AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે ઈમોજીનો કલર પીળો જ કેમ રાખવામાં આવે છે? આ છે જવાબ

તમે જોયું હશે કે ભલે તમે ગમે તે પ્લેટફોર્મ પર ઈમોજીનો ઉપયોગ કરો પણ આ સ્માઈલીઓનો રંગ હંમેશા પીળો હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આખરે કેમ પીળો જ હોય છે?

શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે ઈમોજીનો કલર પીળો જ કેમ રાખવામાં આવે છે? આ છે જવાબ
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 8:13 PM
Share

હવે ફોન પર કોલિંગની સાથે ચેટિંગ પણ ટ્રેન્ડમાં છે. હાલ તો ચેટિંગ લોકોની આદતોમાં બની ગઈ છે. આ ચેટિંગમાં ઈમોજીનો (Emojis) ઉપયોગ શબ્દો સાથે તમારા અભિવ્યક્તિઓને ઉમેરવા માટે થાય છે. ઈમોજી દ્વારા તમે ચેટિંગ દ્વારા તમારી લાગણીઓ પણ વ્યક્ત કરી શકો છો અને કહી શકો છો કે તમે ખુશ છો કે નહીં અથવા તમારા મનમાં શું છે. તમે પણ ચેટિંગ દરમિયાન તેનો ઘણો ઉપયોગ કરતા હશો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઈમોજીનો રંગ પીળો કેમ છે?

ફક્ત ફોન પર જ નહીં, પરંતુ સ્માઈલી વાળા રમકડાં અથવા અન્ય વસ્તુઓનો રંગ પણ પીળો છે. આ સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ છીએ કે આ સ્માઈલીનો રંગ પીળો કેમ છે અને તેની પાછળની શું કહાની છે. આવો જાણીએ.

ઈમોજીનો ટ્રેન્ડ કેવી રીતે શરૂ થયો?

ઈમોજીની શરૂઆત વર્ષ 1963ની હોવાનું માનવામાં આવે છે અને તેનો ઉપયોગ સૌપ્રથમ કંપનીના કર્મચારીઓના મનોબળને વધારવા માટે કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે એક સમયે સ્ટેટ મ્યુચ્યુઅલ લાઈફ એશ્યોરન્સ કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.

આ સમયે કંપનીએ કર્મચારીઓના મનોબળને વેગ આપવા માટે એક ગ્રાફિક ડિઝાઈનરની નિમણૂક કરી અને તેણે એક ઈમોજી બનાવ્યું હતું. આ પ્રતીક પીળા રંગનું હતું અને તેના પર હસતો ચહેરો બનાવવામાં આવ્યો હતો. આની કર્મચારીઓ પર મોટી અસર પડી અને તેની ચર્ચા થવા લાગી હતી.

એટલે કે જ્યારે ઈમોજી પ્રથમ વખત બનાવવામાં આવ્યું હતું, ત્યારે તે માત્ર પીળો હતો. આ સ્થિતિમાં એવું માની શકાય કે તેની શરૂઆત પીળા રંગથી થઈ હતી, તેથી આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહ્યો છે. ખરેખર પહેલા તેનો ઉપયોગ હેપ્પી ફેસ માટે થતો હતો, પરંતુ હવે ઘણા પ્રકારના ઈમોજી બનાવવામાં આવ્યા છે. અગાઉ ઈમોજીનો ઉપયોગ ખુશી વ્યક્ત કરવા માટે થતો હતો અને તે વ્યક્તિના ચહેરાના હાવભાવના રૂપમાં દર્શાવવામાં આવતો હતો.

આખરે પીળો કલર જ કેમ?

