AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત

આજે વિશ્વ કપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને ટકરાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિશ્વ કપ રમી રહી છે અને વિશ્વ કપમાં પણ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત રમી રહ્યાં છે. ત્યારે માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે બંને દેશના દિગ્ગજોની પણ નજર છે. બંને ટીમના પૂર્વ ખેલાડી […]

ભારતીય ટીમને આ દિગ્ગજ ખેલાડીઓએ આપ્યો ગુરૂમંત્ર, જણાવી પાકિસ્તાન સામે રમવાની રીત
Follow Us:
| Updated on: Jun 16, 2019 | 3:55 AM

આજે વિશ્વ કપની 22મી મેચમાં ભારત અને પાકિસ્તાનની ટીમ આમને-સામને ટકરાશે. વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં પ્રથમ વખત ભારતીય ટીમ વિશ્વ કપ રમી રહી છે અને વિશ્વ કપમાં પણ વિરાટ કોહલી કેપ્ટન તરીકે પ્રથમ વખત રમી રહ્યાં છે.

ત્યારે માન્ચેસ્ટરમાં યોજાનારી આ મેચમાં દુનિયાભરના ક્રિકેટ પ્રેમીઓની સાથે બંને દેશના દિગ્ગજોની પણ નજર છે. બંને ટીમના પૂર્વ ખેલાડી અને કેપ્ટન તેમની ટીમોને પોતાનો અનુભવ જણાવી રહ્યાં છે અને મેચ માટે સલાહ પણ આપી રહ્યાં છે. ત્યારે ક્રિકેટના ભગવાન મહાન બેટસમેન સચિન તેંડુલકર, સૌરવ ગાંગૂલી અને અનિલ કુંબલેએ પણ તેમની સલાહ આપી છે.

બોલિવુડની ક્વિન ઉર્વશી રૌતેલાના પરિવાર વિશે જાણો
સ્વપ્ન સંકેત: સ્વપ્નમાં યુદ્ધ જોવાનો અર્થ શું છે? સ્વપ્ન શાસ્ત્ર શું કહે છે તે જાણો
Plant In Pot : કુંડાની માટી ક્યારે અને કેવી રીતે બદલવી જોઈએ ? જાણો
Mango: પાણીમાં તરતી કે ડૂબતી, કઈ કેરી કાર્બનથી પકવેલી છે, આ રીતે ચકાસો
મિસ વર્લ્ડ માનુષી છિલ્લરના પરિવાર વિશે જાણો
ઘરમાં બિલાડી બચ્ચાને જન્મ આપે તો શુભ કે અશુભ? કઈ વાતનો મળે છે સંકેત

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પાકિસ્તાનને સરળતાથી ન લો.

સૌરવ ગાંગૂલીએ કહ્યું કે ભારતને સાવધાન રહેવું પડશે, તેમને મેચ રમવા માટે એ વિચારીને ના જવુ કે તે જીતના દાવેદાર છે. મને લાગે છે કે તેમને 2017માં ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં પાકિસ્તાનને સરળતાથી લેવાની ભૂલ કરી હતી અને પાકિસ્તાને તેમને હરાવી દીધુ હતું. આ શાનદાર મુકાબલો થવાનો છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

યોજનાની સાથે ઉતરો

સચિન તેંડુલકરે કહ્યું કે પાકિસ્તાનની ટીમ હંમેશાથી અણધારી ટીમ રહી છે અને તે એક ખતરનાક ટીમ છે. ત્યારે ભારતીય ટીમ તેમને સરળતાથી લેશે નહી. ભારતીય ટીમ જે પણ પગલું લેશે, તેના માટે પુરી યોજના અને તૈયારીની સાથે મેચ માટે જવુ પડશે.

દબાણ ના લો

અનિલ કુંબલેએ કહ્યું કે બંને દેશ એક બીજાની વિરૂધ્ધ ખુબ ઓછુ રમે છે. તેથી આ મુકાબલો ખુબ રોચક હોય છે. ભારત-પાકિસ્તાનની મેચ હંમેશા સૌથી મોટો મુકાબલો હોય છે. ICC પણ જાણે છે, તેમને મેચ માટે ટિકિટનું વેચાણ શરૂ કર્યુ અને 15 મિનટની અંદર તમામ ટિકિટ વેચાઈ ગઈ હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

g clip-path="url(#clip0_868_265)">