જાણો શું છે આ Oximeter ડિવાઇસ, ઘરે કોરોનાની સારવાર દરમિયાન કેટલું જરૂરી?

|

Apr 23, 2021 | 2:15 PM

ઓક્સિમીટરની મદદથી લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન સ્તર અને ઓક્સિજનના સ્તરને સરળતાથી ચકાસી શકાય છે. જેને લઈને અત્યારે ખુબ માંગ વધી છે.

જાણો શું છે આ Oximeter ડિવાઇસ, ઘરે કોરોનાની સારવાર દરમિયાન કેટલું જરૂરી?
Oximeter

Follow us on

હેલ્થલાઇન મુજબ, પલ્સ ઓક્સિમીટર એ એક ઉપકરણ છે જેની મદદથી આપણે પોતે લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન સ્તર અને ઓક્સિજનના સ્તરને સરળતાથી ચકાસી શકીએ છીએ. આ એક ડિજિટલ છે તે એક નાની ક્લિપ જેવું લાગે છે, જેના પર ડિસ્પ્લે મશીન હોય છે. તેને થોડીવાર માટે અમારી આંગળી પર ભરાવી રાખવાથી લોહીમાં ઓક્સિજન સેચ્યુરેશન સ્તર માપી શકાય છે. ખરેખર લોહીમાં ઓક્સિજનનો પ્રવાહથી શરીરના બધા અવયવોની યોગ્ય કામગીરીની તપાસ થઇ શકે છે. આવી સ્થિતિમાં, આ ઉપકરણ શરીરમાં થતા નાના ફેરફારોને પણ પકડે છે અને ડિસ્પ્લેની મદદથી કહે છે. આ એક પીડારહિત ઉપકરણ છે.

આ કેવી રીતે કામ કરે છે

કોરોના દર્દીઓને દિવસમાં ઓછામાં ઓછા 3 થી 4 વખત ઓક્સિજન લેવલની તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે. પલ્સ ઓક્સિમીટર એ લોકો માટે સૌથી મહત્વપૂર્ણ ઉપકરણ છે કે જેઓ તેમના ઘરોમાં એકાંતમાં સારવાર લઈ રહ્યા છે. હેલ્થલાઈન મુજબ એક પલ્સ ઓક્સિમીટર ત્વચા પર ડીમ લાઈટ છોડે છે અને રક્તકણોની ગતિ અને તેમના રંગને શોધી શોધી છે. તે લોહીના કોષોના રંગને આધારે ઓક્સિજનના લેવલને માપે છે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

ઓક્સિજનનું સ્તર કેટલું હોવું જોઈએ

ખાનગી સમાચાર સંસ્થાના અહેવાલ અનુસાર સ્વસ્થ વ્યક્તિના શરીરમાં 96 ટકા ઓક્સિજનનીં લેવલ હોવું જોઈએ. જો તમારું ઓક્સિજનનું સ્તર 95 ટકાથી નીચે આવે છે, તો તે ભયના સંકેત હોઈ શકે છે. જો તમારું ઓક્સિજનનું સ્તર 90 અથવા 93 ટકા કરતા ઓછું છે, તો દર્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે. આવી સ્થિતિમાં, શરીરમાં ઓક્સિજનના સ્તર પર સતત નજર રાખવા માટે ઘરે આ ઉપકરણ રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

 

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

આ પણ વાંચો: જ્યાં રસીકરણ વધુ, ત્યાં કોરોનાથી જીવ જવાનું જોખમ ઓછું: પુરાવા આપે છે આ આંકડા

આ પણ વાંચો: પતંજલિમાં 83 કોરોના પોઝિટિવ કેસ મળ્યા, બાબા રામદેવનો પણ થઇ શકે છે કોવિડ ટેસ્ટ

Next Article