IPLની 13મી સીઝનમાં એમએસ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ તેની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે, પરંતુ યુવા ખેલાડી બેટ્સમેન રુતુરાજ ગાયકવાડને શરૂઆતની મેચ પહેલા જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે મુંબઈ સામેની પહેલી મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આ બાબતે ટીમના સીઈઓ કાશી વિશ્વનાથે કહ્યું છે કે રુતુરાજ ઠીક છે, પરંતુ બીસીસીઆઈ દ્વારા તેમને હજુ સુધી ટીમ સાથે બાયોલોજિકલી સુરક્ષિત વાતાવરણમાં રહેવાની મંજૂરી આપવામાં આવી નથી. વિશ્વનાથે કહ્યું કે રુતુરાજ હજી પણ ક્વોરન્ટાઈનમાં છે અને બોર્ડની મેડિકલ ટીમે તેમને હજી ટીમમાં જોડાવાની મંજૂરી આપી નથી. આવા સંજોગોમાં, તે પ્રથમ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે તેમણે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ આગામી કેટલાક દિવસોમાં તેના બાયોલોજિકલી સુરક્ષિત વાતાવરણમાં પાછા ફરશે તેવી અપેક્ષા છે અને તે સંપૂર્ણ રીતે ઠીક છે. આપને જણાવી દઈએ કે સીએસકેના 13 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું અને તેમાં દિપક ચહર અને રુતુરાજ ગાયકવાડનો પણ સમાવેશ હતો. તેમાંથી દિપક ચહર અને અન્ય 11 સભ્યો ચેપમાંથી સાજા થયા છે, જ્યારે રુતુરાજને રવિવાર અને સોમવારે બે પરીક્ષણો થયા હતા અને તેના પરિણામો જાહેર થઈ શક્યા નથી.
જો કે દિપક ચહરે કોરોનાથી બહાર આવ્યા બાદ ટીમમાં જોડાયો છે અને પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે રુતુરાજએ સુરેશ રૈનાના વિકલ્પ તરીકે જોવામાં આવતો હતા. રૈના વ્યક્તિગત કારણોસર ટુર્નામેન્ટમાંથી ખસી ગયો હતો. જો કે વિશ્વનાથે કહ્યું છે કે ટીમે હજી સુધી વિકલ્પો પર વિચાર કર્યો નથી. બીજી તરફ, એમએસ ધોનીની ટીમે રિતુરાજ વિના ડિફેન્ડિંગ ચેમ્પિયન બનેલી મુંબઈ સામે મેદાનમાં ઉતરવું પડશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 11:36 pm, Wed, 16 September 20