ગાંધીનગરના રૂપાલમાં દર વર્ષની જેમ આજે પણ વહેશે ઘીની નદીઓ. વરદાયિની માતાની પલ્લીને હવે ગણતરીના કલાકો જ બાકી છે. રાત્રે 12 વાગ્યે મંદિર પરિસરમાંથી પલ્લીની શરૂઆત થશે. જે નિયત કરાયેલા રૂટ ઉપર ફરશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રૂપાલની પલ્લીનો રૂડો અવસર પાંડવોના સમયથી ચાલતો હોવાની માન્યતા છે. જેને પગલે દર વર્ષે નવમા નોરતે માતાજીની પલ્લી ભરાય છે. પલ્લીમાં માતાજીના દર્શનાર્થે દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
આજે પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. પલ્લીમાં ગામના રસ્તા પર જાણે ઘીની નદીઓ વહે છે. વહેતા ઘીને ઉલેચવાનો હક ફક્ત ગામના વાલ્મિકી સમાજને જ છે. ગામના માર્ગો પરથી પલ્લી પસાર થઈ જાય પછી ગામના વાલ્મિકી સમાજના લોકો માર્ગો પરથી ઘી ઉલેચવાના કામે લાગી જાય છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો