ટી નટરાજન (T Natarajan) ભારતીય ટીમ સાથે મર્યાદિત ઓવર સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા ગયો હતો. ત્યારે તેને ટેસ્ટ શ્રેણી માટે નેટ બોલર તરીકે રોકી દેવામાં આવ્યો હતો. આ પછી, ટી નટરાજનને બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં રમવાની તક પણ મળી. ત્યાં તેણે બોલિંગમાં પ્રભાવશાળી કામ કર્યું. ટી નટરાજન કહે છે કે તેણે વિચાર્યું પણ નહોતું કે ઓસ્ટ્રેલિયા ટેસ્ટ મેચમાં તેનું ડેબ્યૂ થશે.
ટી નટરાજનનું કહેવું છે કે જ્યારે મને રમવા વિશે ખબર પડી ત્યારે હું પ્રેશરમાં આવી ગયો હતો. પરંતુ રમતી વખતે વિકેટ લેવી એ સ્વપ્ન જેવું હોય છે. તેણે કહ્યું કે ટેસ્ટ મેચમાં રમવું મારા માટે સ્વપ્ન સાકાર થવા જેવું હતું. તેની ખુશીના વર્ણન માટે મારી પાસે શબ્દો નથી. નટરાજને એમ પણ કહ્યું કે ટીમના સાથી ખેલાડીઓ અને બધા કોચે મારો સાથ આપ્યો.
ટી નટરાજન ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ભારત પરત ફર્યા ત્યારે તે બેંગ્લોર એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નટરાજનને ખુલ્લા રથમાં બેસાડવામાં આવ્યો અને ફૂલથી સ્વાગત કરવામાં આવ્યું. નટરાજનને કદાચ ખબર પણ નહીં હોય કે ભારત આવ્યા પછી આ રીતે તેનું સ્વાગત કરવામાં આવશે. ટી નટરાજનને બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં 3 વિકેટ લીધી હતી. તેણે એક અનુભવી બોલરની જેમ રમત રમી હતી.
નટરાજનને બ્રિસ્બેન ટેસ્ટ મેચમાં રમવાનો મોકો મળ્યો કારણ કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ ઘાયલ થયો હતો. તેની જગ્યાએ નટરાજનને લેવામાં આવ્યો હતો. એક સમયે એવું લાગતું હતું કે આ બોલિંગ ઓસ્ટ્રેલિયા માટે મુશ્કેલ નહીં રહે. પરંતુ આ ધારણાઓ ખોટી સાબિત થઈ.
ભારતીય ટીમે અંતિમ દિવસે બ્રિસ્બેન ટેસ્ટ મેચ જીતીને ઇતિહાસ રચ્યો. જેની ક્રિકેટ જગતમાં આજ સુધી ચર્ચાઓ થઈ રહી છે.