ક્રિકેટમાંથી નિવૃતી બાદ યુવરાજસિંહનો મોટો ખુલાસો, વિચાર્યુ ન હતું કે ટીમમાંથી ડ્રોપ થઈ જઈશ

|

Sep 27, 2019 | 9:26 AM

યુવરાજસિંહે આ વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કર્યા ના 4 મહિના પછી તેમને મૌન તોડ્યુ છે કે કેમ તેમને નિવૃતી લેવી પડે. તેમને કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે તેમની સામે સતત નવા પડકારો મુક્યા, યુવરાજસિંહે નિરાશા વ્યક્ત કરી કે કોઈ પણ તેમની સાથે ના બેઠુ અને ના ટીમની યોજનાઓની જાણકારી તેમને આપી. યુવરાજે કહ્યું […]

ક્રિકેટમાંથી નિવૃતી બાદ યુવરાજસિંહનો મોટો ખુલાસો, વિચાર્યુ ન હતું કે ટીમમાંથી ડ્રોપ થઈ જઈશ

Follow us on

યુવરાજસિંહે આ વર્ષે જૂનમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતીની જાહેરાત કર્યા ના 4 મહિના પછી તેમને મૌન તોડ્યુ છે કે કેમ તેમને નિવૃતી લેવી પડે. તેમને કહ્યું કે ભારતીય ટીમ મેનેજમેન્ટે તેમની સામે સતત નવા પડકારો મુક્યા, યુવરાજસિંહે નિરાશા વ્યક્ત કરી કે કોઈ પણ તેમની સાથે ના બેઠુ અને ના ટીમની યોજનાઓની જાણકારી તેમને આપી.

યુવરાજે કહ્યું કે મેં ક્યારેય વિચાર્યુ નહતુ કે 8-9 મેચોમાંથી 2 મેચમાં ‘મેન ઓફ ધ મેચ’ રહ્યા હોવા છતાં મને ડ્રોપ કરી દેવામાં આવશે. હું ઈજાગ્રસ્ત થઈ ગયો અને મને જણાવવામાં આવ્યુ શ્રીલંકા સીરીઝ માટે તૈયાર રહે, ત્યારબાદ અચાનક યો-યો ટેસ્ટની તસવીર સામે આવી. મારી પસંદગીમાં આ યૂ-ટર્ન હતો. 36 વર્ષની ઉંમરમાં અચાનક મારે પાછુ ફરવુ પડ્યુ અને યો-યો ટેસ્ટની તૈયારી કરવી પડી. ત્યારબાદ પણ જ્યારે મેં યો-યો ટેસ્ટને ક્લિયર કર્યો તો જણાવવામાં આવ્યું કે મારે ઘરેલું ક્રિકેટ રમવાનું છે.

ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

યુવરાજસિંહે કહ્યું કે ટીમ મેનેજમેન્ટને એવુ લાગ્યુ હતું કે હું મારી ઉંમરના કારણે યો-યો ટેસ્ટ ક્લિયર નહી કરી શકુ અને ત્યારબાદ મને ટીમમાંથી કાઢવા માટે સરળતા રહેશે, હા તમે કહી શકો છો કે આ એક બહાનું હતુ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ચેમ્પિયન ઓલરાઉન્ડર યુવરાજસિંહે આ વર્ષે 10 જૂને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી દીધી હતી. યુવરાજ ભારતની 2 વિશ્વ ચેમ્પિયન ( 2007માં ટી-20 અને 2011માં વિશ્વ કપ) ટીમનો ભાગ રહ્યા અને બંને જ ટૂર્નામેન્ટસમાં તેમને પોતાના પ્રદર્શનની ખાસ છાપ છોડી હતી.

યુવરાજે એ પણ કહ્યું હતું કે રમતના છેલ્લા દિવસોમાં વરિષ્ઠ ખેલાડીઓને ટીમ મેનેજમેન્ટ દ્વારા વિશ્વાસમાં ના લેવામાં આવ્યા, દરેક ખેલાડીને તેમના ભવિષ્ય વિશે જણાવવું જોઈએ, મને પણ ના જણાવવામાં આવ્યુ, આ વસ્તુ ભારતીય ક્રિકેટમાં નથી થતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

યુવરાજસિંહે રોહિત શર્માને ટેસ્ટમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કરવા પર કહ્યું મને લાગે છે કે રોહિત શર્માને ટેસ્ટમાં પહેલેથી જ ઓપનિંગ કરવાની તક આપવી જોઈતી હતી. રોહિત શર્માને ટેસ્ટમાં ખુબ લાંબા સમય પછી ઓપનિંગમાં તક મળી, ટેસ્ટ મેચમાં ખુબ જ પહેલેથી રોહિત શર્મા પાસે ઓપનિંગ કરાવવાની હતી.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 9:25 am, Fri, 27 September 19

Next Article