AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી

દેવેન્દ્ર ઝાઝડિયાએ ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સ 2020 માં ભાલા ફેંકમાં સિલ્વર મેડલ જીત્યો. પેરાલિમ્પિક ગેમ્સમાં આ તેમનો ત્રીજો મેડલ હતો.

Devendra jhajharia : પેરાલિમ્પિક પદક વિજેતા દેવેન્દ્ર ઝાઝડિયા, રાષ્ટ્રીય રમત પુરસ્કાર માટે ખેલાડીઓની કરશે પસંદગી
national sports awards devendra jhajharia venkatesh prasad named in selection committee
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 09, 2021 | 11:30 AM
Share

Devendra jhajharia :ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics) અને પેરાલિમ્પિક ગેમ્સ (Paralympic Games)ના અંત પછી, ભારત સરકાર ટૂંક સમયમાં સ્પોર્ટ્સ એવોર્ડ્સ (Sports Awards)ના વિજેતાઓની જાહેરાત કરવા જઈ રહી છે. ખેલાડીઓની પસંદગી માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. ત્રણ વખતના પેરાલિમ્પિક મેડલ વિજેતા, ભાલા ફેંકનાર દેવેન્દ્ર ઝાઝડિયા ( Devendra jhajharia), ભૂતપૂર્વ ક્રિકેટર (Former cricketer) વેંકટેશ પ્રસાદ અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન બોક્સર એલ સરિતા દેવીને આ વર્ષના રાષ્ટ્રીય રમત પુરસ્કારો માટે પસંદગી સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે.

સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ (Retired Supreme Court Judge) જસ્ટિસ મુકુંદકમ શર્મા પસંદગી સમિતિનું નેતૃત્વ કરશે, જેમાં પૂર્વ શૂટર અંજલી ભાગવત અને મહિલા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અંજુમ ચોપરા પણ સામેલ છે. રમત મંત્રાલયના પરિપત્રમાં આ માહિતી આપવામાં આવી હતી. દર વર્ષે આ પુરસ્કારો 29 ઓગસ્ટના રોજ સ્પોર્ટ્સ ડે નિમિત્તે આપવામાં આવે છે પરંતુ આ વખતે ઓલિમ્પિક ગેમ્સ (Olympic Games)ને કારણે તે મોડા આપવામાં આવી રહ્યા છે.

દેવેન્દ્ર ઝાઝડિયાને સમિતિનો ભાગ બનાવ્યો

ઝાઝડિયાએ તાજેતરમાં સમાપ્ત થયેલી ટોક્યો પેરાલિમ્પિક (Tokyo Paralympics) રમતોમાં સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે તેણે અગાઉ 2004 અને 2016 માં ગોલ્ડ મેડલ જીત્યા હતા. વિજેતાઓ નક્કી કરવા માટે સમિતિ આગામી દિવસોમાં બેઠક કરશે. આ વર્ષે એવોર્ડમાં વિલંબ થયો કારણ કે સરકારે ઓલિમ્પિક અને પેરાલિમ્પિક બંને રમતોમાં ભારતના પ્રદર્શનની રાહ જોવાનો નિર્ણય કર્યો હતો.

ભારતે બંને રમતોમાં પોતાનું અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, અસાધારણ પરિણામો પ્રાપ્ત કર્યા છે. ભારતે ઓલિમ્પિકમાં સાત મેડલ જીત્યા હતા જ્યારે પેરાલિમ્પિક્સમાં પાંચ ગોલ્ડ સહિત 19 મેડલ. ભાલા ફેંકનાર નીરજ ચોપરા ગોલ્ડ મેડલ સાથે ઓલિમ્પિકનો સૌથી મોટો સ્ટાર હતો. તેણે ગેમ્સની એથ્લેટિક્સ સ્પર્ધામાં ભારતનો પ્રથમ મેડલ અને 13 વર્ષમાં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ (Gold medal)જીત્યો હતો.

સ્પોર્ટ્સ એવોર્ડ દર વર્ષે આપવામાં આવે છે

રમતગમત ક્ષેત્રે સૌથી મોટું સન્માન આ વર્ષથી રાજીવ ગાંધી ખેલ રત્નને બદલે ધ્યાનચંદ ખેલ રત્ન તરીકે ઓળખાશે. રમતવીરોને અર્જુન એવોર્ડ પણ આપવામાં આવે છે. ખેલ રત્ન પુરસ્કારને 25 લાખ રૂપિયાની ઇનામી રકમ મળશે જ્યારે અર્જુન પુરસ્કારને 15 લાખ રૂપિયાની ઇનામી રકમ આપવામાં આવશે. દ્રોણાચાર્ય એવોર્ડ કોચને આપવામાં આવે છે.

આ વાર્ષિક પુરસ્કારો દરમિયાન આજીવન સિદ્ધિ પુરસ્કાર, રાષ્ટ્રીય ખેલ પ્રોત્સાહન પુરસ્કાર (National Sports Promotion Award)અને મૌલાન અબુલ કલામ આઝાદ ટ્રોફી પણ આપવામાં આવશે. પસંદગી સમિતિમાં હોકી કોચ બલદેવ સિંહ, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Sports Authority of India)ના ડાયરેક્ટર જનરલ સંદીપ પ્રધાન અને વરિષ્ઠ પત્રકારો વિજય લોકપલ્લી અને વિક્રાંત ગુપ્તાનો પણ સમાવેશ થાય છે.

આ પણ વાંચો : Odisha: ટોક્યો પેરાલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રમોદ ભગતને ઓડિશા સરકાર 6 કરોડ રૂપિયા સાથે નોકરી આપશે

Follow Us
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
રાજકોટમાં રોડ ખોદકામ દરમિયાન ગેસ પાઇપલાઇનમાં લીકેજ
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
સ્વતંત્રતા દિવસ પૂર્વે સુરતમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
વડોદરામાં અક્ષર ગ્રીન્સના ફાયર NOCમાં છેડછાડનો ખુલાસો
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
લલિતા જ્વેલરી IPO: 17 ઓગસ્ટથી ખુલશે ₹1700 કરોડનો ઈશ્યૂ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
સુરત ડોક્ટરના આપઘાત કેસમાં મોટો ખુલાસો,7થી 9 ડોક્ટર બન્યા રેગિંગનો ભોગ
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી આગ, બોઈલર ફાટતા બની ઘટના
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
રજાઓમાં સાપુતારા ફરવા જવાનું છે? તો ગાડીની સ્પીડ ઓછી રાખજો
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
લાંચ માગવાના કેસમા અમિત ડોંગરેને ભોપાલ લઈ જઈને બેંક લોકર્સ તપાસાશે
g clip-path="url(#clip0_868_265)">