IPL 2021: ટુર્નામેન્ટની 31 બાકી રહેલી મેચોના આયોજનને લઇ આઇપીએલ ચેરમેનનુ મોટુ અપડેટ

|

May 05, 2021 | 1:32 PM

આઇપીએલ 2021 ના બાયોબબલ (Bio Bubble) માં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્મણ લાગવાને લઇને આખરે ટુર્નામેન્ટ જ સ્થગીત કરી દેવામાં આવી છે. જોકે હવે આ દરમ્યાન હવે ફરી થી IPL ની ટુર્નામેન્ટ ક્યારે આગળ વધશે તે પણ સવાલ ફેંસને સતાવી રહ્યા છે.

IPL 2021: ટુર્નામેન્ટની 31 બાકી રહેલી મેચોના આયોજનને લઇ આઇપીએલ ચેરમેનનુ મોટુ અપડેટ
IPL 2021

Follow us on

IPL 2021 ના બાયોબબલ (Bio Bubble) માં રહેલા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને કોરોના સંક્મણ લાગવાને લઇને આખરે ટુર્નામેન્ટ જ સ્થગીત કરી દેવામાં આવી છે. જોકે હવે આ દરમ્યાન હવે ફરી થી IPL ની ટુર્નામેન્ટ ક્યારે આગળ વધશે તે પણ સવાલ ફેંસને સતાવી રહ્યા છે. IPL ની અડધો અડધ મેચ અને ફાઇનલ અને પ્લેઓફ મેચો શિડ્યુલ પ્રમાણે બાકી રહી છે. જે હવે રિશિડ્યુલ કરાવામાં આવશે. આ દરમ્યાન જ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સીલ (IPL Governing Council) ના ચેરમેન બ્રિજેશ પટેલે (Brijesh Patel) નિવેદન આપ્યુ છે કે, સંભવિત ક્યારે બાકીની મેચો રમાઇ શકે છે.

કલકત્તા નાઇટ રાઇડર્સ, દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદના પ્લેયર્સ એક બાદ એક કોરોના સંક્રમિત જણાયા હતા. આ ઉપરાંત સપોર્ટ સ્ટાફ અને ગ્રાઉન્ડ સ્ટાફ પણ કોરોના પોઝિટીવ હોવાનુ સામે આવતા જ બીસીસીઆઇએ ગંભીરતા સમજીને આખરે ટુર્નામેન્ટને તત્કાળ રોકી દેવાનો નિર્ણય કર્યો હતો. આ દમ્યાન હવે આઇપીએલ ના ચેરમેન બ્રિજેશ પટેલે અપડેટ આપ્યુ હતુ. તેમણે કહ્યુ હતુ કે, અમે બાકી રહેલી 31 મેચોના આયોજનને લઇને સંભાવનાઓ જોઇ રહ્યા છીએ, જે મુજબ T20 વિશ્વકપ ના પહેલા અથવા તેના બાદમાં આયોજીત કરવામાં આવશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

પટેલે કહ્યુ હતુ કે, અમે 31 મેચોને કમ્પલીટ કરવા માટે પ્રયાસ કરીશુ, આ માટે આ વર્ષમાં જ રમાડવાનુ આયોજન કરવા પ્રયાસ કરવામાં આવશે. આ માટે સમયની સંભવિતતા જોઇ રહ્યા છીએ, જે ટી20 વિશ્વકપ ની આગળ અથવા પાછળનો સમય હોઇ શકે છે. આમ પટેલના નિવેદન પર થી એમ કહી શકાય કે આગામી ઓક્ટોબર અને નવેમ્બર માસ દરમ્યાન આઇપીએલ નો બાકીનો હિસ્સો આગળ ચાલી શકે છે. જોકે આ બધી જ સંભાવનાઓ કોરોના કાળની પરિસ્થીતીને આધારે હોઇ શકે છે.

Next Article