AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Egg waterથી બનેલા ઢોસા વેજીટેરિયનને પીરસાયા ! ટ્વિટર પર અવાજ ઉઠાવવા ગયા તો થઈ ગયા ટ્રોલ, જાણો કારણ

Egg Water Dosa: ટ્વિટર યુઝર મનીષ જૈને કોચી એરપોર્ટના (Kochi Airport) અર્થ લાઉન્જમાં તેમને પીરસવામાં આવતા ભોજન અંગે ફરિયાદ કરી છે. તેમના કહેવા પ્રમાણે, તેમને જે ઢોસા પીરસવામાં આવ્યા હતા તે ઇંડાના પાણીથી બનેલા હતા. પરંતુ એક કારણથી તે પોતે જ ટ્રોલ થઈ ગયો છે.

Egg waterથી બનેલા ઢોસા વેજીટેરિયનને પીરસાયા ! ટ્વિટર પર અવાજ ઉઠાવવા ગયા તો થઈ ગયા ટ્રોલ, જાણો કારણ
symbolic image
TV9 Gujarati
| Edited By: | Updated on: May 06, 2022 | 1:23 PM
Share

કોચી એરપોર્ટ પર પીરસવામાં આવતા ‘એગ વોટર’માંથી (Egg Water) બનેલા ઢોસા દર્શાવતા એક ટ્વિટએ સોશિયલ મીડિયા પર હંગામો મચાવ્યો છે. ટ્વિટર પર મનીષ જૈન નામના યુઝરે કોચી એરપોર્ટના (Kochi Airport) અર્થ લાઉન્જમાં તેમને પીરસવામાં આવતા ફૂડ અંગે ફરિયાદ કરી હતી. તેના કહેવા પ્રમાણે અર્થ લાઉન્જમાં તેણે એક ઢોસા (Dosa) મંગાવ્યો હતો. જે ઇંડાના પાણીનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો હતો. મનીષ જૈન એલઆઈસીમાં કામ કરે છે અને તીર્થંકર ઈન્વેસ્ટમેન્ટ્સના સહ-સ્થાપક પણ છે. તેઓ કહે છે કે, વેજ ઢોસામાં ઈંડાનું પાણી ઉમેરીને અર્થ લોન્જે ધાર્મિક આસ્થા સાથે રમત રમી છે. જો કે મનીષ જૈન પોતે પોતાની એક ભૂલને કારણે ટ્રોલ થયા હતા. હવે લોકો તેમની ભૂલનો ખૂબ આનંદ લઈ રહ્યા છે. તો ચાલો જાણીએ શું છે મામલો?

મનીષે આ લખ્યું ટ્વિટમાં

મનીષે મંગળવારે તેના ટ્વિટર પર એક ટ્વિટ કર્યું. જેમાં તેણે ફરિયાદ કરી છે કે, કોચી એરપોર્ટ પર અર્થ લાઉન્જમાં તેને પીરસવામાં આવતા ઢોસા ઇંડાના પાણીમાંથી બનાવવામાં આવ્યા હતા. જો કે એગ વોટર શું છે તે સમજાતું નથી. મનીષ આગળ લખે છે કે, આમ કરવું લોકોની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનું છે. તમને જણાવી દઈએ કે, આ ટ્વીટ પછી ઘણા લોકો મનીષના સમર્થનમાં અવાજ ઉઠાવી રહ્યા છે. પરંતુ તેની એક ભૂલના કારણે ખુદ મનીષને ટ્રોલ થવું પડ્યું છે. તે પહેલા મનીષે તેના ટ્વિટમાં શું લખ્યું તે જોઈએ.

અને તેના કારણે થઈ ગયા ટ્રોલ

તમે જોઈ શકો છો કે મનીષે પોતાના ટ્વીટમાં કોચી એરપોર્ટને અંગ્રેજીમાં Chochi Airport લખ્યું છે. પછી શું…! ટ્વિટર યુઝર્સે આ શબ્દ પકડી લીધો અને મનીષને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. ઘણા યુઝર્સે કોચીને ચોચી લખવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે. પરંતુ એક બીજું કારણ છે. જેના કારણે લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. લોકો કહે છે કે, ઢોસા બનાવતી વખતે ઠંડા પાણીનો છંટકાવ કરવામાં આવે છે. જેથી તવાનું તાપમાન ઘટાડી શકાય. કદાચ મનીષે ‘ઠંડા પાણી’ને ‘ઇંડા પાણી’ તરીકે સાંભળ્યું હશે. આ અંગે ઘણા લોકોએ પોત-પોતાના પ્રતિભાવો આપ્યા છે.

મનીષે પોતાના ટ્વિટમાં કેરળ ટુરીઝમ, સીએમઓ કેરળ, કોચી એરપોર્ટ અને FSSIને ટેગ કરીને આ સમગ્ર મામલે હસ્તક્ષેપની માંગ કરી છે. તેમના આ ટ્વીટને અત્યાર સુધીમાં 1700થી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે. જ્યારે સાડા ત્રણ હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યું છે. આ સિવાય સેંકડો લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">