વર્લ્ડ કપ 2019ની પ્રથમ સેમિફાઈનલમાં મેઘરાજાના આગમનથી રમત રોકી દેવાઈ હતી. જેને લઈને ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચેની અધુરી મેચ આજે ફરી ચાલુ થશે. મંગળવારે રહેલી અધુરી મેચ આજે પુરી કરવામાં આવશે. પરંતુ બીજી તરફ માન્ચેસ્ટરનું વાતાવરણમાં હજુ કોઈ ફેરફાર થયો નથી. જેથી ફરી વરસાદની સંભાવના દેખાઈ રહી છે. આગાહી મુજબ થોડી વખત રહીને ઝાપટા પડી શકે છે. તો બીજી જો આજે પણ વરસાદ વરસે અને મેદાનમાં એક પણ બોલ ફેંકવામાં નહીં આવે તો પછી, ભારત સીધુ ફાઈનલમાં એન્ટ્રી કરી જશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
બીજા દિવસે આજે અધુરી મેચ રમાવાની છે. ત્યારે જો વરસાદના વિધ્નથી મેદાન પર એક પણ બોલ ફેંકવામાં નહીં આવે તો પછી ભારતની સીધી ફાઈનલમાં એન્ટ્રી થઈ જશે. કારણ કે, રનરેટ અને પોઈન્ટ્સના હિસાબમાં ભારતની ટીમ મોખરે છે.