ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંતને ખરાબ શોટની પસંદગી માટે ઘણી વખત આલોચનાનો શિકાર થવુ પડ્યુ છે. તેમને વારંવાર તક મળી, તેમના ટેમ્પરામેન્ટના કારણે છોડી દીધી. ભારતીય ટીમના કોચ રવિ શાસ્રીએ સીધી રીતે કઈ નથી કહ્યું પણ એ જરૂર કહી દીધુ કે જો પંત વિન્ડીઝ પ્રવાસની જેમ ભૂલો કરશે તો તેમને પરિણામ ભોગવવુ પડશે. પંત પહેલા બોલ પર જ મોટો શોટ ફટકારવાના ચક્કરમાં આઉટ થઈ ગયા હતા.
શાસ્ત્રીએ કહ્યું કે આ વખતે અમે તેમને છોડી રહ્યા છે. વિન્ડીઝ પ્રવાસમાં પ્રથમ બોલ પર જેવો શોટ રમીને તે આઉટ થયા હતા, જો તેને રિપીટ કરશે તો તેમને તેના વિશે જાણ કરવામાં આવશે, સ્કિલ હોય કે ના હોય, તમે પરિણામ ભોગવવા તૈયાર રહો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
એક ઈન્ટરવ્યુમાં કોચે કહ્યું કે જાતે નિરાશ કરવાની વાત જવા દો, તમે ટીમને પણ નિરાશ કરી રહ્યા છો. ક્રીઝ પર જો તમારી સાથે કેપ્ટન હાજર હોય અને તમે ટાર્ગેટ પૂરો કરી રહ્યા છો તો તમારે સમજદારી બતાવવાની હોય છે.
રવિ શાસ્ત્રીએ વધુમાં કહ્યું કે રૂષભ પંતની હોંશિયારી પર કોઈ પ્રશ્ન નથી પણ તે શોટની પસંદગી અને સાચા નિર્ણય લેવાની દિશામાં કામ કરે, કોઈ તેમની પ્લેઈંગ સ્ટાઈલમાં ફેરફાર કરવાનું નથી કહી રહ્યા. જેમ વિરાટ કોહલીએ કહ્યું કે મેચની સ્થિતી મુજબ સર્તક રહેવુ અને શોટ પસંદગી મહત્વની થઈ જાય છે. જો તેમને સુધારો કરી લીધો તો રોકવા સરળ નહી હોય.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]