AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Government Alert : કોઇ પણ અજાણ્યા ફોન પર વાત કરતી વખતે કોલ ન કરતા મર્જ, નહીં તો ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ

જો તમે કોઈ છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તમે હેલ્પલાઈન નંબર 155260 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવી શકો છો.

Government Alert : કોઇ પણ અજાણ્યા ફોન પર વાત કરતી વખતે કોલ ન કરતા મર્જ, નહીં તો ખાલી થઇ શકે છે બેન્ક એકાઉન્ટ
Never Merge calls while talking with strangers alerts Government
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 4:34 PM
Share

સાયબર ફ્રોડના (Cyber Fraud) વધતા જતા મામલાને જોતા સરકારે એલર્ટ આપ્યું છે. સાયબર અપરાધીઓ નવી રીતે લોકોને છેતરી રહ્યા છે. કોરોના (Coronavirus) સમયગાળા દરમિયાન સાયબર ફ્રોડના કેસમાં વધારો થયો છે. તેથી સાવચેતી જરૂરી છે. આ અંગે સરકારે લોકોને ચેતવણી આપી છે.

ભારતના ગૃહ મંત્રાલયે OTP ફ્રોડ અંગે લોકોને ચેતવણી જાહેર કરી છે. સાયબર દોસ્તે લોકોને ચેતવણી આપી છે કે કોલ દ્વારા પણ OTP ચોરાઈ શકે છે. સાયબર દોસ્ત એ ગૃહ મંત્રાલયનું ટ્વિટર હેન્ડલ છે, જે સાયબર સુરક્ષા અંગેની માહિતી શેર કરે છે.

સાયબર દોસ્તે જાહેર કર્યું એલર્ટ

સાયબર દોસ્તે પોતાના ટ્વીટમાં કહ્યું કે, ફોન પર અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી વખતે અન્ય કોઈ કોલને ક્યારેય મર્જ ન કરો. કૉલ મર્જ થતાં જ છેતરપિંડી કરનાર OTP જાણીને તમારું એકાઉન્ટ જાણી શકે છે. જાગૃત રહો, સજાગ રહો. જો તમે છેતરપિંડીનો શિકાર બન્યા છો, તો તમે cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

લોકોને ઓનલાઈન છેતરપિંડીથી બચાવવા માટે બેંક અને સરકાર દ્વારા સૂચનાઓ પણ આપવામાં આવે છે, પરંતુ છેતરપિંડી કરનારા લોકો અવનવી રીતે છેતરપિંડી કરે છે અને લોકો સરળતાથી છેતરપિંડીનો શિકાર બને છે. પરંતુ કેટલીક રીતો છે, જેને અનુસરીને તમે ઓનલાઈન છેતરપિંડીથી બચી શકો છો.

ભલે તે ડિજીટલ પેમેન્ટ હોય કે બેંક સંબંધિત કોઈપણ પેમેન્ટ કરતી વખતે, OTP નંબર તમારા ફોન પર ચોક્કસપણે આવે છે. તે પછી જ તમારો વ્યવહાર પૂર્ણ થશે. તેથી ધ્યાનમાં રાખો કે, તમારો OTP નંબર કોઈની સાથે શેર કરશો નહીં. ઉપરાંત, મોટાભાગના લોકો તેમના OTP નંબર ફોન અને મેસેજ દ્વારા પણ શેર કરે છે. ભૂલથી પણ આવા OTP શેર ન કરો, તેનાથી તમારી સાથે છેતરપિંડી થઈ શકે છે.

મોટાભાગના સ્થળોએ લોકોને ફ્રી વાઈફાઈની સુવિધા આપવામાં આવી રહી છે. મેટ્રો, રેલ્વે સ્ટેશન, પાર્ક સહિત આવી ઘણી જગ્યાએ ફ્રી વાઈફાઈની સુવિધા છે. ઘણીવાર લોકો ઇન્ટરનેટ બચાવવા માટે પબ્લિક વાઇફાઇ દ્વારા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરે છે. આ ફ્રી વાઈફાઈમાં કેટલીક છેતરપિંડી પણ થઈ શકે છે. આ સ્થિતિમાં, જો તમે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો, તો બેંક સંબંધિત તમારી અંગત માહિતી તેમની પાસે જાય છે. તો ધ્યાનમાં રાખો કે, પબ્લિક વાઇફાઇ પર ક્યારેય પણ તમારા વ્યવહારો ન કરો.

આ પણ વાંચો –

દાંત અને Bluetoothને શું લેવા દેવા ? શા માટે કહેવાય છે Bluetooth, જાણો તેના નામ પાછળની કહાની

આ પણ વાંચો –

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">