T-20: ધોનીએ પ્રશંસકો માટે આપ્યા સારા સમાચાર, તેના કેરીયરને લઇને કહ્યુ હજુ તેની આખરી મેચ નથી.

|

Nov 01, 2020 | 4:45 PM

ચેન્નાઇ સુપર કિંગ્સ માટે વર્ષ 2020 ની સિઝન ટી-20 લીગમાં ખુબજ ખરાબ રહી છે. ચેન્નાઇ ટી-20 લીગની આ સિઝન નિરાશાજનક રહ્યા બાદ આજે  સિઝનમાં તેની અંતિમ મેચ રમીને તે ટુર્નામેન્ટમાંથી બહાર નિકળશે. કારણ કે તેને પ્લેઓફમાં સ્થાન મળી શક્યુ નથી. અંંતિમ મેચ શરુ થવા દરમ્યાન જ ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રશંસકો માટે એક ખુશીના સમાચાર સામે […]

T-20: ધોનીએ પ્રશંસકો માટે આપ્યા સારા સમાચાર, તેના કેરીયરને લઇને કહ્યુ હજુ તેની આખરી મેચ નથી.

Follow us on

ચેન્નાઇ સુપર કિંગ્સ માટે વર્ષ 2020 ની સિઝન ટી-20 લીગમાં ખુબજ ખરાબ રહી છે. ચેન્નાઇ ટી-20 લીગની આ સિઝન નિરાશાજનક રહ્યા બાદ આજે  સિઝનમાં તેની અંતિમ મેચ રમીને તે ટુર્નામેન્ટમાંથી બહાર નિકળશે. કારણ કે તેને પ્લેઓફમાં સ્થાન મળી શક્યુ નથી. અંંતિમ મેચ શરુ થવા દરમ્યાન જ ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રશંસકો માટે એક ખુશીના સમાચાર સામે આવ્યા છે. ચેન્નાઇ ના થાલા અને ટીમના કરીશ્માઇ ગણાતા કેપ્ટન એમએસ ધોની આગામી વર્ષે ફરી થી ટી-20 લીગમાં પોતાની ટીમ સાથે પરત ફરશે. ધોનીએ એ વાત સ્પષ્ટ કરી દીધી છે કે, ટી-20 લીગની સૌથી વધુ પસંદ કરવામાં આવતી ટીમ માટે તે આગામી સિઝનમાં રમવાનુ જારી રાખશે.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

અબુધાબીમાં આ સિઝનની અંતિમ મેચમાં ધોની ની ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબ સામે મેદાનમાં ઉતરી હતી. જોકે મેચ અગાઉ થી જ ટુર્નામેન્ટમાં થી બહાર થઇ ચુકેલી ટીમ ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં સૌથી નિચલા ક્રમ પર રહી હતી. જેથી તેના માટે રવિવારની મેચ માત્ર પ્રતિષ્ઠા પુરતી જ મેચ રમવા મેદાનમાં ચેન્નાઇ ઉતર્યુ હતુ. ગઇ મેચોની જેમ જ રવિવારે પંજાબ સામેની મેચમાં ટોસ ધોની એ જીત્યો હતો. ટોસ જીતીને ધોનીએ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટોસ અંગેની વાતચિત દરમ્યાન કોમેન્ટેટર ડૈની મોરિસને ધોની તુરત જ પ્રથમ સવાલ જ તેના ભવિષ્યને લઇને પુછી લીધો હતો. 

ધોનીએ ડૈની મોરિસનને આપેલો જવાબ  ટી-20 લીગ, ધોની અને ચેન્નાઇ સુપર કિંગ્સના પ્રશંસકો માટે જાણે કે એક રીતે રાહતના સમાચાર છે. ધોની ટી-20 લીગમાં સૌથી સફળ કેપ્ટનો માંથી એક છે. તેમની કેપ્ટનશીપમાં ટીમ ત્રણ વાર ખિતાબ મેળવી ચુકી છે. જ્યારે લગાતાર દશ સિઝનમાં પ્લેઓફ સુધી પહોચી શકી છે. ટી-20 લીગના ઇતિહાસમાં આ પ્રથમવાર છે કે જેમાં ચેન્નાઇ સુપર કિંગ્સ લીગ સ્ટેજમાંથી જ બહાર જઇ રહી છે.

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 4:44 pm, Sun, 1 November 20

Next Article