત્રણ દર્દીઓ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જે પૈકી એક બાળકની સ્થિતિ ગંભીર છે. તેને હાલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવેલ છે.
27 જૂને પ્રથમ કેસ સામે આવ્યા બાદ અત્યાર સુધીમાં પાંચ બાળકોના શંકાસ્પદ ચાંદીપુરમ વાઇરસને લઈ મોત નિપજ્યાં છે. જે પૈકી ચાર બાળકોના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે. હાલમાં બાળકોમાં વાઇરસને લગતા લક્ષણો જણાય તો તુરત સિવિલ હોસ્પિટલ કે આરોગ્ય વિભાગનો સંપર્ક કરવા માટે જણાવ્યું છે. આ માટે હિંમતનગર સિવિલ સુપ્રિટેન્ડેન્ટની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઈ હતી. જેમાં બાળ રોગ નિષ્ણાંતો ઉપસ્થિત રહ્યા હતા.
Published On - 4:42 pm, Mon, 15 July 24