IPL 2020ની પ્રથમ મેચ પહેલા જ ધોનીની ટીમને મોટો ઝટકો, આ યુવા ખેલાડી ટીમમાંથી બહાર

|

Sep 18, 2020 | 1:38 PM

IPLની 13મી સીઝનમાં એમએસ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે, પરંતુ યુવા ખેલાડી બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને શરૂઆતની મેચ પહેલા જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે મુંબઈ સામેની પહેલી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ બાબતે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું છે કે રુતુરાજ ઠીક છે, પરંતુ […]

IPL 2020ની પ્રથમ મેચ પહેલા જ ધોનીની ટીમને મોટો ઝટકો, આ યુવા ખેલાડી ટીમમાંથી બહાર

Follow us on

IPLની 13મી સીઝનમાં એમએસ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે, પરંતુ યુવા ખેલાડી બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને શરૂઆતની મેચ પહેલા જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે મુંબઈ સામેની પહેલી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ બાબતે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું છે કે રુતુરાજ ઠીક છે, પરંતુ બીસીસીઆઈ દ્વારા તેમને હજુ સુધી ટીમ સાથે બાયોલોજિકલી સુરક્ષિત વાતાવરણમાં રહેવાની મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વનાથે કહ્યું કે રુતુરાજ હજી પણ ક્વોરન્ટાઈનમાં છે અને બોર્ડની મેડિકલ ટીમે તેમને હજી ટીમમાં જોડાવાની મંજૂરી આપી નથી. આવા સંજોગોમાં, તે પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.

 

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જો કે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આગામી કેટલાક દિવસોમાં તેના બાયોલોજિકલી સુરક્ષિત વાતાવરણમાં પાછા ફરશે તેવી અપેક્ષા છે અને તે સંપૂર્ણ રીતે ઠીક છે. આપને જણાવી દઈએ કે સીએસકેના 13 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું અને તેમાં દિપક ચહર અને રુતુરાજ ગાયકવાડનો પણ સમાવેશ હતો. તેમાંથી દિપક ચહર અને અન્ય 11 સભ્યો ચેપમાંથી સાજા થયા છે, જ્યારે રુતુરાજને રવિવાર અને સોમવારે બે પરીક્ષણો થયા હતા અને તેના પરિણામો જાહેર થઈ શક્યા નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

જો કે દિપક ચહરે કોરોનાથી બહાર આવ્યા બાદ ટીમમાં જોડાયો છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રુતુરાજએ સુરેશ રૈનાના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતા. રૈના વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. જો કે વિશ્વનાથે કહ્યું છે કે ટીમે હજી સુધી વિકલ્પો પર વિચાર કર્યો નથી. બીજી તરફ, એમએસ ધોનીની ટીમે રિતુરાજ વિના ડિફેન્ડિંગ ચેમ્પિયન બનેલી મુંબઈ સામે મેદાનમાં ઉતરવું પડશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:36 pm, Wed, 16 September 20

Next Article