ચેતેશ્વર પુજારા પણ હવે સામેલ થવા માંગે છે IPLમાં, મોકો મળવા પર દમદાર પ્રદર્શન કરવાનો વિશ્વાસ

|

Jan 31, 2021 | 10:26 AM

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડીયા (Team India) ની ધ વોલ (The Wall) તરીકે ઓળખ ઉભી કરવા લાગેલા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ IPL માં રમવાની ઇચ્છા દર્શાવી છે. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) મેચમાં બીજી ઇનીંગ દરમ્ચાન પુજારા દ્રારા રમવામાં આવેલી 56 રનની રમત પ્રશંસાજનક રહી હતી.

ચેતેશ્વર પુજારા પણ હવે સામેલ થવા માંગે છે IPLમાં, મોકો મળવા પર દમદાર પ્રદર્શન કરવાનો વિશ્વાસ
Cheteshwar Pujara

Follow us on

ટેસ્ટ ક્રિકેટમાં ટીમ ઇન્ડીયા (Team India) ની ધ વોલ (The Wall) તરીકે ઓળખ ઉભી કરવા લાગેલા ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) એ IPL માં રમવાની ઇચ્છા દર્શાવી છે. બ્રિસબેન ટેસ્ટ (Brisbane Test) મેચમાં બીજી ઇનીંગ દરમ્ચાન પુજારા દ્રારા રમવામાં આવેલી 56 રનની રમત પ્રશંસાજનક રહી હતી. પુજારાનુ પ્રદર્શન ભારત માટે ટેસ્ટ ક્રિકેટમાં ખૂબજ શાનદાર રહ્યુ હતુ, જોકે પુજારા એ સફેદ બોલરની ક્રિકેટમાં 2014 બાદ થી ક્યારેય ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી નથી. પુજારા 2008 થી લઇને 2014 સુધી IPL રમી શક્યા છે. જોકે ત્યાર બાદ તેનામાં કોઇ પણ ટીમે નજર નથી કરી.

ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરવા બાદ પુજારા હાલના દિવસોમાં ચર્ચામાં છવાયેલો છે. હાલમાં જ તેણે આપેલા એક ઇન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે, ગાબા ટેસ્ટ (Gabba Test) માં આંગળીઓ પર બોલ વાગવા થી તે બેટ પણ સરખુ પકડી શકતો નહોતો આમ છતાં પણ તે પીચ પર અડગ રહ્યો હતો. એક ટીવી ચેનલ સાથે વાત કરતા કહ્યુ હતુ કે, બિલકુલ હું IPL નો હિસ્સો બનવા માંગુ છુ. જો મોકો મળશે તો મને વિશ્વાસ છે કે સારુ પ્રદર્શન કરી શકીશ.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે

પુજારાએ પોતાના આઇપીએલ કેરીયરની શરુઆત કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ સાથે કરી હતી. વર્ષ 2010 સુધી તે કેકેઆરની ટીમ સાથે રહ્યા હતા. ત્યાર બાદ 2011માં તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સાથે જોડાઇને 2013 સુધી તેમાં સામેલ હતા. 2014માં તેમને આઇપીએલના ઓક્શનમાં કિંગ્સ ઇલેવન પંજાબ દ્રારા ખરિદવામાં આવ્યા હતા, પરંતુ આગળની સિઝનમાં જ રિલીઝ કરી દેવાયો હતો. પુજારા આઇપીએલના સમયમાં સામાન્ય રીચે કાઉન્ટી ક્રિકેટ રમે છે, પરંતુ આ વખતે કોરોના વાયરસને લઇને તેમાં તે હિસ્સો નહી લઇ શકે.

Published On - 10:25 am, Sun, 31 January 21

Next Article