Ranbir- Alia Wedding : નીતુ કપૂરે રણબીર આલિયાના લગ્ન વિશે કહી આ મોટી વાત

|

Mar 31, 2022 | 10:43 PM

બોલીવુડમાં આજકાલ દરેક વ્યક્તિ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની ચર્ચા કરી રહયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આલિયા ભટ્ટ સબ્યસાચી અને રણબીર કપૂર મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા બ્રાઇડલ ક્લોથિંગમાં જોવા મળી શકે છે.

Ranbir- Alia Wedding : નીતુ કપૂરે રણબીર આલિયાના લગ્ન વિશે કહી આ મોટી વાત
Alia Bhatt With Kapoor Family Viral Image

Follow us on

અમે તમને જણાવી દઈએ કે, નીતુ કપૂરનો (Neetu Kapoor) શો ‘ડાન્સ દીવાને જુનિયર’ (Dance Deewane Junior) મિથુન ચક્રવર્તીના શો ‘હુન્નરબાઝ’ને (Hunarbaaz) રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. ‘હુનરબાઝ દેશ કી શાન’ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહયો છે. બોલીવુડના વર્તમાન સમયમાં અત્યારે સૌથી લોકપ્રિય ગણાતા સ્ટાર કપલ આલિયા ભટ્ટ (Alia Bhatt) અને રણબીર કપૂરના (Ranbir Kapoor) લગ્નને લઈને આજકાલ ઘણા સમાચારો સામે આવી રહ્યા છે. ત્યારે રણબીર કપૂરની ફોઈ રીમા જૈન બાદ હવે માતા નીતુ કપૂરે પણ તેમના લગ્નને લઈને એક નવીન ખુલાસો કર્યો છે.

તાજેતરમાં બોલિવૂડના દિગ્ગજ સ્વર્ગસ્થ અભિનેતા ઋષિ કપૂરની (Rishi Kapoor) પત્ની નીતુ કપૂર ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર્સ’ના સેટની બહાર જોવા મળી હતી. નીતુ કપૂર આ રિયાલિટી શો દ્વારા જજ તરીકે ટેલિવિઝન પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. જ્યારે નીતુ કપૂર શૂટિંગ માટે સ્ટુડિયોમાં જઈ રહી હતી ત્યારે પાપારાઝીએ તેને તેના પુત્ર રણબીર કપૂર અને ગર્લફ્રેન્ડ આલિયા ભટ્ટના લગ્નને લઈને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. આ સવાલ પૂછતાં જ નીતુ કપૂર હસવા લાગી હતી. નીતુ કપૂરે હસતાં હસતાં પાપારાઝીને ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો હતો.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

રણબીર-આલિયાના લગ્ન પર નીતુ કપૂરનો શું જવાબ હતો

આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, સ્ટુડિયોની બહાર ઊભેલા ફોટોગ્રાફર્સ નીતુ કપૂરને પૂછી રહ્યા છે કે, ”પુત્રવધૂ ક્યારે આવી રહી છે?” જ્યારે નીતુ કપૂરે આ સવાલ સાંભળ્યો તો તેણે આકાશ તરફ ઈશારો કરીને કહ્યું કે ભગવાન જાણે છે આનો જવાબ… પાપારાઝીએ એમ પણ કહ્યું કે રણબીર અને આલિયાની ‘જોડી’ ખૂબ જ સારી લાગે છે. આ સાંભળીને નીતુ કપૂરે તમામ પાપારાઝીનો દિલથી આભાર માન્યો હતો. આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

પતિની છેલ્લી ફિલ્મને પ્રમોટ કરવા બદલ ઈન્ડસ્ટ્રીનો આભાર માન્યો 

નીતુ કપૂરે દિવંગત અભિનેતા અને તેના પતિ ઋષિ કપૂરની ફિલ્મ ‘શર્માજી નમકીન’ને પ્રમોટ કરવા બદલ ઈન્ડસ્ટ્રીમાં દરેકનો આભાર માન્યો હતો. નીતુ કપૂર આગળ કંઈ બોલે તે પહેલા તેની ટીમ તેને શૂટ કરવા લઈ ગઈ. સેટ પર જતી વખતે તેમની ટીમમાંથી કોઈએ કહ્યું કે નીતુ કપૂર આવતીકાલે એ જ જગ્યાએ મળશે. અમે તમને જણાવી દઈએ કે, ‘નાગિન’ ફેમ એક્ટ્રેસ તેજસ્વી પ્રકાશનો બોયફ્રેન્ડ કરણ કુન્દ્રા ડાન્સ દીવાને જુનિયર્સ શો ને હોસ્ટ કરવા જઈ રહ્યો છે.

હુનરબાઝ શોને કરશે રિપ્લેસ

નીતુ કપૂરનો શો ‘ડાન્સ દીવાને જુનિયર’ મિથુન ચક્રવર્તીની ‘હુનરબાઝ’ને રિપ્લેસ કરવા જઈ રહ્યો છે. ‘હુનરબાઝ દેશ કી શાન’ હવે તેના અંતિમ તબક્કા તરફ આગળ વધી રહયો છે. આ શો માં જજીઝ તરીકે મિથુન ચક્રવર્તીની સાથે બોલીવુડની જાણીતી અભિનેત્રી પરિણીતી ચોપરા અને જાણીતા ફિલ્મ નિર્દેશક કરણ જોહર પણ જોવા મળી રહયા છે.

 

આ પણ વાંચો – પરિણીતી ચોપરાએ ભારતી સિંહને આવનાર બાળકનું નામ સૂચવ્યું, કરણ જોહરે કહી આ વાત

Next Article