મુખ્ય પસંદગીકારનું મોટું નિવેદન, રૂષભ પંતના વિકલ્પ કરી રહ્યા છે તૈયાર, આ ખેલાડી લઈ શકે જગ્યા

|

Sep 20, 2019 | 4:54 AM

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંત તેમના ખરાબ શોટ પસંદગીને લઈને આલોચકોના નિશાના પર છે. દક્ષિણ આફ્રિકાની સામે મોહાલીમાં ટી-20 મેચમાં પંત માત્ર 4 રનમાં આઉટ થયા હતા. ક્રિકેટ દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કરેલા રૂષભ પંત ક્રીઝ પર સેટ થયા બાદ પોતાની વિકેટ ભેટમાં આપનારા ખેલાડી તરીકે ઓળખાણ બનાવી રહ્યા છે. […]

મુખ્ય પસંદગીકારનું મોટું નિવેદન, રૂષભ પંતના વિકલ્પ કરી રહ્યા છે તૈયાર, આ ખેલાડી લઈ શકે જગ્યા

Follow us on

ભારતીય વિકેટકીપર બેટ્સમેન રૂષભ પંત તેમના ખરાબ શોટ પસંદગીને લઈને આલોચકોના નિશાના પર છે. દક્ષિણ આફ્રિકાની સામે મોહાલીમાં ટી-20 મેચમાં પંત માત્ર 4 રનમાં આઉટ થયા હતા. ક્રિકેટ દિગ્ગજ મહેન્દ્રસિંહ ધોનીની જગ્યાએ ટીમમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સામેલ કરેલા રૂષભ પંત ક્રીઝ પર સેટ થયા બાદ પોતાની વિકેટ ભેટમાં આપનારા ખેલાડી તરીકે ઓળખાણ બનાવી રહ્યા છે.

હવે મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદના નિવેદને રૂષભ પંતની મુશ્કેલીઓ વધારી દીધી છે. MSK પ્રસાદે સાફ કરી દીધુ કે આવા અન્ય વિકેટકીપર બેટ્સેમન તૈયાર કરવામાં આવી રહ્યા છે. જે ભારતીય ટીમમાં આ જવાબદારી સંભાળી શકે છે.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મુખ્ય પસંદગીકાર MSK પ્રસાદે કહ્યું કે અમે રૂષભ પંતના વર્કલોડ પર નજર રાખી રહ્યા છે. નિશ્વિત રૂપે અમે બધા જ ત્રણે ફોર્મેટમાં પંતની જગ્યા લેનારા ખેલાડીઓને તૈયાર કરી રહ્યા છે. અમારી પાસે કે.એસ. ભરત છે. જેમને ઈન્ડિયા A માટે સારૂ પ્રદર્શન કર્યુ છે. સીમિત ઓવરમાં અમારી પાસે ઈશાન કિશન અને સંજૂ સેમસન છે. MSK પ્રસાદે એ પણ કહ્યું કે પસંદગીકારોને રૂષભ પંત પર પૂરો વિશ્વાસ છે અને પંતની ટીમમાં વિકેટકીપર માટે પ્રથમ પસંદગી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

MSK પ્રસાદે કહ્યું કે અમે પહેલા જ વાત સાફ કરી દીધી હતી કે રૂષભ પંતની સાથે ધીરજ રાખવાની જરૂર છે. ભારતીય ક્રિકેટ ટીમના નવા બેટ્સમેન કોચ વિક્રમ રાઠોડે પણ સલાહ આપી કે આ અંતરને સમજો અને તે પ્રમાણે બેટિંગ કરો, રાઠોડે કહ્યું કે પંતને વધારે અનુશાસન શીખવું પડશે અને સમજીને રમતને આગળ વધારવી પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

રૂષભ પંચ 19 ટી-20 મેચ રમી ચૂક્યા છે અને ત્યારે તેમની પાસેથી અપેક્ષા રાખી શકાય છે કે તે મેચની સ્થિતીને સમજીને બેટિંગ કરે પણ મોટાભાગની તક પર તે નિષ્ફળ સાબિત થાય છે. આ કારણથી જ ધોનીના ટી-20 વિશ્વ કપમાં રમવાની ખબરોને પૂરી રીતે અવગણી ના શકાય, કારણ કે જો પંત તેમનું પ્રદર્શન સુધારી નથી શકતા તો કોઈ પણ નવા વિકેટકીપર પોતાને સરળ રીતે સ્થાપિત નહી કરી શકે, ત્યારે મહેન્દ્રસિંહ ધોનીનો અનુભવ ટીમને કામ આવી શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article