GUJARAT : લવ જેહાદને લઇને મોટા સમાચાર, કાયદામાં શું-શું હશે જોગવાઇ ?
GUJARAT : લવ જેહાદ અંગે ટીવી 9 પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. લવ જેહાદ બિલની મહત્વની જોગવાઈની એક્ઝ્ક્લુઝિવ માહિતી સામે આવી છે. જેમાં લવ જેહાદના કાયદા અન્વયે શુ-શુ સજા થશે તેની માહિતી સામે આવી છે.
GUJARAT : લવ જેહાદ અંગે ટીવી 9 પર સૌથી મોટા સમાચાર આવ્યા છે. લવ જેહાદ બિલની મહત્વની જોગવાઈની એક્ઝ્ક્લુઝિવ માહિતી સામે આવી છે. જેમાં લવ જેહાદના કાયદા અન્વયે શુ-શુ સજા થશે તેની માહિતી સામે આવી છે.
જે અનુસાર લવ જેહાદ બિલમાં આરોપી સામે 5 વર્ષની કેદ અને રૂ. 2 લાખ કરતાં ઓછો નહિ એટલા દંડની સજા થશે. સગીર – અનુસૂચિત જાતિ – અનુસૂચિત જનજાતિની સ્ત્રી સાથે બનેલા ગુનામાં 7 વર્ષની કેદ અને રૂ. 3 લાખથી ઓછો નહિ એટલો દંડ થશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021ના નામે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ થશે. ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ 2003ના ગુજરાતના 22મા અધિનિયમની કલમમાં સુધારો કરાયો છે.બળજબરીથી ધર્મ પરિવર્તન પર પ્રતિબંધ મૂકાશે.કોઈ પણ સ્ત્રી સાથે બળજબરી ધર્મ પરિવર્તન કરાશે તો ગુનો ગણાશે. લગ્ન કરનાર – કરાવનારા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરાશે. સ્ત્રી પક્ષના લોહી સબંધ ધરાવતાં કોઈ પણ સંબંધી કાયદા હેઠળ ફરિયાદ કરી શકશે. લગ્નમાં મદદ કરનારની વિરૂદ્ધમાં પણ કાર્યવાહી થશે. લગ્ન કરાવનાર સંસ્થા – સંગઠનો સામે પણ પગલાં લેવાશે. આ પ્રકારનો ગુનો બિનજામીનપાત્ર ગણાશે. ગુનાની તપાસ જીલ્લા પોલીસ વડા અને ડીવાયએસપી કરશે. સંસ્થા – સંગઠનોના સંચાલક સામે 3થી 10 વર્ષની સજા અને રૂ. 5 લાખનો દંડ થશે.
હાલ જયારે દેશભરમાં લવજેહાદના કિસ્સાઓ વધી રહ્યાં છે. ત્યારે ઉતરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં આ કાયદો લાગુ કરાયો છે. ત્યારે ગુજરાતમાં પણ આ કાયદાની અમલવારી જલ્દી કરવા સરકાર આગળ વધી રહી છે. ત્યારે હવે આ કાયદાની ગુજરાતમાં અમલવારી કયારે કરવામાં આવશે તે જોવું રહ્યું.