
T20 World Cup 2026માં સૌથી મજબૂત દાવેદાર માનાતી ભારતીય ટીમને આ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં પોતાની સૌથી કઠોર હારનો સામનો કરવો પડ્યો છે. સુર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ ખિતાબ બચાવવાના મિશન પર ઉતરેલી ટીમ ઇન્ડિયાને Super 8 રાઉન્ડમાં 76 રનની મોટી હાર મળી. T20 World Cup ઇતિહાસમાં રનની દ્રષ્ટિએ ભારતની આ સૌથી મોટી હાર ગણાઈ રહી છે.
આ પરાજય સાથે ટીમ ઇન્ડિયાની સતત જીતની શ્રેણી તૂટી ગઈ છે અને સાથે જ સેમિફાઇનલ સુધી પહોંચવાનો રસ્તો પણ વધુ જટિલ બની ગયો છે. અત્યાર સુધી દમદાર પ્રદર્શન કરનાર ભારતીય ટીમ માટે હવે પરિસ્થિતિ પડકારજનક બની ગઈ છે. સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે ભારતને હવે બાકી રહેલી બંને મેચોમાં જીત અનિવાર્ય બની ગઈ છે.
પરંતુ માત્ર બંને મેચ જીતવી પૂરતી સાબિત થાય તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. ટીમને પોતાના પ્રદર્શન સાથે સાથે અન્ય ટીમોના પરિણામો અને નેટ રન રેટ પર પણ નિર્ભર રહેવું પડી શકે છે. એટલે કે, હવે ભારત માટે દરેક મેચ ‘કરો અથવા મરો’ જેવી પરિસ્થિતિ બની ગઈ છે, જ્યાં નાની ભૂલ પણ ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું કારણ બની શકે છે.
અમદાવાદના Narendra Modi Stadiumમાં 22 February એ રમાયેલી મેચમાં ભારતીય ટીમ બેટિંગ અને બોલિંગ બંનેમાં દક્ષિણ આફ્રિકા સામે પાછળ રહી ગઈ. બોલરોએ સારો પ્રયાસ કરીને દક્ષિણ આફ્રિકાને 187 રન સુધી રોકી, પરંતુ બેટિંગ સંપૂર્ણ નિષ્ફળ ગઈ. ભારતીય ટીમ માત્ર 111 રન પર ઓલઆઉટ થઈ અને દક્ષિણ આફ્રિકાએ મોટી જીત નોંધાવી.
આ પરાજયથી ભારતનું નેટ રન રેટ (-3.800) હાલ નકારાત્મક પર છે, જે હવે સેમિફાઇનલ માટેનો માર્ગ વધુ જટિલ બનાવે છે.
આ પરિસ્થિતિમાં હવે સેમિફાઇનલનું ટિકિટ કેવી રીતે મળશે? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે દરેક ફેનના મનમાં ઉઠી રહ્યો છે. તેનો સૌથી સીધો જવાબ છે ,બાકી રહેલી બંને મેચોમાં જીત. ટીમ ઇન્ડિયાનો આગામી મુકાબલો 26 ફેબ્રુઆરીએ ઝિમ્બાબ્વે સામે છે, ત્યાર પછી Group Match 1 March એ West Indies સામે રમાશે. જો ભારત આ બંને મેચ જીતી લે છે તો તેના કુલ 4 પોઇન્ટ થઈ જશે.
જો આવું નહીં બને તો ગણિત વધુ જટિલ બની જશે. ધારો કે India સિવાય ગ્રુપની બે અન્ય ટીમો પણ 4-4 પોઇન્ટ સુધી પહોંચે, તો પછી સેમિફાઇનલનું સ્થાન નક્કી કરવા માટે અન્ય માપદંડ લાગુ પડશે. ICCના નિયમો મુજબ, પોઇન્ટ સમાન હોય તો વધુ મેચ જીતનાર ટીમ આગળ વધે છે. જો ત્રણેય ટીમોએ 2-2 જીત મેળવી હોય, તો મામલો વધુ અટકી શકે છે.
એવી સ્થિતિમાં નિર્ણય નેટ રન રેટ (NRR) પરથી લેવાશે, અને આ જ બાબત હાલ ભારત માટે મોટી ચિંતા છે. 76 રનની ભારે હાર પછી ભારતીય ટીમનો નેટ રન રેટ -3.800 સુધી ઘટી ગયો છે, જ્યારે દક્ષિણ આફ્રિકાનો NRR 3.800 છે. તેથી હવે ભારતને ફક્ત જીત જ નહીં, પરંતુ મોટા અંતરથી જીતવાની જરૂર છે, જેથી તેનો નેટ રન રેટ સુધરી શકે.
જો ટીમ ઇન્ડિયા બાકી રહેલી બેમાંથી ઓછામાં ઓછી એક ટીમ કરતા સારો NRR હાંસલ કરી લે છે, તો તે સેમિફાઇનલમાં પહોંચવાની તક બનાવી શકે છે. નહીં તો, તેને સુપર-8 તબક્કાથી જ બહાર થવાનું જોખમ રહેશે.