T-20: પૃથ્વી શોને અપાયા છે દશ મોકા, હવે તેણે જોવી પડશે રાહ

|

Oct 30, 2020 | 11:36 AM

દિલ્હી કેપીટલ્સે ટી-20 લીગની 13 મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવા પછી પણ ત્રણ મેચોમાં હાર સહન કરવી પડી હતી. આ દરમ્યાન દીલ્હીની ટીમ ટોપ ચારમાં બની રહી છે. આના માટેનુ કારણ પણ ખેલાડીઓ દ્રારા એકજુટ થઇને પ્રદર્શન કરવાનુ છે. સાથે જ સુરક્ષાની ભાવના આપવાનુ છે. જોકે ગૃપ સ્ટેજમાં તેમની આખરી બે મેચો ગુમાવવી એ ચિંતાનુ […]

T-20: પૃથ્વી શોને અપાયા છે દશ મોકા, હવે તેણે જોવી પડશે રાહ

Follow us on

દિલ્હી કેપીટલ્સે ટી-20 લીગની 13 મી સિઝનમાં શાનદાર પ્રદર્શન કરવા પછી પણ ત્રણ મેચોમાં હાર સહન કરવી પડી હતી. આ દરમ્યાન દીલ્હીની ટીમ ટોપ ચારમાં બની રહી છે. આના માટેનુ કારણ પણ ખેલાડીઓ દ્રારા એકજુટ થઇને પ્રદર્શન કરવાનુ છે. સાથે જ સુરક્ષાની ભાવના આપવાનુ છે. જોકે ગૃપ સ્ટેજમાં તેમની આખરી બે મેચો ગુમાવવી એ ચિંતાનુ કારણ બન્યુ છે, ઓપનીંગનો એક છેડો.

દિલ્હી કેપીટલ્સના માટે પ્રથમ દશ મેચમાં શિખર ધવન અને પૃથ્વી શોએ ઓપનીંગ કર્યુ હતુ. શિખર ધવને 400 થી વધારે રન બનાવ્યા છે, પરંતુ દશ મેચોમાં પૃથ્વી શો 209 રન બનાવી શક્યો છે. આવામાં હવે અજીંક્ય રહાણે થી ઓપનીંગ કરાવી હતી પરંતુ તેપણ બે મેચમાં 26 રન જ બનાવી શક્યો હતો. જેમાં એક તો ગોલ્ડન ડક પણ શામેલ છે. અત્યાર સુધીમાં પાંચ મેચોમાં રહાણે 51 રન બનાવી શક્યો છે. તો આમ જ રહાણે માટે પણ આગળની મેચો પણ ખુબ જ દબાણ ભરેલી રહેવાની છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

દરમ્યાનમાં એ વાત પણ સામે આવી છે કે ઓછામાં ઓછી બે મેચોમાં પણ શિખર ધવન અને અજીંક્ય રહાણે તી જ ઓપનીંગ કરાવવામાં આવશે. કારણ કે પાછળની બે મેચોમાં પણ રહાણેએ થોડા સારા કહી શકાય તેવા શોટસ લગાવ્યા હતા. તો વળી દિલ્હી થી જોડાયેલા સુત્રોએ પણ સમાચાર સંસ્થાઓની સાથે વાત કરતા કહ્યુ છે કે, પૃથ્વી શોને દશ મેચ મળી હતી. હવે તેણે પોતાના વારાને લઇને ઇંતઝાર કરવો પડશે. ખેલાડીઓને સહજતા મહેસુસ કરાવવુ મહત્વપુર્ણ છે. આવુ ત્યારે જ થઇ શકે છે, જ્યારે તમે તેને સુરક્ષાની ભાવના આપો છો.

દિલ્હી કેપીટલ્સની ટીમ સૌ પ્રથમ ક્વોલીફાઇ કરી શકતી હતી. શરુઆતમાં ટીમ માત્ર બે જ મેચ ગુમાવી શકી હતી, પરંતુ સાત મેચ જીત્યા બાદ ટીમે લગાતાર ત્રણ મેચ હારવી પડી હતી. જોકે હજુ પણ ટીમ પાસે પ્લેઓફમાં પહોંચવા માટેની તક છે. કારણ કે દિલ્હી કેપીટલ્સ ની હજુ બે મેચ બાકી છે. કેપ્ટન શ્રેયસ ઐયર પણ આ વાતને સ્વિકારી ચુક્યો છે, કે ટીમના ખેલાડી બાઉન્સ બેક કરી શકે છે અને બંને મુકાબલા પણ જીતી શકીશુ.

આ પણ વાંચોઃ T-20: ગૌતમ ગંભીરે બતાવ્યુ કે, ચેન્નાઇ માટે કેમ આટલો બધો વફાદાર છે ધોની, જાણો હકીકત અને તેના કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article