IPL 2021: IPL ઉપર કોરોનાનો ખતરો, ટુર્નામેન્ટ શરુ થયા પહેલા 8 લોકોને કોરોના

|

Apr 03, 2021 | 8:00 AM

વિશ્વની સૌથી લોકપ્રિય T20 ટુર્નામેન્ટ ઇન્ડીયન પ્રિમિયર લીગ (Indian Premier League) પર કોરોના વાયરસ (Corona Virus)નો ખતરો મંડરાવવા લાગ્યો છે. લીગ હાલમાં શરુ પણ નથી થઇ ત્યા એ પહેલા જ મુંબઇ (Mumbai) ના વાનખેડે સ્ટેડીયમ (Wankhede Stadium) થી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે.

IPL 2021: IPL ઉપર કોરોનાનો ખતરો, ટુર્નામેન્ટ શરુ થયા પહેલા 8 લોકોને કોરોના
IPL 2021

Follow us on

વિશ્વની સૌથી લોકપ્રિય T20 ટુર્નામેન્ટ ઇન્ડીયન પ્રિમિયર લીગ (Indian Premier League) પર કોરોના વાયરસ (Corona Virus)નો ખતરો મંડરાવવા લાગ્યો છે. લીગ હાલમાં શરુ પણ નથી થઇ ત્યા એ પહેલા જ મુંબઇ (Mumbai) ના વાનખેડે સ્ટેડીયમ (Wankhede Stadium) થી ખતરનાક સમાચાર સામે આવી રહ્યા છે. કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ના બેટ્સમેન નિતીશ રાણા (Nitish Rana) બાદ હવે વાનખેડે સ્ટેડિયમમાં કોરોના વાયરસથી 8 લોકો સંક્રમિત થઇ ચુક્યા છે. વાનખેડે સ્ટેડિયમમાં IPL ની 14મી સિઝનની 10 મેચોનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ તમામ મેચ 10 થી 25 એપ્રિલ વચ્ચે કરવામાં આવનાર છે. આ વખતે આઇપીએલની શરુઆત 9મી એપ્રિલ થી ચેન્નાઇ (Chennai) થી કરવામાં આવનાર છે. આ દરમ્યાન કોરોના વાયરસના વધતા જતા પ્રમાણેને લઇને BCCI ની પણ ચિતા વધી ચુકી છે.

મિડીયા રિપોર્ટનુસાર, કોરોના વાયરસની હાલની જાણકારી મુજબ વાનખેડે સ્ટેડિયમના 8 ગ્રાઉન્ડ કર્માચારીઓ આ ખતરનાક વાયરસની ચપેટમાં આવી ચુક્યા છે. રિપોર્ટમાં દર્શાવાયુ છે કે, પાછલા સપ્તાહે વાનખેડે સ્ટેડિયમના 19 ગ્રાઉન્ડ કર્મચારીઓના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ત્રણ લોકોનો રિપોર્ટ પહેલા જ આવી ગયો હતો. જ્યારે પાંચ અન્ય ગ્રાઉન્ડ કર્મચારીઓની પહેલી એપ્રીલ એ પોઝિટીવ રિપોર્ટ આવ્યો હતો. જેમાં ગત વર્ષે પણ કોરોના વાયરસને લઇને આઇપીએલની13 મી સિઝનને યુએઇમાં ખસેડવામાં આવી હતી.

કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન

આઇપીએલ શરુ થવાના એક સપ્તાહ પહેલા જ કોરોના
હાલમાં કોરોના પોઝિટીવ આવવાની ઘટનાને લઇને તે માટે લેવામાં આવી રહેલા પગલાઓની જાણકારી મેળવવામા આવી રહી છે. કોરોના વાયરસનો નવો વિસ્ફોટ IPL ની 14 મી સિઝન શરુ થવાના એક સપ્તાહ અગાઉ જ થયો છે. જેની ઉદઘાટન મેચ ચેન્નાઇમાં રમાનારી છે. જેમાં મુંબઇ ઇન્ડીયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો આમનો સામનો થનારો છે. આ પહેલા કલકત્તા નાઇટ રાઇડર્સના બેટ્સમેન નિતીશ રાણા પણ કોરોના સંક્રમિત જણાયો હતો. જોકે તે બે દિવસ પહેલા જ સ્વસ્થ થઇ ચુક્યો હોવાની જાણકારી પણ જારી કરવામાં આવી હતી. કેકેઆરના મેનેજમેન્ટ દ્રારા તેની અપડેટ જારી કરવામાં આવી હતી.

Next Article