Rohit Sharma: રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા, ચાહકોએ સોશિયલ મીડિયા પર કહ્યું- Get Well Soon Hitman

|

Jun 26, 2022 | 4:36 PM

ભારતીય ટીમ (Team India)ને મોટો ઝટકો લાગ્યો છે, ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા જેમને હિટમેન તરીકે જાણીતો છે, કોરોના સંક્રમિત થતા તેમને હાલમાં હોટલમાં આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

Rohit Sharma: રોહિત શર્મા કોરોના સંક્રમિત થતા, ચાહકોએ સોશિયલ મીડિયા પર કહ્યું- Get Well Soon Hitman
રોહિત શર્મા કોરોના સંક્રમિત થયો
Image Credit source: Twitter

Follow us on

Rohit Sharma : દેશમાં કોરોના (Corona Virus) કેસમાં ફરી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 11,578 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે એક દિવસ પહેલા 15 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા. માત્ર 5 દિવસમાં નવા કેસોમાં 70 હજારથી વધુનો વધારો થયો છે. આ ખુબ ચિંતાનો વિષય છે, આ વચ્ચે ટીમ ઈન્ડિયા (Team India) ને મોટો ઝટકો લાગ્યો છે, ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા જેમને હિટમેન તરીકે લોકો જાણે છે જે કોરોના સંક્રમિત થયો છે, બીસીસીઆઈએ આની પુષ્ટિ કરી છે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ગત્ત શનિવારના રોજ રોહિત શર્માનો (Rohit Sharma) રૈપિડ એન્ટિજેન ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તે કોરોના પોઝિટિવ આવ્યો હતો.

હવે પોતાના ફેવરિટ ખેલાડી કોરોના પોઝિટિવ આવતા ફેન્સ પરેશાન જોવા મળી રહ્યા છે. તેમણે રોહિતને જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 1 જુલાઈના રોજ એકમાત્ર ટેસ્ટ મેચ રમાવાની છે. સોશિયલ મીડિયા પર લોકો રિએક્શન આપી રહ્યા છે. તેની જલ્દી સ્વસ્થ થવાની શુભકામના પાઠવી રહ્યા છે. ચોલો નજર કરીએ કેટલાક મહત્વના ટ્વિટ પર….

 

 

 

Next Article