રાજસ્થાનમાં હૃદયદ્રાવક ઘટના, જમીન વિવાદમાં યુવક ઉપર 6 વખત ચલાવ્યું ટ્રેક્ટર, જુઓ Video
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બહાદુર અને અતર સિંહ ગુર્જરનો પરિવાર બયાનાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામમાં રહે છે. બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. આ બંને પરિવારો વચ્ચે પાંચ દિવસ પહેલા મારામારી થઈ હતી, જેમાં પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવી તેમની સાથે વાત કરી હતી અને એકબીજા સામે ગુનો પણ નોંધ્યો હતો.
રાજસ્થાનના ભરતપુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં બયાના વિસ્તારના એક ગામમાં જમીનના વિવાદના કારણે એક યુવકે સામા પક્ષના યુવક પર છ વાર ટ્રેક્ટર ચઢાવી મારી નાખ્યો હતો. આરોપીઓએ મૃતક યુવકના પરિવારજનોની સામે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેના કારણે સ્થળ પર હોબાળો મચી ગયો હતો. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને આરોપીના પરિવારના કેટલાક લોકોની અટકાયત કરી.
પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બહાદુર અને અતર સિંહ ગુર્જરનો પરિવાર બયાનાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામમાં રહે છે. બંને પરિવારો વચ્ચે ઘણા સમયથી જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. આ બંને પરિવારો વચ્ચે પાંચ દિવસ પહેલા મારામારી થઈ હતી, જેમાં પોલીસે બંને પક્ષોને પોલીસ સ્ટેશન બોલાવી તેમની સાથે વાત કરી હતી અને એકબીજા સામે ગુનો પણ નોંધ્યો હતો. તેમ છતાં બુધવારે સવારે બહાદુર ગુર્જરના પરિવારનો એક યુવક અતર સિંહના પરિવારને પડકાર ફેંકતા ટ્રેક્ટર સાથે વિવાદિત જમીન પર પહોંચ્યો હતો.
આ દરમિયાન અતર સિંહ ગુર્જરનો પુત્ર નરપત પણ તેના પરિવારના સભ્યો સાથે આ જમીન પર પહોંચ્યો હતો અને આરોપીના ટ્રેક્ટરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીએ ટ્રેક્ટર ન રોકતાં નરપત જમીન પર સૂઈ ગયો હતો. આ પછી આરોપીએ તેના પર ટ્રેક્ટરનું વ્હીલ ચાર વાર ફેરવ્યું. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. હવે વીડિયો વાયરલ થયા બાદ પોલીસ એક્શનમાં આવી ગઈ છે અને આરોપીના પરિવારના કેટલાક લોકોની અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
બીજી તરફ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ જયપ્રકાશ પરમારે જણાવ્યું હતું કે બંને પક્ષો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો. આ વિવાદમાં બુધવારે બંને પક્ષો સામસામે આવી ગયા હતા. દરમિયાન બંને પક્ષોએ એકબીજા પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જ્યારે નરપત જમીન પર પડ્યો ત્યારે આરોપીઓએ તેના પર ટ્રેક્ટર ચલાવ્યું હતું. તેમણે કહ્યું કે હાલમાં નરપતના મૃતદેહને કબજે લેવામાં આવ્યો છે અને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. બીજી તરફ આ ઘટના બાદ ગામમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. ગ્રામજનોએ જણાવ્યું કે આરોપી પક્ષ દ્વારા ફાયરિંગ પણ કરવામાં આવ્યું છે.
મંત્રીએ કહ્યું- મારી નાખવો જોઈએ
આ ઘટના પર મંત્રી પ્રતાપસિંહ ખાચરીયાવાસએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ત્યાં ઉભેલા લોકોએ બદમાશોને લાકડીઓ વડે માર મારીને મારી નાખવો જોઈતો હતો. દરમિયાન કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે કહ્યું કે ‘હવે મને સમજાયું કે રાજસ્થાનમાં આવા ગુનાઓ માટે પ્રેરણા ક્યાંથી મળે છે’. તેમણે કહ્યું કે ગુનેગારોને તેમના મંત્રીઓ અને ધારાસભ્યો પાસેથી પ્રેરણા મળી રહી છે.
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ
