Team India: શ્રીલંકા પ્રવાસે રહેલા યુઝવેન્દ્ર ચહલ અને ગૌથમ કોરોના પોઝિટિવ જણાયો, કૃણાલ સહિત ત્રીજો ખેલાડી સંક્રમિત

|

Jul 30, 2021 | 1:48 PM

શ્રીલંકા પ્રવાસે પહોંચેલી ભારતીય ટીમના વધુ બે ખેલાડીઓ કોરોના સંક્રમિત જણાયા. યઝુવેન્દ્ર ચહલ અને કે ગૌથમ કોરોના પોઝીટીવ આવતા ભારતીય ટીમ માટે ઝટકો .

Team India: શ્રીલંકા પ્રવાસે રહેલા યુઝવેન્દ્ર ચહલ અને ગૌથમ કોરોના પોઝિટિવ જણાયો, કૃણાલ સહિત ત્રીજો ખેલાડી સંક્રમિત
Yuzvendra Chahal

Follow us on

યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal ) અને કે ગૌથમ (K Gowtham) કોરોના પોઝીટીવ આવતા ભારતીય ટીમ માટે ઝટકો . લેગ સ્પીનર ચહલ અને સ્પીનર ગૌથમ બંનેનો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. જણાવવું રહ્યું કે 8 ખેલાડીની ટીમમાં બેને સામેલ હતા. અગાઉ કૃણાલ પંડ્યા (Krunal Pandya) પણ કોરોના પોઝીટીવ આવી ચુક્યો છે.

ચહલ અને ગૌતમનો કોરોના ટેસ્ટ પોઝિટીવ આવવા બાદ એ પણ જાણકારી સામે આવી છે કે બંને હાલમાં શ્રીલંકા રોકાશે. જ્યાં સુધીઓ તેઓનો કોરોના રિપોર્ટ નેગેટિવ નહી જણાય ત્યા સુધી તેઓ શ્રીલંકા રોકાશે. જ્યારે બાકીના 6 ખેલાડીઓ હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ, પૃથ્વી શો, દિપક ચાહર, મનિષ પાંડે અને ઇશાન કિશન સામેલ છે. આ તમામ ખેલાડીઓ આજે ભારત પરત ફરવા માટે રવાના થશે.

મીડિયા રિપોર્ટનુસાર યુઝવેન્દ્ર ચહલ અને ગૌતમનો કોરોના ટેસ્ટ ગુરુવારે નેગેટિવ જણાયો હતો. જોકે શુક્રવારે થયેલા ટેસ્ટમાં આ બંને ના રિપોર્ટ પોઝિટિવ જણાયા હતા.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કૃણાલ પંડ્યા સૌથી પહેલા પોઝિટિવ સામે આવ્યો

કૃણાલ પંડ્યાનો કોરોના ટેસ્ટ 27 જૂલાઇએ પોઝિટિવ આવ્યો હતો. જેના બાદ તેને તાત્કાલિક અસર થી આઇસોલેશનમાં મોકલી આપવામાં આવ્યો હતો. એટલુ જ નહી તેની સાથે સંપર્કમાં આવનારા 8 ખેલાડીઓને પણ તુરત જ આઇસોલેટ કરી દેવામાં આવ્યા હતા. આ તમામ ખેલાડીઓને અન્ય ખેલાડીઓથી અલગ કરી દેવામાં આવ્યા હતા.

શ્રીલંકા સરકારની ગાઇડલાઇન્સ મુજબ કોરોના પોઝિટિવ જણાઇ આવનારાઓ માટે 10 દિવસ ક્વોરન્ટાઇન ફરજીયાત છે. ત્યાર બાદ તેમનો ફરીથી ટેસ્ટ કરવામાં આવશે. જે રિપોર્ટ નેગેટિવ આવવા પર તેમને દેશ છોડવા પર પરવાનગી મળે છે. કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવનારાઓને 7 દિવસ માટે આઇસોલેટ થવુ જરુરી છે.

આ તરફ ટીમ ઇન્ડીયાના બાકીના ખેલાડી ભારત પરત ફર્યા છે. પૃથ્વી શો અને સૂર્યકુમાર યાદવ પણ શ્રીલંકામાં 8 ખેલાડીઓની સાથે આઇસોલેટ હતા. હવે આ દિવસોમાં ખેલાડીઓ ઇંગ્લેન્ડ માટે રવાના થશે. શ્રીલંકા પ્રવાસ પર ટીમ ઇન્ડીયા વન ડે સિરીઝ 2-1 થી જીતવામાં સફળ રહી હતી. જ્યારે T20 સિરીઝમાં કોરોનાથી પ્રભાવિત ભારતીય ટીમનુ પ્રદર્શન નબળુ રહ્યુ હતુ. જેને લઇ સિરીઝ 2-1 થી ગુમાવી હતી.

આ પણ વાંચોઃ જાણો શા માટે 2021માં થનારા ઓલિમ્પિકને Tokyo Olympics 2020 કહેવાય છે ?

આ પણ વાંચોઃ Tokyo Olympics: કોર્ટમાં પતંગિયાની જેમ ફરતી અને હરીફને હંફાવી દેતી બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, આજે ક્વાર્ટર ફાઇનલ

Published On - 1:02 pm, Fri, 30 July 21

Next Article