Team India Announcement : ચેન્નાઈ ટેસ્ટમાં જીત મળ્યા બાદ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,જુઓ સંપૂર્ણ ટીમ

|

Sep 22, 2024 | 5:01 PM

India vs Bangladesh: ટીમ ઈન્ડિયાએ ચેન્નાઈ ટેસ્ટમાં બાંગ્લાદેશને 280 રનથી હાર આપી હતી અને સીરિઝમાં લીડ મેળવી લીધી હતી. હવે ટીમ ઈન્ડિયા બીજી ટેસ્ટમાં ક્લીન સ્વીપના ઈરાદે મેદાનમાં ઉતરશે. સીરિઝની બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમબરના રોજ કાનપુરમાં રમાશે.

Team India Announcement : ચેન્નાઈ ટેસ્ટમાં જીત મળ્યા બાદ બીજી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,જુઓ સંપૂર્ણ ટીમ

Follow us on

India vs Bangladesh: ચેન્નાઈ ટેસ્ટ 4 દિવસની અંદર જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ સીરિઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.હવે તેની નજર બીજી ટેસ્ટ પર છે. જે કાનપુરમાં રમાશે. આ ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયાએ સ્કવોડની જાહેરાત કરી દીધી છે. ચેન્નાઈ ટેસ્ટ જીત્યા બાદ બીસીસીઆઈએ સ્કવોડની જાહેરાત કરી છે. ચેન્નાઈમાં જીત મેળવનાર ટીમ પર જ સિલેક્શન કમેટીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને તમામ 16 ખેલાડીઓને ટીમમાં રાખ્યા છે. એટલે કે, અંદાજો લગાવી શકાય કે, બુમરાહને આગામી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવી શકે છે. કાન પુર ટેસ્ટ 27 સપ્ટેમબરથી શરુ થશે.

આ ખેલાડીઓએ થોડી રાહ જોવી પડશે

ચેપોક સ્ટેડિયમમાં રવિવાર 22 સપ્ટેમ્બરના સવારે ટીમ ઈન્ડિયાએ પહેલા સેશનમાં જ બાંગ્લાદેશને બીજી ઈનિગ્સમાં માત્ર 234 રન પર જ સમેટી લીધી હતી. અને આ મેચમાં 280 રનથી જીત મેળવી લીધી છે. આ જીતના થોડા કલાકો બાદ સિલેક્શન કમેટીએ કાનપુર ટેસ્ટ માટે સ્કવોડની જાહેરાત કરી છે અને કોઈ ફેરફાર કર્યો નથી. એટલે કે, શ્રેયસ અય્યર, મુકેશ કુમાર, ઈશાન કિશન જેવા ખેલાડીઓને ટીમ ઈન્ડિયામાં વાપસી માટે હજુ થોડી રાહ જોવી પડશે.

સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?

 

શું પ્લેઈંગ ઈલેવનમાં બદલાવ થશે?

ભલે સ્કવોડમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ નજર એ વાત પર રહેશે કે, શું આગામી ટેસ્ટમાં પણ આ જ પ્લેઈગ ઈલેવન મેદાનમાં ઉતરશે. કે પછી કાંઈ ફેરફાર થશે. આ વાતની સંભાવના છે કે, બીજી ટેસ્ટમાં માત્ર 2 જ ફાસ્ટ બોલર મેદાનમાં ઉતારશે. મહત્વની વાત એ હશે કે, શું જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવશે. જો આવું થયું તો યશ દયાળને ડેબ્યુ કરવાની તક મળશે. એ જોવું પણ રસપ્રદ રહેશે.

ભારતીય સ્કવોડ

રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, યશસ્વી જ્યસ્વાલ, શુભમન ગિલ, કેએલ રાહુલ, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશદીપ,ધ્રુવ જુરેલ, સરફરાજ ખાન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને યશ દયાલ

 

Published On - 4:47 pm, Sun, 22 September 24

Next Article