T-20: વર્ષ 2021ની સિઝન માટે મેગા ઓક્સન યોજવામાં નહી આવે, સામાન્ય હરાજીની પ્રક્રિયા યોજવામાં આવશે

|

Oct 30, 2020 | 4:23 PM

T-20 લીગની આગળના વર્ષે યોજાનારી 14 મી સિઝન માટે મેગા ઓક્શનની રાહ જોઇ રહેલા ક્રિકેટ પ્રશંસકોને આ મામલે નિરાશા મળી શકે છે. સમાચારોને અનુસાર ટી-20 લીગ 2021 માટે મેગા ઓક્સનનુ આયોજન કરવામાં નહી આવે. જોકે ખેલાડીઓને સામાન્ય હરાજી કરવામાં આવશે. મેગા ઓકશન આગળના વર્ષે થનારા ટી-20 લીગની 14 મી સીઝન પછી જ યોજવામાં આવશે. એટલે […]

T-20: વર્ષ 2021ની સિઝન માટે મેગા ઓક્સન યોજવામાં નહી આવે, સામાન્ય હરાજીની પ્રક્રિયા યોજવામાં આવશે

Follow us on

T-20 લીગની આગળના વર્ષે યોજાનારી 14 મી સિઝન માટે મેગા ઓક્શનની રાહ જોઇ રહેલા ક્રિકેટ પ્રશંસકોને આ મામલે નિરાશા મળી શકે છે. સમાચારોને અનુસાર ટી-20 લીગ 2021 માટે મેગા ઓક્સનનુ આયોજન કરવામાં નહી આવે. જોકે ખેલાડીઓને સામાન્ય હરાજી કરવામાં આવશે. મેગા ઓકશન આગળના વર્ષે થનારા ટી-20 લીગની 14 મી સીઝન પછી જ યોજવામાં આવશે. એટલે કે વર્ષ 2022 થી અમને ટીમોમાં વ્યાપક પરિવર્તન જોવા મળશે.

ટી-20 લીગ યુએઇમાં રમાઇ રહી છે. 13 મી સિઝનમાં 10 નવેમ્બરે ખતમ થશે. એટલે કે તેનો મતલબ એમ થઇ શકે છે કે, આગળની સિઝન નિયમિત સમયે એપ્રિલ થી શરુ થશે તો બોર્ડ પાસે ચાર કે પાંચ મહિનાનો જ સમય બચશે. માનવામાં આવી રહ્યુ છે કે, ફેન્ચાઇઝી પણ બોર્ડ પણ આ વિચાર થી સહમત છે કે આગળના વર્ષ માટે નવેસર થી ટીમોની રચના કરવા માટે આટલો સમય પુરતો નથી. 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

હાલમાં યુએઇમાં રમાઇ રહેલી ટી-20 લીગની હાલની સિઝન તેના અંતિમ પડાવ પર પહોંચવા તરફ છે. જોકે હજુ સુધી પ્લે ઓફમાં ફક્ત એક જ ટીમ પોતાનુ સ્થાન મેળવી શકી છે, જે ટીમ મુંબઇ ઇન્ડિયન્સ છે. જેના સિવાય ચેન્નાઇ સુપર કિંગ્સ પ્લેઓફની રેસ થી બહાર થઇ ચુકી છે. હવે વધી ત્રણ જગ્યાઓ પર કલકત્તા નાઇટ રાઇડર્, કિંગ્સ ઇલેવન પંજાબ, સનરાઇઝર્સ હૈદરાબાદ, દિલ્હી કેપીટલ્સ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ની ટીમો વચ્ચે રેસ ચાલી રહી છે. 

ટી-20 લીગની 12  સિઝનમાં સૌથી વધુ ચાર વાર ખિતાબ રોહિત શર્માની કેપ્ટનશીપમાં મુંબઇ ઇન્ડિયન્સ મેળવી ચુકી છે. તેના પછી મહેન્દ્રસિંહ ધોનીએ ચેન્નાઇ સુપર કિંગ્સે ત્રણ ખિતાબ જીત્યા છે. કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ બે વાર ચેમ્પિયન થઇ છે. જોકે કલકત્તાના તે બંને વાર કેપ્ટન તરીકે ગૌતમ ગંભીર હતા. આ ઉપરાંત ડેવિડ વોર્નરની કેપ્ટનશીપમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, શેનવોર્નની કેપ્ટનશીપમાં રાજસ્થાન રોયલ્સ અને એડમ ગિલક્રિસ્ટની કેપ્ટનશીપમાં હૈદરાબાદ ડેક્કન ચાર્જસે પણ ટી-20 લીગ ની ટ્રોફી પોતાને નામે કરી છે. 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article