AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chandrayaan 3 : ભારત તો ચંદ્રયાન-3 વડે ચાંદ પર પહોચશે પણ પાકિસ્તાન ક્યાં ? ચંદ્રયાન-3ને લઈને જિન્ના લેન્ડમાં કેમ છે ખળભળાટ ?

ભારતના ચંદ્ર મિશન એટલે કે ચંદ્રયાન 3 ને લઈને પાકિસ્તાનમાં પણ ખુબ જ ચર્ચા થઈ રહી છે. ત્યાંના લોકો ચંદ્રયાન 3 ઝિંદાબાદના નારા લગાવી રહ્યા છે અને ચંદ્રયાન 3 ની સફળતા માટે દુઆ કરી રહ્યા છે. આ સાથે પાકિસ્તાનના લોકો તેમની સરકારની ટીકા કરી રહ્યા છે. પાકિસ્તાનની એજન્સી સુપાર્કો, ભારતની ઈસરોની સામે નબળી સાબિત થઈ છે.

Chandrayaan 3 : ભારત તો ચંદ્રયાન-3 વડે ચાંદ પર પહોચશે પણ પાકિસ્તાન ક્યાં ? ચંદ્રયાન-3ને લઈને જિન્ના લેન્ડમાં કેમ છે ખળભળાટ ?
Chandrayaan 3
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 1:57 PM
Share

ભારતનું મૂન મિશન તેના છેલ્લા તબક્કામાં છે. 23 ઓગસ્ટે સાંજે 6.04 કલાકે લેન્ડર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. એટલે કે, ચંદ્ર મિશનની સફળતા માટે કાઉન્ટડાઉન થઈ ગયું છે. સમગ્ર વિશ્વની નજર હાલમાં ચંદ્રયાન-3 પર ટકેલી છે, કારણ કે રશિયાનું લુના ચંદ્રની સપાટી પર પહોંચતા પહેલા જ ક્રેશ થઈ ગયું હતું. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ એ જાણવાનો પ્રયાસ કરી રહ્યો છે કે શું ભારતનું ચંદ્રયાન-3 ચંદ્ર પર પહોચવાની રેસ જીતશે. જિન્નાલેન્ડ એટલે કે પાકિસ્તાનની નજર પણ ચંદ્રયાન પર છે. પાડોશી દેશમાં ચંદ્રયાન-3ને લઈને અશાંતિ છે. અહીંના લોકો પોતાના દેશની સરકાર અને સિસ્ટમને કોસતા રહે છે. જાણો, ચંદ્રયાન-3ને લઈને પાકિસ્તાનમાં શા માટે લોકોમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.

ચંદ્રયાન-3 મિશનનું લેન્ડર મોડ્યુલ ચંદ્રની સપાટીથી માત્ર 25 કિલોમીટર દૂર પરિભ્રમણ કરી રહ્યું છે. ચંદ્રયાન-3નું બીજું અને છેલ્લું ડિબૂસ્ટિંગ પણ સફળ રહ્યું છે. આવી સ્થિતિમાં, હવે 23 ઓગસ્ટના રોજની સાંજની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. જ્યારે ભારત ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ સાથે ઇતિહાસ રચશે. જો લેન્ડર સમયસર ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરે છે, તો તે ભારત માટે એક ઐતિહાસિક પગલું હશે, કારણ કે ચંદ્રયાન-3 મિશન પૂર્ણ થતાં, ભારત અમેરિકા, રશિયા અને ચીન પછી વિશ્વનો ચોથો દેશ બની જશે. , જે ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કર્યું છે. અમેરિકા, રશિયા અને ચીને અગાઉ ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગમાં સફળતા હાંસલ કરી છે.

