IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સનો જીત માટે છે આવો પ્લાન, મહંમદ કેફે કર્યો ખુલાસો

|

Apr 24, 2021 | 10:44 PM

નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપમાં IPL 2021 ની સિઝનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે અત્યાર સુધી સિઝન સારી જઇ રહી છે. ટીમ એ પોતાની ચાર મેચોમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે.

IPL 2021: સનરાઇઝર્સ હૈદરાબાદ સામે દિલ્હી કેપિટલ્સનો જીત માટે છે આવો પ્લાન, મહંમદ કેફે કર્યો ખુલાસો
Delhi Capitals

Follow us on

નવા કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) ની કેપ્ટનશીપમાં IPL 2021 ની સિઝનમાં ઉતરેલી દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) માટે અત્યાર સુધી સિઝન સારી જઇ રહી છે. ટીમ એ પોતાની ચાર મેચોમાંથી ત્રણ મેચમાં જીત હાંસલ કરી છે. જ્યારે ટીમને એક મેચમાં હાર સહવી પડી હતી. રવિવારે ચેન્નાઇના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે મેચ રમવાની છે. સનરાઇઝર્સ હૈદરાબાદ ની ટીમ સિઝનમાં પોતાની શરુઆતની ત્રણેય મેચ હારી ગઇ હતી. જોકે તેણે ચોથી મેચને જીતી લીધી હતી. 2016માં ટાઇટલ જીતનારી હૈદરાબાદની ટીમ દિલ્હી માટે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. દિલ્હી કેપિટલ્સ ના સહાયક કોચ મહંમદ કેફ (Mohammad Kaif) ને લાગે છે કે, તેમની ટીમ ચેપોકની ધીમી પીચ પર સનરાઇઝર્સ હૈદરાબાદના સ્પિનર સામે કેવી રમત રમે છે તેની પર ઘણું બધુ નિર્ભર કરે છે.

મુંબઇ ઇન્ડીયન્સને મળેલી જીત થી આત્મવિશ્વાસને ભરેલી દિલ્હી કેપિટલ્સ ની ટીમ પોતાની લયને હૈદરાબાદ સામે પણ જારી રાખવા માટે પ્રયાસ કરશે. સનરાઇઝર્સ હૈદારાબદ નુ બોલીંગ આક્રમણ ખૂબ જ મજબૂત છે, જે દિલ્હી કેપિટલ્સને પરેશાની કરી શકે છે. ખાસ કરીને મિસ્ટ્રી સ્પિનર રાશિદ ખાન. મહંમદ કેફ એ ફેન્ચાઇઝી દ્રારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે રાશિદ ખાનને કેવી રીતે રમીએ છીએ, તે આ પિચ પર અમારે માટે ખૂબ મહત્વનુ રહેવાનુ છે.

અનુભવી બેટીંગ લાઇન સારી મદદ કરશે
કેફ એ સાથે જ કહ્યુ હતુ કે, ચેન્નાઇની પિચ પર બેટીંગ મુશ્કેલ રહી છે, પરંતુ તેમનો અનુભવી બેટીંગ ક્રમ નિશ્વીત રુપે પડકાર માટે તૈયાર છે. વધુમાં કહ્યુ કે, શિખર (ધવન) ખરેખર જ સારી બેટીંગ કરી રહ્યો છે અને સ્મિથ એ પાછળની મેચમાં પણ સારી બેટીંગ કરી હતી. અમિત મિશ્રા એ પાછળની મેચમાં ખૂબસુરત બોલીંગ કરી હતી અને અમારી પાસે રવિચંદ્રન અશ્વિન પણ છે. માર્કસ સ્ટોઇનિસ એ પાછળની મેચમાં નવા બોલ થી સારી બોલીંગ કરી હતી. સાથે જે રીતે ઋષભ પંત ટીમની આગેવાની કરી રહ્યો છે અને ખાસ કરીને ટર્નીંગ પિચ પર, તે સારો સંકેત રહ્યો છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અક્ષર પટેલ પરત ફરતા મજબૂતાઇ મળશે
ટીમના ઓલરાઉન્ડર અક્ષર પટેલ કોવિડ 19 થી સ્વસ્થ થઇ ને પરત ફર્યો છે. અક્ષર પટેલ ના પરત ફરવા અંગે પૂછવામાં આવ્યુ તો, કેફ એ કહ્યુ હતુ કે, દિલ્હી કેપિટલ્સનુ સંતુલન હવે પરફેક્ટ છે. તે આ ફેન્ચાઇઝીનો મહત્વનો સદસ્ય રહ્યો છે. તેણે પાછળના સત્રમાં ટીમને ઉપ વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્ષે પણ કંઇ અલગ નહી હોય. અક્ષર પટેલ, અમિત મિશ્રા અને અશ્વિન એક સાથે રમવુ એ અમારે માટે સ્પનિલ સ્પિન આક્રમણ હશે.

Published On - 10:42 pm, Sat, 24 April 21

Next Article