પૂર્વ ભારતીય કેપ્ટન અને BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) ને એપોલો હોસ્પીટલમાં બીજી એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. બીજી એન્જીયોપ્લાસ્ટી (Angioplasty) માં સૌરવ ગાંગુલીના હ્દયમાં બે સ્ટેન્ટ લગાવવામાં આવ્યા છે. ગાંગુલીના ખબર અંતરને જાણવા માટે પશ્વિમ બંગાળ (West Bengal) ના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) હોસ્પીટલ પહોંચ્યા હતા. તેઓએ કહ્યુ હતુ સૌરવ હવે ઠીક છે, તેણે મારી સાથે વાત કરી હતી. હું તેમને ભવિષ્ય માટે શુભકામનાઓ આપુ છુ. ગાંગુલીને બુધવારે હ્રદયમાં દુઃખાવાની ફરીયાદને પગલે હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડો. આફતાબ ખાનએ ગુરુવારે એક કલાકની એન્જીયોપ્લાસ્ટીમાં સૌરવના હ્દયમાં બે સ્ટેંટ મુક્યા હતા. એપોલો હોસ્પીટલમાં ભારતના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇ અધ્યક્ષની દેખભાળ અને સારવાર માટે ત્રણ સદસ્યોની મેડીકલ પેનલ રચાઇ છે. જેમાં ડો. આફતાબ ખાન, ડો. સપ્તર્ષિ બાસુ અને ડો સરોજ મંડલ સામેલ છે. ડો આફતાબએ જ ગાંગુલીના ભાઇ સ્નેહાશિષ ગાંગુલીની પણ એન્જીયોપ્લાસ્ટી કરી હતી.
Got an update on health of @SGanguly99 Sourav Ganguly, President Board of Control for Cricket in India @BCCI under treatment at Apollo Hospital in Kolkata. As per doctors and family members his condition is fine. Wishing Dada speedy recovery and early return to normalcy.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) January 28, 2021
ગાંગુલી ને 2 જાન્યુઆરીએ હ્રદયરોગનો હુમલો આવ્યો હતો. ત્યાર બાદ તેમને કલકત્તાની વુડલેન્ડસ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીના ડોક્ટરોએ તેમની પ્રથમ એન્જીયોપ્લાસ્ટી કરી હતી. ગાંગુલીને ટ્રીપલ વેસલ ડિસીઝ છે. આ બિમારીમાં હ્રદય સુધી લોહી પહોંચાડનારી ત્રણ મુખ્ય આર્ટરી બ્લોક થઇ જાય છે. અગાઉ ની સારવાર વેળા એક આર્ટરીમાંથી બ્લોકેજ હટાવીને સ્ટેન્ટ લગાવાયુ હતુ. જે સમયે ડોક્ટર્સના બોર્ડ એ બીજી એન્જીયોપ્લાસ્ટી નહોતી કરી, પરંતુ તેમણે અન્ય બ્લોકેજ ને દુર કરવા માટે આ જરુરી બતાવ્યુ હતુ.