75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે રાહતના સમાચાર , ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે મુક્તિ મળી , પરંતુ આ નિયમનોનું કરવું પડશે પાલન

આવકવેરો ભરવાની મુક્તિ તે કેસોમાં ઉપલબ્ધ થશે જ્યાં વ્યાજની આવક તે જ બેંકમાંથી પ્રાપ્ત થાય જ્યાં પેન્શન જમા થાય છે.

75 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે રાહતના સમાચાર , ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવા માટે મુક્તિ મળી , પરંતુ  આ નિયમનોનું કરવું પડશે પાલન
big relief for senior citizen
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2021 | 8:16 AM

આવકવેરા વિભાગે(Income Tax Department) નાણાકીય વર્ષ 2021-22 માટે આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે 75 વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને મુક્તિ માટે ફોર્મ સૂચિત કર્યું છે. વરિષ્ઠ નાગરિકોએ આ ફોર્મ બેંકોમાં જમા કરાવવાનું રહેશે. નાણાકીય વર્ષ 2021-22 ના બજેટમાં 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે ટેક્સ રિટર્ન ભરવામાંથી મુક્તિ માટે જોગવાઈ રજૂ કરવામાં આવી છે જેમને પેન્શન આવક અને બેંકમાં ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ મળે છે. આ વરિષ્ઠ નાગરિકોને 1 એપ્રિલથી શરૂ થતા નાણાકીય વર્ષ માટે આવકવેરા રિટર્ન ભરવાની જરૂર રહેશે નહીં.

બેંકમાં ફોર્મ જમા કરાવવાનું રહેશે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) એ આવા વરિષ્ઠ નાગરિકો માટે નિયમો અને ફોર્મ જાહેર કર્યા છે. વરિષ્ઠ નાગરિકોએ આ ફોર્મ બેંકમાં જમા કરાવવાનું રહેશે, જે પેન્શન અને વ્યાજની આવક પર ટેક્સ કાપીને સરકારમાં જમા કરાવશે. આવકવેરો ભરવાની મુક્તિ તે કેસોમાં ઉપલબ્ધ થશે જ્યાં વ્યાજની આવક તે જ બેંકમાંથી પ્રાપ્ત થાય જ્યાં પેન્શન જમા થાય છે.

રિટર્ન ફાઇલ ન કરવાના ગેરફાયદા આવકવેરા કાયદા હેઠળ, નિર્દિષ્ટ મર્યાદાથી વધુ કમાણી કરતા તમામ લોકોએ રિટર્ન ફાઇલ કરવું પડશે. વરિષ્ઠ નાગરિકો (60 વર્ષ કે તેથી વધુ) અને અત્યંત વરિષ્ઠ નાગરિકો (80 વર્ષ અને તેથી વધુ) માટે આ મર્યાદા થોડી વધારે છે. ટેક્સ રિટર્ન ન ભરવાથી પેનલ્ટી ભરવી પડે છે તેમજ સ્રોત (ટીડીએસ) પર વધારાનો ટેક્સ કપાત સંબંધિત વ્યક્તિએ ચૂકવવો પડે છે.

શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો

બજેટમાં રાહત આપવામાં આવી છે નિષ્ણાંત ઇતેશ દોધીએ જણાવ્યું હતું કે 75 વર્ષ અને તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને અનુપાલનનો બોજ ઘટાડવા માટે બજેટમાં કેટલીક રાહત આપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021-22 માટે પોતાના બજેટ ભાષણમાં કહ્યું હતું કે આઝાદીની 75 મી વર્ષગાંઠ નિમિત્તે સરકાર 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો પર અનુપાલનનો બોજ ઘટાડશે.

આ પણ વાંચો :  Petrol-Diesel Price Today : આજે પેટ્રોલ – ડીઝલના ભાવમાં કેટલો થયો ઉતાર – ચઢાવ ? જાણો અહેવાલમાં

આ પણ વાંચો : SEBIએ 85 કંપનીઓના Capital Marketમાં વેપાર કરવા પર પ્રતિબંધ મૂક્યો , જાણો શું છે મામલો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">