પાકિસ્તાનીઓ પોતાની જ સરકારને ગાળો આપી રહ્યા છે

પાકિસ્તાન હજુ પણ એ જ લાચાર અને નિરાધાર દેશ છે, જેનું ભવિષ્ય સંપૂર્ણપણે અંધકારમાં છે. કદાચ આ જ કારણ છે કે એક તરફ પાકિસ્તાનમાં ભારતના ચંદ્રયાન-3 મિશનના ખૂબ વખાણ થઈ રહ્યા છે તો બીજી તરફ પાકિસ્તાનના લોકો પોતાની જ સરકાર, પોતાની સિસ્ટમ અને પોતાના જ પ્રતિનિધિઓને કોસતા રહ્યા છે.

પાકિસ્તાની નાગરિક અલીનું કહેવું છે કે ભારતની ટેક્નોલોજી પાકિસ્તાન કરતા ઘણી આગળ છે અને ખુબ જ શાર્પ છે. અહીં અમને 25-25 વર્ષ જૂના પુસ્તકો શીખવવામાં આવે છે, જ્યારે દર અઠવાડિયે ટેક્નોલોજી બદલાઈ રહી છે. આપણે એવું ન વિચારવું જોઈએ કે ભારતનું ચંદ્રયાન મિશન નિષ્ફળ જશે. તેના બદલે આપણે તેના માટે દુઆ કરવી જોઈએ. ભારત ફરી નિષ્ફળ જશે તેવુ વિચારીને હિન્દુસ્તાનની હાર માટે રાજી થવાને બદલે, આપણા પોતાના દમ પર ચંદ્ર પર પહોચીને ભારત સાથે સ્પર્ધા કરવી જોઈએ.

પાડોશી દેશપાકિસ્તાનમાં જેમની પણ સરકાર હતી, તેમણે માત્ર અને માત્ર પોતાના લોકો સાથે છેતરપિંડી કરી છે. લોકોને છેતર્યા છે. પાકિસ્તાનની વર્તમાન સ્થિતિ એવી છે કે આજે પાકિસ્તાનનો દરેક રહેવાસી એક-એક પૈસા માટે વલખા મારી રહ્યો છે. બે ટંક ખાવા માટે પણ પુરતા રૂપિયા નથી. જેના કારણે પાકિસ્તાનના લોકો નારાજ છે.

અહીંથી ચાંદ તો દેખાય છે, ત્યાં કેમ જવુ છે – ફવાદ ચૌધરી

ચંદ્રયાન-3 મિશનને લઈને પાકિસ્તાની લોકો તેમના રાજકારણીઓથી કેમ નારાજ છે, તેઓ દેશની નિષ્ફળતા માટે પાકિસ્તાનની સરકાર અને સિસ્ટમને કેમ જવાબદાર ઠેરવી રહ્યા છે, તો તેનું કારણ પાકિસ્તાન પર શાસન કરનાર નફ્ફટ સેના છે. થોડા મહિના પહેલા પૂર્વ વિજ્ઞાન અને ટેક્નોલોજી મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું હતું કે, ચંદ્ર પર જવાનો વિચાર શા માટે કરો છો, જ્યારે તે અહીંથી દેખાય છે. હવે વિચારો, જે દેશના વિજ્ઞાન અને ટેક્નોલોજી પ્રધાન આ પ્રકારના નિવેદન કરતા હોય તેમની માનસીકતા પણ આવી જ હોય, તે દેશ ચંદ્ર પર જવાની હિંમત ક્યારેય ના કરે ?

તમને જણાવી દઈએ કે જે રીતે ISRO એ ભારતમાં સ્પેસ એજન્સી છે. તેવી જ રીતે, પાકિસ્તાનમાં પણ સ્પેસ એજન્સી સ્પેસ એન્ડ અપર એટમોસ્ફિયર રિસર્ચ કમિશન (સુપાર્કો) છે, જેનો પાયો ઈસરો પહેલા નંખાયો હતો, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આજ સુધી પાકિસ્તાનની સ્પેસ એજન્સીએ કોઈ પણ પ્રકારનું મિશન લોન્ચ કર્યું નથી.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">