AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે ઈમોજીનો કલર પીળો જ કેમ રાખવામાં આવે છે? આ છે જવાબ

તમે જોયું હશે કે ભલે તમે ગમે તે પ્લેટફોર્મ પર ઈમોજીનો ઉપયોગ કરો પણ આ સ્માઈલીઓનો રંગ હંમેશા પીળો હોય છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે તે આખરે કેમ પીળો જ હોય છે?

શું તમે ક્યારે પણ વિચાર્યું છે કે ઈમોજીનો કલર પીળો જ કેમ રાખવામાં આવે છે? આ છે જવાબ
પ્રતીકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 13, 2021 | 8:13 PM
Share

હવે ફોન પર કોલિંગની સાથે ચેટિંગ પણ ટ્રેન્ડમાં છે. હાલ તો ચેટિંગ લોકોની આદતોમાં બની ગઈ છે. આ ચેટિંગમાં ઈમોજીનો (Emojis) ઉપયોગ શબ્દો સાથે તમારા અભિવ્યક્તિઓને ઉમેરવા માટે થાય છે. ઈમોજી દ્વારા તમે ચેટિંગ દ્વારા તમારી લાગણીઓ પણ વ્યક્ત કરી શકો છો અને કહી શકો છો કે તમે ખુશ છો કે નહીં અથવા તમારા મનમાં શું છે. તમે પણ ચેટિંગ દરમિયાન તેનો ઘણો ઉપયોગ કરતા હશો, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઈમોજીનો રંગ પીળો કેમ છે?

ફક્ત ફોન પર જ નહીં, પરંતુ સ્માઈલી વાળા રમકડાં અથવા અન્ય વસ્તુઓનો રંગ પણ પીળો છે. આ સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ છીએ કે આ સ્માઈલીનો રંગ પીળો કેમ છે અને તેની પાછળની શું કહાની છે. આવો જાણીએ.

ઈમોજીનો ટ્રેન્ડ કેવી રીતે શરૂ થયો?

ઈમોજીની શરૂઆત વર્ષ 1963ની હોવાનું માનવામાં આવે છે અને તેનો ઉપયોગ સૌપ્રથમ કંપનીના કર્મચારીઓના મનોબળને વધારવા માટે કરવામાં આવ્યો હતો. કહેવાય છે કે એક સમયે સ્ટેટ મ્યુચ્યુઅલ લાઈફ એશ્યોરન્સ કંપની ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહી હતી.

આ સમયે કંપનીએ કર્મચારીઓના મનોબળને વેગ આપવા માટે એક ગ્રાફિક ડિઝાઈનરની નિમણૂક કરી અને તેણે એક ઈમોજી બનાવ્યું હતું. આ પ્રતીક પીળા રંગનું હતું અને તેના પર હસતો ચહેરો બનાવવામાં આવ્યો હતો. આની કર્મચારીઓ પર મોટી અસર પડી અને તેની ચર્ચા થવા લાગી હતી.

એટલે કે જ્યારે ઈમોજી પ્રથમ વખત બનાવવામાં આવ્યું હતું, ત્યારે તે માત્ર પીળો હતો. આ સ્થિતિમાં એવું માની શકાય કે તેની શરૂઆત પીળા રંગથી થઈ હતી, તેથી આ ટ્રેન્ડ આગળ પણ ચાલુ રહ્યો છે. ખરેખર પહેલા તેનો ઉપયોગ હેપ્પી ફેસ માટે થતો હતો, પરંતુ હવે ઘણા પ્રકારના ઈમોજી બનાવવામાં આવ્યા છે. અગાઉ ઈમોજીનો ઉપયોગ ખુશી વ્યક્ત કરવા માટે થતો હતો અને તે વ્યક્તિના ચહેરાના હાવભાવના રૂપમાં દર્શાવવામાં આવતો હતો.

આખરે પીળો કલર જ કેમ?

જો આપણે પીળા રંગની વાત કરીએ તો તેની પાછળ ઘણી દલીલો માનવામાં આવે છે. એક એવું કહેવાય છે કે ચહેરાનો પીળો રંગ પસંદ કરવામાં આવ્યો છે કારણ કે તે રંગભેદથી ભરેલો છે. તે ગોરા અને કાળાથી અલગ છે. ઉપરાંત પીળો રંગ સુખ સાથે સંકળાયેલો છે અને સૂર્ય સાથે જોડાય ત્યારે તેને સુખનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે પીળો રંગ તેથી તેની સાથે સંકળાયેલ છે. આ સાથે જ પીળો કલર હકારાત્મક લાગણી આપે છે, તેથી તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

શું છે ઈમોજી ડેની કહાની?

આ ઈમોજી જાપાનીઝ ડિઝાઈનર શિગેટાકા કુરિતા દ્વારા ડેવલપ કરવામાં આવ્યું હતું. આ સમયે તે માત્ર 25 વર્ષની હતી. વર્ષ 1999માં તેમણે ઈમોજીના 176 સેટ તૈયાર કર્યા, તે નાના ડોટનાફોર્મમાં હતા. તે એટલું ગમ્યું કે તેને ન્યુયોર્કના મ્યુઝિયમ ઓફ મોર્ડન આર્ટમાં કાયમી સંગ્રહ તરીકે શણગારવામાં આવ્યું. ઈમોજી પીડિયાના સ્થાપક જેરેમી બર્ગે વિશ્વ સાથે ઈમોજીની સિદ્ધિની ઉજવણી માટે 17 જુલાઈને વર્લ્ડ ઈમોજી ડે તરીકે જાહેરાત કરી હતી, પ્રથમ ઈમોજી ડે 2014માં ઉજવવામાં આવ્યો હતો.

2021માં સૌથી વધારે ક્યાં ઈમોજી?

લોકોએ ટ્વીટર પર એકબીજા પર ઘણો પ્રેમ વરસાવ્યો અને 2021માં આંખોથી પ્રેમ વરસાવતા ઈમોજીનો ઘણો ઉપયોગ થયો. આ વર્ષે લોકોએ ટ્વીટર પર ઘણું દુઃખ અને પીડા વ્યક્ત કરી. જેના કારણે રડતા ઈમોજીને પણ 2021માં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા ઈમોજીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

2021માં લોકો દવાઓ, ઈન્જેક્શન અને હોસ્પિટલો માટે એકબીજાને વિનંતી કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં વિનંતી કરતો ચહેરો ઈમોજીનો પણ ઘણો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લોકોએ ટ્વીટર પર એકબીજા પર ઘણો પ્રેમ વરસાવ્યો અને 2021માં આંખોથી પ્રેમ વરસાવતા ઈમોજીનો ઘણો ઉપયોગ થયો હતો.

આ પણ વાંચો : મનીષ મહેશ્વરીને ટ્વિટર ઇન્ડિયામાંથી હટાવી દેવાયા, હવે અમેરિકામાં કરશે કામ

આ પણ વાંચો : Viral Video: મમ્મી-પપ્પા ખાઈ રહ્યા હતા આઈસ્ક્રીમ, અચાનક આવી ગયો દીકરો- પછી જે થયું તે જોઈને હસીને લોટપોટ થઈ જશો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">