AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Alert: જો તમને પણ આવે છે લોટરી જીતવાનો ફોન કે મેસેજ તો થઈ જાવ સાવધાન નહીં તો થઈ જશો ઠન-ઠન ગોપાલ

શું તમને પણ કોઈ ફોન કોલ કે ઈમેઈલ કે મેસેજ મળ્યો છે જેમાં તમને કહેવામાં આવ્યું છે કે તમને લોટરી લાગી છે. જો હા, તો આ લેખ અચૂક વાંચો.

Alert: જો તમને પણ આવે છે લોટરી જીતવાનો ફોન કે મેસેજ તો થઈ જાવ સાવધાન નહીં તો થઈ જશો ઠન-ઠન ગોપાલ
File photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2021 | 8:47 PM
Share

શું તમને પણ આવો કોઈ ફોન કોલ (Call) કે ઈમેઈલ કે મેસેજ મળ્યો છે જેમાં તમને કહેવામાં આવ્યું છે કે તમે લોટરી જીતી લીધી છે. જો હા તો આ સંપૂર્ણપણે ખોટું છે. આ પ્રકારના મેસેજ કે કોલ પર બિલકુલ વિશ્વાસ ન કરો. આ તમને છેતરપિંડીનો શિકાર બનાવી શકે છે. PIB ફેક્ટ ચેકે આ અંગે માહિતી આપી છે.

શું કહ્યું છે તેમાં?

પીઆઈબી ફેક્ટ ચેકે ટ્વિટ કર્યું છે કે ફોન કોલ, ઈમેઈલ અથવા મેસેજ લોકોને છેતરપિંડીના હેતુથી કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું કે લોકોને કહેવામાં આવી રહ્યું છે કે તેમણે લોટરી જીતી લીધી છે. PIB ફેક્ટ આ દાવાને સંપૂર્ણપણે ખોટો અને નકલી ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ભારત સરકારને આ લોટરી સાથે કોઈ લેવાદેવા નથી.

આ સાથે તેણે ટ્વિટર હેન્ડલ દ્વારા કહ્યું છે કે આવા નકલી કોલ, ઈમેઈલ અથવા સંદેશાઓ પર તમારી કોઈપણ માહિતી શેર કરશો નહીં. આમ કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો. આજકાલ સાયબર ક્રાઈમના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થિતિમાં ગુનેગારો માટે લોકોને છેતરપિંડીનો શિકાર બનાવવાનો આ એક રસ્તો પણ બની શકે છે.

આ રીતે તેઓ છેતરપિંડીનો ભોગ બને છે

દિલ્હી પોલીસના સાયબર ક્રાઈમ યુનિટે પણ પોતાની વેબસાઈટ પર આ માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે આવા સાયબર ફ્રોડમાં છેતરપિંડી કરનારાઓ તમને અજાણ્યા નંબરો પરથી વોટ્સએપ મેસેજ મોકલે છે. આમાંથી મોટાભાગના નંબરો +92થી શરૂ થાય છે, જે પાકિસ્તાનનો ISD કોડ છે.

એવો દાવો કરવામાં આવે છે કે તમારા મોબાઈલ નંબરે કૌન બનેગા કરોડપતિ અને રિલાયન્સ જિયો દ્વારા આયોજિત સંયુક્ત લોટરી જીતી છે. આમાં કહેવામાં આવ્યું છે કે તેમને પુરસ્કારમાં 25 લાખ રૂપિયા મળશે. તેમના દ્વારા દાવો કરવામાં આવે છે કે આ લોટરી મેળવવા માટે તેઓએ કોઈ એવા વ્યક્તિનો સંપર્ક કરવો પડશે, જેનો નંબર વોટ્સએપ મેસેજમાં આપવામાં આવ્યો છે.

દિલ્હી પોલીસે માહિતી આપી છે કે જ્યારે પીડિતા ઉલ્લેખિત નંબર પર સંપર્ક કરે છે, ત્યારે ગુનેગાર તેને લોટરીની પ્રક્રિયા માટે કેટલીક રિફંડપાત્ર રકમ સાથે જીએસટી વગેરે ચૂકવવાનું કહે છે. એકવાર પીડિત તે રકમ જમા કરાવે છે પછી તેઓ કોઈને કોઈ બહાના હેઠળ વધુ માંગવા લાગે છે. ગુનેગારો માત્ર WhatsApp દ્વારા વાતચીત કરે છે.

આ પણ વાંચો : થોમસ નામના ‘હેકર’ને કારણે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વોટ્સએપ ઠપ્પ થઈ ગયા, એફબીઆઈ ટૂંક સમયમાં ગુનેગારને પકડશે

આ પણ વાંચો : T20 WC : લો બોલો પાકિસ્તાનની ટીમનો પાવર તો જુઓ, એક પણ મેચ ભારત સામે જીતી નથી અને કહે છે ભારતની ટીમ પાસે પાકિસ્તાનની ટીમ જેટલી પ્રતિભા નથી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">