કાર્તિકી પૂનમ પર આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ!

|

Nov 29, 2018 | 9:27 AM

ત્રિપુરારી પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂનમના દિવસનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. કહેવાય આવે છે કે આ દિવસે દેવો દિવાળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે ન માત્ર ગુજરાતમાં પરતુ મહારાષ્ટ્રમાં આ દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ અનોખી ઉજવણી કરવામાં આવી. તો ગુજરાતમાં પણ વિવિધ સ્થળો કાર્તિકી પૂનમના મેળા ભરાયા અને વિવિધ તીર્થસ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સૌથી પહેલા […]

કાર્તિકી પૂનમ પર આ કુંડમાં સ્નાન કરવાથી મળે છે પાપોમાંથી મુક્તિ!
Shamlaji Mela on Kartik Purnima

Follow us on

ત્રિપુરારી પૂર્ણિમા એટલે કે કાર્તિકી પૂનમના દિવસનું હિન્દુ ધર્મમાં અનેરૂ મહત્વ છે. કહેવાય આવે છે કે આ દિવસે દેવો દિવાળીના પર્વની ઉજવણી કરે છે. ત્યારે ન માત્ર ગુજરાતમાં પરતુ મહારાષ્ટ્રમાં આ દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ અનોખી ઉજવણી કરવામાં આવી. તો ગુજરાતમાં પણ વિવિધ સ્થળો કાર્તિકી પૂનમના મેળા ભરાયા અને વિવિધ તીર્થસ્થળોએ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું.

સૌથી પહેલા જોઈએ યાત્રાધામ શામળાજીની તસવીરો જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા છે. નાગધરો કૂંડમાં સ્નાન કરીને શ્રદ્ધાળુઓ પાવન બની રહ્યાં છે. મહત્વનું છે કે કાર્તિકી પૂર્ણિમાના દિવસે શામળાજીમાં પવિત્ર મેળો ભરાય છે.

 

સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે

Mela at Shamlaji on Kartik Poornima

Mela at Shamlaji on Kartik Poornima

ભરૂચ પાસે નર્મદા નદીના કિનારે વર્ષોથી શુકલતીર્થ ધામ ખાતે દેવ દિવાળીનો ભાતીગળ મેળો યોજાય છે. કારતક માસમાં અગિયારસથી દેવ દિવાળી સુધી યોજાતા આ ભાતીગળ મેળામાં રાજ્યભરથી લોકો આવ્યા છે. અને આસ્થા સાથે ત્યાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર વિષ્ણુ ભગવાનના દર્શનનો લ્હાવો પણ લઈ રહ્યાં છે. પૌરાણિક દૃષ્ટિએ વિષ્ણુ ભગવાનની પ્રતિમા અહીં સ્વયંભૂ નર્મદા નદીમાંથી પ્રગટ થઈ હોવાનું મનાય છે. તેમજ વિષ્ણુ ભગવાનની શ્વેત રંગની પ્રતિમા ધરાવતું ઓમકારેશ્વર એકમાત્ર ધામ છે.
તો બીજી બાજુ ભાતીગળ મેળામાં શુકલેશ્વર મહાદેવ અને ઓમકારેશ્વર મહાદેવના દર્શન બાદ નર્મદા નદીમાં સ્નાન કરવાનો પણ મહિમા છે.

હવે વાત કરીએ મહારાષ્ટ્રની…

દેવદિવાળીની પૂર્વ સંધ્યાએ મુંબઈના પાલઘર વિસ્તારમાં આવેલાં શિતળા માતા મંદિરમાં દિપોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. સમગ્ર મંદિર પરિસરને દીવડાંઓથી શણગારવામાં આવ્યું. જેમાં 50 લિટર તેલનો ઉપયોગ કરી 10 હજારથી વધુ દીવડાં પ્રગટાવવામાં આવ્યા.

મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં આવેલા બાણગંગા મંદિરમાં પણ કાર્તિકી પૂનમના અવસરને લઈને ભવ્ય ઉજવણી કરવામાં આવી. બાણગંગામાં ભગવાન શંકરને ત્રિપુરનો દીવો કરી, વિધિવત્ પૂજા કરી મહાઆરતી કરવામાં આવી હતી જેનો મોટી સંખ્યામાં ભાવિકભક્તો એ લાભ લીધો.

મુંબઈના કલ્યાણ વિસ્તારમાં આવેલા દુર્ગાડી કિલ્લાને પણ પૂનમના એક દિવસ પહેલા દીવડાંઓથી આકર્ષક રીતે શણગારવામાં આવ્યો. આ નજારાનો આનંદ લેવા હજારોની સંખ્યામાં માનવ મહેરામણ પણ ઉમટ્યું.

[yop_poll id=43]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ  WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 6:02 am, Fri, 23 November 18

Next Article