કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના માલિક અને બોલિવુડના સુપર સ્ટાર શાહરુખ ખાન (Shahrukh Khan) પોતાના અદાકારીને લઇને તેના દિવાનાઓનો વિશાળ દરિયો છે. તેમના ડાયલોગ અને તેમનો અભિનય ને લોકો ખૂબ પસંદ પણ કરે છે અને તેની નકલ પણ ખૂબ થતી રહેતી હોય છે.
શાહરુખ ખાનને ક્રિકેટમાં પણ ખૂબ જ રસ છે અને એટલે જ તે IPL સહિતની ટુર્નામેન્ટમાં ખૂબ લગાવ ધરાવે છે. IPL ની ફેન્ચાઇઝી KKR ના માલિક શાહરુખે પોતાના ટ્વીટર પર ફેન્સ માટે સવાલ જવાબનુ સેશન રાખ્યુ હતુ. જેમાં એક ફેન્સ એ તેમને જબરદસ્ત સવાલ પૂછી લેતી જાળ બિછાવી હતી. જોકે ખાન સાહેબે પણ પણ ચાલાકી થી જવાબ આપીને મજા લઇ લીધી હતી.
આગામી 9મી એપ્રિલ થી IPL 2021 ની શરુઆત થનારી છે. આ પહેલા જ શાહરુખ ખાને ટ્વીટર પર એક સવાલ જવાબ સેશન પોતાન ફેન માટે રાખ્યુ હતુ. જે દરમ્યાન એક ચાહકે ખાનને પૂછી લીધુ કે, કલકત્તા નાઇટ રાઇડર્સ ને IPL 2021 ની જીત અથવા 600 કરોડની ફિલ્મ એમ બે ઓપ્શન આપ્યા. જે પૈકી એક વિકલ્પને પસંદ કરવા માટે કહ્યુ હતુ. જેની પર શાહરુખ ખાને ચાલાકી ભર્યો જવાબ પાઠવ્યો હતો. તેમણે લખ્યુ કે, હું મલ્ટીપલ ચોઇસ ના સવાલોમાં ક્યારેય સારો નહોતો રહ્યો, કારણ કે હું તમામ જવાબોને યોગ્ય જોવા માંગુ છુ.
Was never good at multiple choice questions because I want all the answers to be right. https://t.co/urz9TBGhn0
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021
એક અન્ય ફેન એ પણ શાહરુખને પુછી લીધુ હતુ કે, શુ KKR ની ટીમ આ વખતે ટ્રોફી જીતી લાવશેને ? જે સવાલ પર બોલીવુડના બાદશાહે કહ્યુ કે, હું આશા કરુ છું. હું આ ઇચ્છુ કે આ સમયે કોફી પિવાનુ શરુ કરુ.
I hope so. I want to start drinking coffee in that only! https://t.co/s9UvyY2QdV
— Shah Rukh Khan (@iamsrk) March 31, 2021
કલકત્તા નાઇટ રાઇડર્સ ની ટીમ નુ પ્રદર્શન પાછળની સિઝનમાં કંઇક ખાસ રહ્યુ નહોતુ. ટીમ પ્લેઓફમાં પણ પોતાનુ સ્થાન બનાવવામાં નિષ્ફળ નિવડી હતી. આ વખતના ઓકશનમાં ટીમ એ હરભજનસિંહ, કરુણ નાયર, બેન કટિંગ જેવા દમદાર ખેલાડીઓ ટીમમાં સામેલ કર્યા હતા. KKR ની ટીમ IPL 2021માં પણ ખૂબ સંતુલિત છે. ટીમને આ વખતે પણ પ્રબળ દાવેદારોના રુપમાં જોવામાં આવી રહી છે. ઇયોન મોર્ગન KKR ની આ વખતની કેપ્ટનશીપ કરતા નજરે આવશે.