ફેક્ટરીઓની છત પર ગોળ-ગોળ શું ફરતું રહેતું હોય છે? ઘણી વાર આ સવાલ તમને પણ થયો હશે

|

May 10, 2021 | 8:48 PM

તમે તમારી આસપાસની ફેક્ટરીઓની છત પર સ્ટેનલેસ સ્ટીલથી બનેલા નાના ગુંબજ જોયા હશે. આ ગુંબજ, જે સૂર્યપ્રકાશમાં ખૂબ તેજસ્વી દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુ શું છે?

ફેક્ટરીઓની છત પર ગોળ-ગોળ શું ફરતું રહેતું હોય છે? ઘણી વાર આ સવાલ તમને પણ થયો હશે
File Image

Follow us on

આપણે બધા આપણી આસપાસ એવી ઘણી વસ્તુઓ જોઈએ છીએ જેના વિશે આપણે જાણવા માંગીએ છીએ. પણ ઈચ્છા કરીને પણ જાણી શકતા નથી. આ બધામાં એક કોમન પર્શ્ન છે, જે બાળપણથી આપણે સૌ જોતા આવ્યા છીએ. અને એ છે કે તમે તમારી આસપાસની ફેક્ટરીઓની છત પર સ્ટેનલેસ સ્ટીલથી બનેલા નાના ગુંબજ જોયા હશે. આ ગુંબજ, જે સૂર્યપ્રકાશમાં ખૂબ તેજસ્વી દેખાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ વસ્તુ શું છે અને તેનું શું કામ છે?

આ ઉપકરણોને ઘણા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે

આ વસ્તુ જે ફેક્ટરીઓની છત પર ફરતા ગુંબજની જેમ દેખાય છે તેને ટર્બો વેન્ટિલેટર (Turbo Ventilator) કહેવામાં આવે છે. તે એર વેન્ટિલેટર (Air Ventilator), ટર્બાઇન વેન્ટિલેટર (Turbine Ventilator), રૂફ એક્સ્ટ્રેક્ટર (Roof Extractor) વગેરે જેવા ઘણા નામોથી પણ ઓળખવામાં આવે છે. હાલમાં ટર્બો વેન્ટિલેટર ફક્ત ફેક્ટરીઓ અને મોટા સ્ટોર્સમાં જ નહીં, પરંતુ અન્ય મોટા પરિસરમાં પણ સ્થાપિત થયેલ હોય છે. તેમજ તેને ઘણા મોટા રેલ્વે સ્ટેશનોની છત પર ફરતા જોઈ શકો છો.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટર્બો વેન્ટિલેટરનું મુખ્ય કામ શું છે?

છત પર લગાવેલા ટર્બો વેન્ટિલેટરના પંખા ધીમી ગતિએ ચાલ્યા કરે છે. તેમનું મુખ્ય કામ ફેક્ટરીઓ અથવા કોમ્પ્લેક્સની અંદરના ગરમ પવનોને છત દ્વારા બહાર કાઢવાનું હોય છે. જ્યારે તે ગરમ પવનને બહાર ફેંકી દે છે, ત્યારે બારી અને દરવાજામાંથી આવતો તાજો અને કુદરતી પવન લાંબા સમય સુધી કારખાનાઓમાં રહે છે, જે કર્મચારીઓને ઘણી રાહત આપે છે.

ગરમ પવન સિવાય ગંધને પણ ફેંકી દે છે બહાર

ટર્બો વેન્ટિલેટર કારખાનામાંથી ગરમ પવન તેમજ ગંધને બહાર રાખવાનું કામ કરે છે. માત્ર આ જ નહીં, જ્યારે હવામાન બદલાય છે, ત્યારે તે અંદરના ભેજને પણ બહાર કરી દે છે.

 

આ પણ વાંચો: એક ભૂલ પડી ગઈ ભારે, સોશિયલ મીડિયામાં ઉઠી મુનમુન દત્તાની ધરપકડની માંગ, જાણો મામલો

આ પણ વાંચો: કેટલી માઇલેજ આપે છે ભારતીય રેલનું ડીઝલ એન્જિન? કેમ હંમેશા ચાલુ રાખવું પડે છે એન્જિન?

Published On - 8:45 pm, Mon, 10 May 21

Next Article