Aadhar Card : શું સોશિયલ મીડિયા પર આધાર નંબર શેર કરવો બની શકે છે ખતરનાક ? જાણો UIDAI શું કહે છે

આધાર કાર્ડમાં માત્ર આપણું નામ, પિતાનું નામ, ઘરનું સરનામું જ નથી પણ આપણી ખૂબ જ અંગત વિગતો પણ છે. આ જ કારણ છે કે તેને ઓળખનો અદ્ભુત પુરાવો કહેવામાં આવે છે.

Aadhar Card : શું સોશિયલ મીડિયા પર આધાર નંબર શેર કરવો બની શકે છે ખતરનાક ? જાણો UIDAI શું કહે છે
aadhar card
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 13, 2021 | 7:58 AM

આજના વર્તમાન સમયમાં આપણે ઘણા દસ્તાવેજોનો ઉપયોગ આપણી ઓળખ તરીકે કરી શકીએ છીએ. પરંતુ, આધાર એ આ સમયે ઉપયોગમાં લેવાતો ઓળખનો સૌથી અસરકારક દસ્તાવેજ છે, જેના વિના આપણા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી શકે છે. બેંકમાં ખાતું ખોલાવવું હોય કે નવો મોબાઈલ નંબર મેળવવો હોય, આપણને લગભગ દરેક જગ્યાએ આધાર કાર્ડની (Aadhar Card) જરૂર હોય છે. 

આધાર કાર્ડમાં માત્ર આપણું નામ, પિતાનું નામ, ઘરનું સરનામું જ નથી પણ આપણી ખૂબ જ અંગત વિગતો પણ છે. આ જ કારણ છે કે તેને ઓળખનો અદ્ભુત પુરાવો કહેવામાં આવે છે.

આધાર કાર્ડમાં રહેલા યુનિક આઈડી નંબર ખૂબ જ સરળ છે અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો તેની ગંભીરતાને સમજી શકતા નથી. સામાન્ય રીતે આધાર નંબર સાથે કોઈ છેતરપિંડી થતી નથી, પરંતુ વર્તમાન સમયમાં કોઈપણ પ્રકારનું જોખમ લેવું ભારે પડી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

આધાર નંબર કેમ શેર ન કરવો જોઈએ વાસ્તવમાં, તમારી તમામ ગોપનીય માહિતી આધાર પરના યુનિક ID નંબરમાં રહેલ છે. તમારું નામ, પિતા કે પતિનું નામ, ઘરનું સરનામું, શારીરિક ઓળખ વગેરે આધાર નંબર દ્વારા શોધી શકાય છે. કોઈપણ ગુનેગાર તમારી ગોપનીયતાને જોખમમાં મૂકવા માટે આટલી માહિતી ખૂબ જ વધારે છે.

ઘણા આધાર કાર્ડ ધારકો વારંવાર આ પ્રશ્ન પૂછે છે કે તેમની ઓળખ સાબિત કરવા માટે દરેક જગ્યાએ આધારનો ઉપયોગ કરવામાં આવે છે પરંતુ UIDAI શા માટે આધાર નંબર જાહેર કરવાનો ઇનકાર કરે છે?

આધાર નંબર શેર કરવા અંગે UIDAI શું કહે છે આ પ્રશ્નના જવાબમાં UIDAI કહે છે કે PAN કાર્ડ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, બેંક ચેકનો પણ દરેક જગ્યાએ ઉપયોગ થાય છે પરંતુ અમે આ દસ્તાવેજો પર નોંધાયેલા નંબરોને કોઈપણ રીતે સાર્વજનિક નથી કરતા. જ્યારે જરૂરી હોય ત્યારે જ અમે આ દસ્તાવેજોનો ઉપયોગ કરીએ છીએ. એ જ રીતે, આધારનો ઉપયોગ પણ જરૂરિયાત પર જ કરવો જોઈએ. આમ કરવાથી તમારી ગોપનીય માહિતી લીક થઈ શકે છે અને તેનો દુરુપયોગ પણ થઈ શકે છે.

આ પણ વાંચો : સંસ્કૃતિ મંત્રાલયે લોન્ચ કરી ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ મોબાઈલ એપ, આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી સંબંધિત મળશે માહિતી

આ પણ વાંચો : Happy Birthday Aryan Khan : જુહી ચાવલાએ શાહરુખના લાડલાને અનોખા અંદાજમાં કર્યું બર્થડે વિશ, બાળપણની તસ્વીર શેર કરી લીધો આ સંકલ્પ

Latest News Updates

આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આકરા ઉનાળા વચ્ચે વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
g clip-path="url(#clip0_868_265)">