AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PAKvsSA: પાકિસ્તાનની નફ્ફટાઇ, દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને વિઝા ના આપ્યા

પાકિસ્તાને (Pakistan) એક વાર ફરી થી પોતાના બે મોંઢા દુનિયાને દેખાડ્યા છે. દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટને વિઝા દેવાથી ઇન્કાર કરી દીધો હતો.

PAKvsSA: પાકિસ્તાનની નફ્ફટાઇ, દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટ પ્રસન્નાને વિઝા ના આપ્યા
પ્રસન્ના રામન
Avnish Goswami
| Edited By: | Updated on: Jan 18, 2021 | 8:37 AM
Share

પાકિસ્તાને (Pakistan) એક વાર ફરીથી પોતાના બે મોંઢા દુનિયાને દેખાડ્યા છે. દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમ સાથે જોડાયેલા ભારતીય એનાલિસ્ટને વિઝા દેવાથી ઇન્કાર કરી દીધો હતો. વિઝા નહી મળવાને લઇ પ્રસન્ના (Prasanna) દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે પાકિસ્તાન જઇ શક્યો નથી. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાનારી સિરીઝ માટે તે બેંગ્લોર (Bangalore) પોતાના ઘરે બેસીને જ ટીમને મદદ કરશે.

ઇન્ડીયન એક્સપ્રેસના એક રિપોર્ટ મુજબ પ્રસન્નાને પાકિસ્તાન સરકારે વિઝા આપવાથી ઇન્કાર કરી દીધો છે. ઇન્ડીયન એક્સપ્રેસ સાથે વાતચીત કરતા પ્રસન્નાએ જણાવ્યુ હતુ કે, હું અત્યારે એમ મહેસૂસ કરી રહ્યો છુ, જેમ એક મૃત શરીર ચાલી રહ્યુ હોય. હું અહી રહીને પણ પોતાના તરફથી સો ટકા આપવાનો પ્રયાસ કરીશ. આ એક મોટી ક્ષતિ છે ટીમ માટે, તે ખેલાડીઓ માટે કે જે મારી પર પૂર્ણ રીતે નિર્ભર છે. જોકે અમારે પ્રોટોકોલ સમજવો પડશે. મને બતાવવામાં આવ્યુ કે, ઝિમ્બાબ્વેના કોચ લાલચંદ રાજપૂત પણ પાકિસ્તાન નહોતા જઇ શક્યા. અલીમ દાર કામ માટે ભારત નહોતા આવી શક્યા. આમ હું એકલો નથી. તેણે કહ્યુ કે, ઝૂમ મિટીંગ દ્વારા ખેલાડીઓ સાથે વાતચીત કરી રહ્યો છું. તેમને સ્લાઇડ દ્વારા સમજાવી રહ્યો છુ. પ્રસન્ના લાંબા સમયથી દક્ષિણ આફ્રિકાની ટીમ સાથે જોડાયેલા છે.

પ્રસન્નાથી અગાઉ ઝિમ્બાબ્વેના કોચ લાલચંદ રાજપૂતને પણ વિઝા નહી મળવાને લઇને પાકિસ્તાન જઇ શક્યા નહોતા. ત્રણ અન્ય ભારતીય કોચ, જે બાંગ્લાદેશ મહિલા ક્રિકેટ ટીમ સાથે જોડાયેલા છે, તે પણ પાકિસ્તાન પહોંચી શક્યા નહોતા. પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 2 ટેસ્ટ મેચ અને ત્રણ ટી20 મેચ રમાનારી છે. પ્રથમ ટેસ્ટ મેચ 26 જાન્યુઆરીથી કરાંચી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાનારી છે, જ્યારે સિરીઝીને બીજી મેચ 4 ફેબ્રુઆરીએ રાવલપિંડીમાં રમાનારી છે. ત્રણેય ટી20 મેચ 11, 13 અને 14 ફેબ્રુઆરીએ લાહોરમાં રમાનારી છે.

આ પણ વાંચો: Corona રસીકરણને લઈ ભારતે બનાવ્યો આ રેકોર્ડ

ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
નર્મદામાં મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર લગ્યા તોડપાણીના આરોપ-Video
g clip-path="url(#clip0_868_265)">