AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આખરે એવું તે શું કારણ છે કે ભારતના નકશામાં પાકિસ્તાન, ચીન નહીં પરંતુ શ્રીલંકા જોવા મળે છે ? આવો જાણીએ

તમે જ્યારે પણ ભારતનો નકશો જોશો તો તમે જોયું જ હશે કે તેમાં શ્રીલંકા પણ બતાવવામાં આવ્યું છે. પરંતુ, પાકિસ્તાન, ભૂટાન, ચીન વગેરે નકશામાં ક્યારેય દર્શાવવામાં આવ્યા નથી, ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે.

આખરે એવું તે શું કારણ છે કે ભારતના નકશામાં પાકિસ્તાન, ચીન નહીં પરંતુ શ્રીલંકા જોવા મળે છે ? આવો જાણીએ
map of India ( File photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 03, 2022 | 1:42 PM
Share

તમે ભારતનો નકશો(India map) ઘણી વાર જોયો હશે અને તમે જોયું હશે કે તેમાં શ્રીલંકાનો (srilanka) નકશો પણ બતાવવામાં આવ્યો છે. પરંતુ, પાકિસ્તાન, ચીન કે કોઈ પાડોશી દેશ સાથે આવું થતું નથી. ભારતના નકશામાં શ્રીલંકા સિવાયના દેશોને ક્યારેય દર્શાવવામાં આવ્યા નથી. ક્યારેય વિચાર્યું છે કે આવું કેમ થાય છે? એવું નથી કે શ્રીલંકા સાથે આપણા સારા સંબંધો છે. તેથી તેને ભારતના નકશામાં બતાવવામાં કોઈ સમસ્યા નથી, જ્યારે તેની પાછળ એક મહત્વપૂર્ણ કારણ છે.

હા, કેટલાક ખાસ કારણોસર ભારતના નકશામાં શ્રીલંકાનો નકશો પણ દર્શાવવામાં આવ્યો છે. આ સ્થિતિમાં આજે આપણે જાણીએ કે શું કારણ છે. જેના કારણે ભારતના નકશામાં શ્રીલંકા બતાવવામાં આવ્યું છે અને આમાં હિંદ મહાસાગરની ભૂમિકા કેટલી મહત્વપૂર્ણ છે…

આવું કેમ થાય છે?

ભારતના નકશામાં શ્રીલંકાને દર્શાવવાનો અર્થ એવો નથી કે તેના પર ભારતનો કોઈ અધિકાર છે કે બંને દેશો વચ્ચે આવો કોઈ કરાર છે. ખરેખર, આ કરવા પાછળ સમુદ્રનો નિયમ છે, જેને ઓસિયન લો કહેવામાં આવે છે. આ કાયદો બનાવવાની પહેલ યુનાઇટેડ નેશન એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાયદો અસ્તિત્વમાં આવ્યો હતો. જણાવી દઈએ કે આ કાયદો બનાવવા માટે યુનાઈટેડ નેશન્સ કન્વેન્શન ઓન ધ લો ઓફ ધ સી (UNCLOS-1) કોન્ફરન્સનું આયોજન સૌપ્રથમ વર્ષ 1956માં કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 1958માં આ કોન્ફરન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. વાસ્તવમાં આ UNCLOS-1 માં સમુદ્ર સંબંધિત સરહદો અને સંધિઓ અંગે સર્વસંમતિ હતી. આ પછી 1982 સુધી ત્રણ પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સમુદ્ર સંબંધિત કાયદાઓને માન્યતા આપવાનું કામ કરવામાં આવ્યું હતું.

લો ઓફ ધ સી શું છે ?

જ્યારે કાયદો બનાવવામાં આવ્યો ત્યારે નિર્ણય લેવામાં આવ્યો કે ભારતના નકશામાં કોઈપણ દેશની બેઝ લાઇન એટલે કે બેઝ લાઇનથી 200 નોટિકલ માઇલની વચ્ચે આવેલું સ્થળ દર્શાવવું ફરજિયાત છે. સરળ રીતે સમજીએ તો, જો કોઈ દેશ સમુદ્ર કિનારે આવેલો છે અથવા તેનો કોઈ ભાગ સમુદ્ર સાથે જોડાયેલો છે. તો આ સ્થિતિમાં તે દેશના નકશામાં દેશની સરહદની આસપાસનો વિસ્તાર પણ બતાવવામાં આવશે. આ જ કારણ છે કે ભારતના નકશામાં શ્રીલંકા બતાવવામાં આવ્યું છે, કારણ કે તે 200 નોટિકલ માઈલની અંદર આવે છે. ભારતની સરહદથી 200 નોટીકલ માઈલના અંતરમાં આવતા તમામ સ્થળો નકશામાં દર્શાવવામાં આવ્યા છે.

200 નોટિકલ માઈલ કેટલું છે?

જો આપણે કિલોમીટર દ્વારા નોટિકલ માઈલ જોઈએ, તો એક નોટિકલ માઈલ માં 1.824 કિલોમીટર છે. તે મુજબ 200 નોટિકલ માઈલ એટલે 370 કિલોમીટર. આવી સ્થિતિમાં, ભારતની સરહદથી 370 કિમી સુધીનો વિસ્તાર ભારતના નકશામાં બતાવવામાં આવ્યો છે. જેના કારણે બીજા દેશ બન્યા બાદ પણ શ્રીલંકા ભારતના નકશામાં સામેલ છે.

શ્રીલંકા ભારતથી કેટલું દૂર છે?

ભારતથી શ્રીલંકાનાં અંતરની વાત કરીએ તો ભારતના ધનુષકોડીથી શ્રીલંકાનું અંતર માત્ર 18 માઈલ છે. આનાથી સ્પષ્ટ થાય છે કે તેના કારણે શ્રીલંકા ભારતના નકશામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે અને આ જ કારણ છે કે તેના પર કોઈ વિવાદ નથી. અન્ય મરીન પણ આ જ નિયમનું પાલન કરે છે.

આ પણ વાંચો : બોલીવુડની આ એક્ટ્રેસો રહે છે હંમેશા સાસુ-સસરા સાથે, જાણો કોણ છે લિસ્ટમાં સામેલ

આ પણ વાંચો : Pushpa Box Office Collection: અલ્લૂ અર્જૂનની ‘પુષ્પા’એ નવા વર્ષે બનાવ્યો નવો રેકોર્ડ, કલેક્શન જાણીને થઈ જશો હેરાન

સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
સ્વામી સ્વરૂપવાન મહિલાને મોહી પડ્યા, હોટલમાં સાથે જોવા મળ્યા
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશનની કામગીરી પૂર્ણ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
સુરતના વેસુમાં હૃદયદ્રાવક ઘટના, પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
કીર્તિ પટેલને જામીન તો મળ્યા,છતા તાલુકા પોલીસ સ્ટેશનમાં થવુ પડશે હાજર
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
આજ થી 15 દિવસ સુધી ટ્રાફિક ડ્રાઈવ
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
બિઝનેસમાં નવા કરારો થઈ શકે છે, તમે મસ્તીના મૂડમાં હશો
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
સાંસદ ગેનીબેન ઠાકોરે ગળામાં બટાટાનો હાર પહેરી કલેક્ટર કચેરી પહોંચ્યા
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
મોદી સરકારે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રોના વિસ્તરણને આપી મંજૂરી
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
જામીન મળ્યા બાદ ભવનાથ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ કીર્તિ પટેલ
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
કપાસ પકવતા ખેડૂતો માટે માઠા સમાચાર: CCI ખરીદી બંધ કરશે
g clip-path="url(#clip0_868_265)">