આ બાબતે મેચમાં રાખવી પડશે કાળજી નહીં તો વિરાટ કોહલી પર લાગી જશે પ્રતિબંધ!

|

Sep 25, 2019 | 5:54 PM

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિરાટ કોહલીને તેમના વર્તનને લઈને 3 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યા છે. જો તેમને વધારે એક અંક વર્તનને લઈને મળે તો તેમની પર એક ટેસ્ટ કે બે વન-ડે રમવા પર પ્રતિબંધ લાગી શકે છે. આઈસીસી તેમની પર પ્રતિબંધ પણ લગાવી શકે છે. Facebook પર તમામ […]

આ બાબતે મેચમાં રાખવી પડશે કાળજી નહીં તો વિરાટ કોહલી પર લાગી જશે પ્રતિબંધ!

Follow us on

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. વિરાટ કોહલીને તેમના વર્તનને લઈને 3 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યા છે. જો તેમને વધારે એક અંક વર્તનને લઈને મળે તો તેમની પર એક ટેસ્ટ કે બે વન-ડે રમવા પર પ્રતિબંધ લાગી શકે છે. આઈસીસી તેમની પર પ્રતિબંધ પણ લગાવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

 

આ પણ વાંચો :  અમદાવાદ રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવા જતા ફસાયો મુસાફર અને ભગવાન બનીને આવ્યો RPF જવાન, જુઓ VIDEO

આમ વિરાટ કોહલીને પોતાના આક્રમક ગુસ્સા કે વર્તન પર કાબૂ રાખવો પડશે. વિરાટ કોહલી સાઉથ આફ્રિકા સાથેના મેચમાં બ્યૂરેન હૈન્ડ્રિક્સની સાથે ટકરાયા હતા. વિરાટે પોતાની ભૂલ સ્વીકારી લીધી હતી. જે બાદ રેફરી કોઈ આગળ કાર્યવાહી કરી નહોતી. આ ઘટનામાં વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની આચાર સંહિતાના લેવલ 1 મુજબ દોષી ઠર્યા હતા. આ ઘટનામાં ચેતવણીની સાથે એક ડિમેરિટ અંક કોહલીને આપવામાં આવ્યો હતો.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સપ્ટેમ્બર 2016ના બાદ આ ત્રીજી ઘટના કપ્તાન કોહલીને લઈને સામે આવી છે. કોહલીના ખાતામાં 3 ડિમેરિટ અંક નોંધાઈ ગયા છે. 2020 સુધી વિરાટે શાંતિથી રમવાનું રહેશે અને જો તેઓ આવું નહીં કરે તો તેની પર કાર્યવાહી થઈ શકે છે.

 

શું કહે છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો નિયમ?
જ્યારે કોઈપણ ખેલાડી મેદાનમાં ખરાબ વર્તન કરે ત્યારે તેની સામે ડિમેરટ અંક આપવામાં આવે છે. જો કોઈપણ ખેલાડી 2 વર્ષમાં 4થી વધારે વખત ભૂલ કરે તો તેની સામે પ્રતિબંધ પણ લાગી શકે છે. જેમ જેમ આ અંક વધે તેમ સજા પણ વધી શકે છે. જેના લીધે વિરાટ કોહલીએ આવનારા 4 મહિના સુધી શાંતિથી રમવું પડશે જેના લીધે કોઈ વિવાદ ઉભો ન થાય.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article