સુરતમાં એક પરીવારને ત્યાં બિરાજમાન છે હનુમાન દાદાની અનોખી મૂર્તિ, હનુમાન જયંતિની કરાઈ છે ભવ્ય ઉજવણી!
ભગવાન શ્રી રામના અતિપ્રિય એવા હનુમાન દાદાની આજે જન્મજયંતી છે. આ દિવસે લોકો મંદિરે બજરંગ બલીની પૂજા અર્ચના કરે છે. હનુમાન જયંતિના દિવસે કેટલાક ભક્તો પોતાના ઘરે પણ મંદિરમાં હનુમાન દાદાની નાની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરતા હોય છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનને માનવામાં આવે છે. અંજની પુત્ર હનુમાનના આમ તો અનેક […]
Follow us on
ભગવાન શ્રી રામના અતિપ્રિય એવા હનુમાન દાદાની આજે જન્મજયંતી છે. આ દિવસે લોકો મંદિરે બજરંગ બલીની પૂજા અર્ચના કરે છે.
હનુમાન જયંતિના દિવસે કેટલાક ભક્તો પોતાના ઘરે પણ મંદિરમાં હનુમાન દાદાની નાની મૂર્તિની સ્થાપના કરી તેની પૂજા કરતા હોય છે. ભગવાન શ્રીરામના પરમ ભક્ત પવનપુત્ર હનુમાનને માનવામાં આવે છે. અંજની પુત્ર હનુમાનના આમ તો અનેક રૂપો છે સાથે જ તેમના આ રૂપોના અનેક મંદિરો પણ દેશ અને દુનિયામાં બનાવવામાં આવ્યા છે ત્યારે સુરતમાં એક પરીવારને ત્યાં તેમની ખાસ મૂર્તિ પણ છે. જેમાં હનુમાન દાદાના રોદ્ર્ સ્વરુપના દર્શન થાય છે.
સુરતના લોહાણા પરિવાર છેલ્લા 9 વર્ષથી પોતાના ઘરમાં જ આ દાદાની પૂજા અર્ચના કરતા આવ્યા છે. હનુમાન દાદા પર તેમને ઘણી શ્રદ્ધા છે. અહીં આ ઘરમાં રામ નવમી અને હનુમાન જયંતિને એક ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. ભક્તો પણ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવે છે.