રાષ્ટ્રધ્વજ માટે નહીં રમી શકે ભારતીય રેસલર્સ ? દુનિયાના સૌથી મોટા સંગઠન એ આપી ધમકી

|

May 31, 2023 | 5:06 PM

Wrestlers Protest : જો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ WFIને સસ્પેંડ કરશે તો ભારતીય રેસલર્સ એ આવનારી તમામ મેચ ન્યૂટ્ર્લ ઝંડા સાથે રમવું પડશે. કોઈ પણ ભારતીય ખેલાડીઓ વર્લ્ડ રેસલિંગ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં.

રાષ્ટ્રધ્વજ માટે નહીં રમી શકે ભારતીય રેસલર્સ ? દુનિયાના સૌથી મોટા સંગઠન એ આપી ધમકી
United World Wrestling

Follow us on

Delhi : સરહદ પર તૈનાત દરેક સૈનિક ભારત માતાની રક્ષા માટે પોતાનો જીવ જોખમમાં નાખતો હોય છે. દુનિયામાં યોજાતી અલગ અલગ સ્પોર્ટસ ટુર્નામેન્ટમાં ભાગ લેતા ભારતીય ખેલાડીઓ તિરંગાની શાન માટે મહેનત કરીને મેડલ જીતતા હોય છે. પણ આવનારા સમયમાં ભારતીય રેસલર્સ તિરંગા વગર વર્લ્ડ રેસલિંગ ટુર્નામેન્ટસમાં ઉતરી શકે છે. રેસલિંગના સૌથી મોટા સંગઠન UWW એ એક નિવેદન બહાર પાડીને ભારતને ખુલ્લી ધમકી આપી છે.

છેલ્લા 1 મહિનાથી ભારતીય રેસલર્સ ભારતીય રેસલિંગ સંઘ વિરુદ્ધ યૌન શોષણના આરોપમાં પ્રદર્શન કરી રહ્યા છે. ભારતીય રેસલર્સની આ હાલતને કારણે યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ સંગઠન એ ભારતને પ્રતિબંધની ધમકી આપી છે. UWWએ જણાવ્યું છે કે આવનારા 45 દિવસમાં ભારતીય કુશ્તી મહાસંઘની ચુંટણી નહીં થાય તો WFIને આગળની ટુર્નામેન્ટ માટે સસ્પેંડ કરવામાં આવશે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

જો યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ WFIને સસ્પેંડ કરશે તો ભારતીય રેસલર્સ એ આવનારી તમામ મેચ ન્યૂટ્ર્લ ઝંડા સાથે રમવું પડશે. કોઈ પણ ભારતીય ખેલાડીઓ વર્લ્ડ રેસલિંગ ટુર્નામેન્ટમાં રાષ્ટ્રધ્વજ સાથે ભાગ લઈ શકશે નહીં.

આ પણ વાંચો : Breaking News: Wrestlers Protest- કુસ્તીબાજોએ ગંગામાં મેડલ પધરાવવાનું મોકૂફ રાખ્યુ, આગેવાનોની સમજાવટ બાદ લીધો નિર્ણય

યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગ સંગઠનની ખુલ્લી ધમકી

જણાવી દઈએ કે દિલ્હીના જંતર-મંતર પર પોતાની માંગણીઓ માટે એક મહિનાથી વિરોધ પ્રદર્શન કરી રહેલા આ રેસલર્સ 28 મેના રોજ સંસદ ભવન બહાર વિરોધ પ્રદર્શન કરવા જઈ રહ્યા હતા. ત્યારબાદ દિલ્હી પોલીસે તેને બેરિકેડ તોડવાના આરોપમાં કસ્ટડીમાં લીધા હતા. રેસલર્સ સામે ઘણી ગંભીર કલમો લગાવવામાં આવી છે. આનાથી દુઃખી થયેલા રેસલર્સ એ મંગળવારે સાંજે 6 વાગ્યે હરિદ્વારમાં ગંગા નદીમાં મેડલ ફેંકવાનું નક્કી કર્યું હતુ.

આ પહેલા કુસ્તીબાજ બજરંગ પુનિયા, વિનેશ ફોગટ અને સાક્ષી મલિકે સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “અમે આ મેડલ ગંગામાં વહેવડાવવા જઈ રહ્યા છીએ, કારણ કે તે ગંગા મા છે.” આપણે ગંગાને જેટલી પવિત્ર માનીએ છીએ, એટલી જ પવિત્રતાથી આપણે આ મેડલ સખત મહેનત કરીને હાંસલ કર્યા હતા.

આ પણ વાંચો : Wrestlers Protest: ગંગામાં મેડલ વહેવડાવવા પર બ્રિજભૂષણે કહ્યું, મેડલ વહેડાવવા ગયા પરંતુ તે મેડલ ટિકૈતને આપી દીધો જુઓ Video

રેસલર્સએ તેમના નિવેદનમાં કહ્યું હતું કે તમે બધાએ જોયું કે 28 મેના રોજ શું થયું, પોલીસે અમારી સાથે કેવું વર્તન કર્યું? કેટલી નિર્દયતાથી અમારી ધરપકડ કરવામાં આવી. અમે શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા હતા. અમારા આંદોલનના સ્થળે પણ પોલીસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને અમારી પાસેથી વસ્તુઓ છીનવી લેવામાં આવી હતી અને બીજા દિવસે ગંભીર કેસમાં અમારી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.

 

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 5:04 pm, Wed, 31 May 23

Next Article