જો આપણે પીળા રંગની વાત કરીએ તો તેની પાછળ ઘણી દલીલો માનવામાં આવે છે. એક એવું કહેવાય છે કે ચહેરાનો પીળો રંગ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તે રંગભેદથી ભરેલો છે. તે ગોરા અને કાળાથી અલગ છે. ઉપરાંત પીળો રંગ સુખ સાથે સંકળાયેલો છે અને સૂર્ય સાથે જોડાય ત્યારે તેને સુખનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે પીળો રંગ તેથી તેની સાથે સંકળાયેલ છે. આ સાથે જ પીળો કલર હકારાત્મક લાગણી આપે છે, તેથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શું છે ઈમોજી ડેની કહાની?

આ ઈમોજી જાપાનીઝ ડિઝાઈનર શિગેટાકા કુરિતા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. આ સમયે તે માત્ર 25 વર્ષની હતી. વર્ષ 1999માં તેમણે ઈમોજીના 176 સેટ તૈયાર કર્યા, તે નાના ડોટનાફોર્મમાં હતા. તે એટલું ગમ્યું કે તેને ન્યુયોર્કના મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટમાં કાયમી સંગ્રહ તરીકે શણગારવામાં આવ્યું. ઈમોજી પીડિયાના સ્થાપક જેરેમી બર્ગે વિશ્વ સાથે ઈમોજીની સિદ્ધિની ઉજવણી માટે 17 જુલાઈને વર્લ્ડ ઈમોજી ડે તરીકે જાહેરાત કરી હતી, પ્રથમ ઈમોજી ડે 2014માં ઉજવવામાં આવ્યો હતો.

2021માં સૌથી વધારે ક્યાં ઈમોજી?

લોકોએ ટ્વીટર પર એકબીજા પર ઘણો પ્રેમ વરસાવ્યો અને 2021માં આંખોથી પ્રેમ વરસાવતા ઈમોજીનો ઘણો ઉપયોગ થયો. આ વર્ષે લોકોએ ટ્વીટર પર ઘણું દુઃખ અને પીડા વ્યક્ત કરી. જેના કારણે રડતા ઈમોજીને પણ 2021માં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઈમોજીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

2021માં લોકો દવાઓ, ઈન્જેક્શન અને હોસ્પિટલો માટે એકબીજાને વિનંતી કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં વિનંતી કરતો ચહેરો ઈમોજીનો પણ ઘણો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોએ ટ્વીટર પર એકબીજા પર ઘણો પ્રેમ વરસાવ્યો અને 2021માં આંખોથી પ્રેમ વરસાવતા ઈમોજીનો ઘણો ઉપયોગ થયો હતો.

આ પણ વાંચો : મનીષ મહેશ્વરીને ટ્વિટર ઇન્ડિયામાંથી હટાવી દેવાયા, હવે અમેરિકામાં કરશે કામ

આ પણ વાંચો : Viral Video: મમ્મી-પપ્પા ખાઈ રહ્યા હતા આઈસ્ક્રીમ, અચાનક આવી ગયો દીકરો- પછી જે થયું તે જોઈને હસીને લોટપોટ થઈ જશો

પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
પાણીની ટાંકી તોડવા માટે ટાંકી ઉપર ચડ્યું JCB, જુઓ વીડિયો
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
અમદાવાદના નામાંકિત દાસ ખમણને AMCએ માર્યું સીલ
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
ડીસાના રામપુરમા 20 વર્ષથી પાકો રસ્તો જ નથી, નેતાઓ સામે રોષે ભરાયા લોકો
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિ સૂર્ય-ચંદ્ર જેટલી અમર અને અમિટ છે
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ગાંધીજીના નામથી એલર્જી હોવાથી ભાજપે મનરેગાનું નામ બદલી G RAM G કર્યું
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
ભાજપના પ્રચાર પત્ર સાથે કવરમાં રૂપિયા અપાયાનો વીડિયો વાયરલ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
બહારનું ખાતા પહેલા ચેતજો! ઊંધિયું, જલેબી વેચતા વેપારીઓના ત્યાં ચેકિંગ
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
PM મોદીની ડિગ્રી મામલો, હાઈકોર્ટનો કડક અભિગમ, કેજરીવાલને લાગ્યો ઝટકો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">