રાષ્ટ્રપતિ સચિવાલયે નિવેદન આપતા કહ્યું કે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય ખોટી માહિતી અને ખોટા સમાચાર ફેલાયા પછી લેવામાં આવ્યો છે. તેમને કહ્યું કે સુરક્ષાદળો આ હુમલાની કડક તપાસ કરી રહ્યાં છે અને તપાસ પૂરી થવા સુધી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લાગૂ રહેશે.
શ્રીલંકાના કાયદા અમલીકરણ સંસ્થાએ હુમલા પછી લોકોને તેમના ઘરમાં જ રહેવાની, હુમલાના સ્થળો કે હોસ્પિટલમાં નહી જવાની અપીલ કરી છે. ભંડારનાયક આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી જવાવાળા લોકોને સુરક્ષા પ્રક્રિયાને લીધે પ્રસ્થાન સમયના 4 કલાક પહેલા આવવું પડશે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]