T-20માં હારને લઇને નિરાશ નજર આવ્યો રોહિત શર્મા, પોતાની ઇજાને લઇને પણ આપી મોટી અપડેટ

|

Nov 04, 2020 | 1:07 PM

  સનરાઇઝર્સ હૈદરાબાદની સામે મળેલી 10 વિકેટથી હારને લઇને કેપ્ટન રોહિત શર્મા ખુબ નિરાશ નજરે આવ્યો છે. તેમે ટી-20 લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન પણ આ મેચને ગણાવ્યુ હતુ. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં કીરોન પોલાર્ડ ના 41 રન અને સુર્યકુમાર યાદવના 36 રનની મદદથી ટીમ આઠ વિકેટ ગુમાવીને  […]

T-20માં હારને લઇને નિરાશ નજર આવ્યો રોહિત શર્મા, પોતાની ઇજાને લઇને પણ આપી મોટી અપડેટ

Follow us on

 

સનરાઇઝર્સ હૈદરાબાદની સામે મળેલી 10 વિકેટથી હારને લઇને કેપ્ટન રોહિત શર્મા ખુબ નિરાશ નજરે આવ્યો છે. તેમે ટી-20 લીગમાં સૌથી ખરાબ પ્રદર્શન પણ આ મેચને ગણાવ્યુ હતુ. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલા મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં કીરોન પોલાર્ડ ના 41 રન અને સુર્યકુમાર યાદવના 36 રનની મદદથી ટીમ આઠ વિકેટ ગુમાવીને  149 રન બનાવી શકી હતી. જવાબમાં હૈદરાબાદની ટીમે ડેવિડ વોર્નરના અણનમ 85 રન અને ઋદ્ધીમાન સાહાના અણનમ 58 રન વડે એક પણ વિકેટ ગુમાવ્યા વિના લક્ષ્યને 17.1 ઓવરમાંજ હાંસલ કરી લીધુ હતુ. ઇજાના બાદ ટીમમાં વાપસી કરવા વાળા રોહિત શર્માએ પોતાની ઇજાને લઇને પણ મોટુ અપડેટ આપ્યુ હતુ.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

રોહિત શર્માએ હૈદરાબાદ સામે મળેલી હારના પછી કહ્યુ હતુ કે, આ તે દીવસ છે કે જેને અમે બિલકુલ યાદ રાખવા માંગતા નથી. કદાચ અમારુ આ સિઝનનુ બેહદ ખરાબ પ્રદર્શન રહ્યુ છે. અમે કેટલીક ચિજોને અજમાવવા માંગત હતા, જોકે તે અમારા પક્ષે ના રહી. અમે જાણતા હતા કે ઔસ આ મેચમાં સૌથી મોટુ ફેક્ટર રહેવાનુ છે, જેથી અમે ઇચ્છતા હતા કે ટોસને અમે ધ્યાનમાં ના રાખીએ, અમે આજે સારી ક્રિકેટ નથી રમી. પોતાની ઇજાને લઇને અપડેટ આપતા કહ્યુ હતુ કે, હું ટીમમાં વાપસી કરીને ખુબ ખુશ છુ. ખુબ સમય થઇ ચુક્યો હતો. હું હવે આગળ આવનારી મેચોમાં રમવા તરફ જોઇ રહ્યો છુ. જોઇએ છે શુ થાય છે. મારી હેમસ્ટ્રિંગ ની ઇજા એકદમ ઠીક છે.

રોહિત શર્માએ હૈદરાબાદના બેટ્સમેનોની પણ તારીફ કરી હતી. કહ્યુ હતુ કે, તેમણે પાવર પ્લેનો સારો ઉપયોગ કર્યો હતો, ખુબ સારા શોટ્સ લગાવ્યા હતા. જેને લઇને તેમને ખુબ મદદ પણ મળી હતી. હિટમેનને કહ્યુ હતુ કે, જો તમે પાવર પ્લે ની અંદર વિકેટ ઝડપી લેવામાં કામિયાબ રહો છો તો, તેના થી સામેની ટીમ પર દબાણ પડે છે. રોહિત શર્માએ દિલ્હી સામે થનારી મેચને લઇને કહ્યુ હતુ કે, દિલ્હી કેપીટલ્સ એક સારી ટીમ છે, તેમની સામે રમવુ એક પડકાર હશે.

 

Next Article