
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. ટીમો પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો વિદેશી બોલર જેમી ઓવરટોન ઈજાને કારણે પોતાના વતન પરત ફર્યો છે. જેમી ઓવરટોન આ IPLમાં 10 મેચમાં 8.89 ની ઇકોનોમી સાથે 14 વિકેટ લીધી છે. ચેન્નાઈના ટીમના પ્લેયર શરૂઆતથી જ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની, આયુષ મ્હાત્રે અને ખલીલ અહેમદ ઈજાઓને કારણે પહેલાથી જ ટીમની બહાર છે.
ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સત્તાવાર ‘X’ હેન્ડલ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી. ચેન્નાઈએ લખ્યું, “જેમી ઓવરટનને જમણી જાંઘમાં ઈજા થઈ છે અને તે વધુ તપાસ અને સારવાર માટે યુકે પરત ફરશે.” ચેન્નાઈ જેમી ઓવરટોન દ્વારા સર્જાયેલી ખાલી જગ્યા કેવી રીતે ભરે છે તે જોવાનું બાકી છે. ચેન્નાઈના અંશુલ કંબોજે આ IPL સિઝનમાં 11 મેચમાં 9.20 ની ઇકોનોમીથી 19 વિકેટ લીધી છે. સંજુ સેમસનએ 11 મેચમાં 169.29 ના સ્ટ્રાઇક રેટથી 430 રન બનાવ્યા છે.
All Yellove to you, Jamie! #WhistlePodu #Yellove pic.twitter.com/yfrt1wVzir
— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2026
ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની સતત ત્રીજી જીતથી પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. તેમની બાકીની ત્રણ મેચ ચેન્નાઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેન્નાઈએ 11 મેચ રમી છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. ચેન્નાઈનો વર્તમાન નેટ રન રેટ +0.185 છે. જો ચેન્નાઈ તેની બાકીની ત્રણ મેચ જીતી જાય છે તો તેમના 18 પોઈન્ટ થશે.
IPL 2026 સીઝનની શરૂઆતમાં સતત ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ તે જ ટીમ હવે પ્લેઓફની રેસમાં પાછી ફરી છે. છેલ્લા આઠ મેચમાં 6 જીતે CSK ને નવું જીવન આપ્યું છે. ટીમનો અનુભવ, શાંત વર્તન અને દબાણ હેઠળ રમવાની ક્ષમતા ફરી એકવાર કામમાં આવી ગઈ છે. હવે સમીકરણ સ્પષ્ટ છે. ચેન્નઈને બાકીની બધી ત્રણ મેચ જીતવી પડશે. લખનૌ, હૈદરાબાદ અને ગુજરાત સામેની મેચો સરળ રહેવાની નથી પરંતુ IPLનો ઈતિહાસ કહે છે કે જ્યારે દબાણ વધે ત્યારે એમ એસ ધોનીની CSKને ક્યારેય હળવાશથી લઈ શકાય નહીં.